બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / I sprinkled ganga water after killing the mother but then sprayed it if it smelled bad

દિલ્હી / માં ને મુક્તિ આપી દીધી, ગીતા વાંચી અને પછી...: 77 પાનાનાં સુસાઇડ નોટમાં દીકરાએ કર્યા હૃદય ધ્રુજાવી નાંખે તેવા ખુલાસા

Priyakant

Last Updated: 11:46 AM, 6 September 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આત્મહત્યા કરનાર પુત્રએ સુસાઇડ નોટમાં લખ્યું, માતાને રોગમાંથી મુક્તિ અપાવી છે અને હવે તે આત્મહત્યા કરી રહ્યો છે

  • માતાની હત્યા બાદ પુત્રની આત્મહત્યાના મામલામાં ચોંકાવનારી વિગતો બહાર આવી 
  • પોલીસને એક દિવસ પહેલા જ સ્થળ પરથી 77 પાનાની સુસાઈડ નોટ મળી
  • મેં માતાની હત્યા કરી લાશ સાથે 2 દિવસ વિતાવ્યા: સુસાઇડ નોટમાં કર્યો ઉલ્લેખ 

દિલ્હીના બુધ વિહાર વિસ્તારમાં માતાની હત્યા બાદ પુત્રની આત્મહત્યાના મામલામાં ચોંકાવનારી માહિતી સામે આવતા હડકંપ મચી ગયો છે. પોલીસને એક દિવસ પહેલા જ સ્થળ પરથી 77 પાનાની સુસાઈડ નોટ મળી હતી, જેને વાંચીને પોલીસ અધિકારીઓ પણ સ્તબ્ધ થઈ ગયા હતા. માતાની હત્યા કરનાર પુત્રએ મરતા પહેલા સમગ્ર ઘટનાની શ્રેણીબદ્ધ વિગતો આપી છે, તેણે એ પણ જણાવ્યું છે કે, 1લી સપ્ટેમ્બરે માતાની હત્યા કરવામાં આવી હતી. તેણે લાશ સાથે 2 દિવસ વિતાવ્યા છે અને માતાને રોગમાંથી મુક્તિ અપાવી છે અને હવે તે આત્મહત્યા કરી રહ્યો છે. 

રવિવારે સાંજે દિલ્હીના બુધવિહાર વિસ્તારના રોહિણી સેક્ટર 24 સ્થિત ફ્લેટ પર પોલીસ પહોંચી હતી. જ્યાં દરવાજો તોડી અંદર જોતા ક્ષિતિજ ઉર્ફે સોનુ (25 વર્ષ)ની લોહીલુહાણ લાશ ખાટલા પર પડેલી હતી. જ્યારે ક્ષિતિજની માતા મિથિલેશની સંપૂર્ણ સડી ગયેલી લાશ બાથરૂમમાંથી મળી આવી હતી. ત્યાંથી એક સુસાઈડ નોટ પણ મળી આવી હતી, જેમાં ક્ષિતિજે પોતાનું ગળું કાપી નાખ્યાનો ઉલ્લેખ કર્યો હતો.

સોમવારે પોલીસે આ કેસમાં તપાસ આગળ વધારી અને 77 પાનાની સુસાઈડ નોટ વાંચીને આશ્ચર્યચકિત થઈ ગઈ. આ નોટમાં ઘણી ચોંકાવનારી વાતો લખવામાં આવી છે. સુસાઈડ નોટ મુજબ ક્ષિતિજે 1 સપ્ટેમ્બરે તેની માતા મિથિલેશની હત્યા કરી હતી અને બે દિવસ સુધી માતાના મૃતદેહ સાથે રહેતો હતો. તે પછી તેણે પોતાનો જીવ લીધો. 

શું લખ્યું હતું સુસાઇડ નોટમાં ?

સ્યુસાઇડ નોટમાં માતાની હત્યા કર્યા બાદ બે દિવસ સુધી ઘરમાં શું કર્યું તેનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે, ક્ષિતિજે તેને કોઈ મિત્ર ન હોવાનું લખ્યું છે. પિતાના અવસાન બાદ આર્થિક તંગી સર્જાઈ હતી. માતા બીમાર પડી રહી હતી. તે પોતે બીમાર પડી રહ્યો હતો. સારવાર માટે પૈસા ન હતા.  માતાના બીમાર શરીરમાંથી મુક્તિ મેળવવા માંગતી હતી. ત્યારપછી ગુરુવારે (1 સપ્ટેમ્બર) તેણે ઘરમાં રાખેલા વાયર વડે માતાનું ગળું દબાવી દીધું હતું, ત્યારબાદ તેણે ધારદાર કટર વડે તેનું ગળું કાપીને તેની હત્યા કરી હતી. તે બે દિવસ સુધી માતાના મૃતદેહ સાથે ઘરમાં રહ્યો હતો. હત્યાના થોડા કલાકો બાદ લાશમાંથી દુર્ગંધ આવવા લાગી, ત્યારબાદ ગંગા જળ છાંટવામાં આવ્યું. પછી શબ પાસે બેસીને ભગવત ગીતાનો પાઠ કરવા લાગ્યો.

આ સાથે ક્ષિતિજે લખ્યું હતું કે, ભગવત ગીતાનું પઠન પૂરું ન કરી શક્યો, કારણ કે શબમાંથી દુર્ગંધ આવી રહી હતી. દુર્ગંધ દૂર કરવા માટે ડિઓડ્રિન છાંટ્યું. સુસાઈડ નોટમાં લખેલી વસ્તુઓ વાંચ્યા બાદ પોલીસે ઘટનાસ્થળેથી તે તમામ વસ્તુઓ કબજે કરી હતી. ક્ષિતિજે આર્થિક સંકટ વિશે પણ લખ્યું છે.

શું કહ્યું પોલીસે ? 

પોલીસ અધિકારીઓના જણાવ્યા અનુસાર, સુસાઈડ નોટ વાંચીને એવું લાગે છે કે, ક્ષિતિજ એકદમ એકલો પડી ગયો હતો. એક રીતે તે મનોવૈજ્ઞાનિક વિકારનો શિકાર બની ગયો હતો. તેના સંજોગોને કારણે તે ડિપ્રેશનમાં ગયો. પોલીસના જણાવ્યા અનુસાર, પાડોશમાં રહેતી એક મહિલા ક્ષિતિજને ફોન કરતી હતી કારણ કે તે ક્ષિતિજની માતા સાથે દરરોજ સત્સંગમાં જતી હતી. પાડોશી મહિલાએ ક્ષિતિજને ફોન કરીને પૂછ્યું કે તારી માતા ક્યાં છે. જેના પર ક્ષિતિજે જવાબ આપ્યો કે તે મરી ગઈ અને હવે હું પણ મરી રહ્યો છું. આટલું કહીને તેણે ફોન કાપી નાખ્યો, ત્યારપછી પાડોશી મહિલાએ પોલીસને જાણ કરી અને જ્યારે પોલીસે સ્થળ પર પહોંચીને દરવાજો તોડ્યો તો માતા-પુત્રની લાશ પડી હતી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ