બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / લાઈફસ્ટાઈલ / સંબંધ / How the day of death became special for lovers all over the world

Valentine Day / મોતનો દિવસ દુનિયાભરમાં પ્રેમીઓ માટે કઈ રીતે બની ગયો ખાસ? ફાંસીની સજા બાદ 'અમર' થઈ ગયા સંત

Pooja Khunti

Last Updated: 12:34 PM, 14 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વેલેન્ટાઈન વીકની શરૂઆત રોઝ ડેથી થાય છે અને સમાપ્ત વેલેન્ટાઈન ડેનાં દિવસે થાય છે. જાણો, આ દિવસની શરૂઆત કેવી રીતે થઈ.

  • વેલેન્ટાઈન દિવસને પ્રેમનાં દિવસ તરીકે ઉજવવામાં આવે છે
  • સંતે રોમનાં લોકોને પ્રેમ માટે પ્રેરિત કર્યા
  • રાજાએ 14 ફેબ્રુઆરીનાં દિવસે સંત વેલેન્ટાઈનને ફાંસી આપી દીધી

વેલેન્ટાઈન દિવસને પ્રેમનાં દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસે લોકો તેમના સાથીને તેમનો પ્રેમ વ્યક્ત કરે છે. ઘણા પ્રેમીઓ આ દિવસની રાહ જોતાં હોય છે. વેલેન્ટાઈન વીકની શરૂઆત રોઝ ડેથી થાય છે અને સમાપ્ત વેલેન્ટાઈન ડેનાં દિવસે થાય છે. જાણો, આ દિવસની શરૂઆત કેવી રીતે થઈ. 

રોમમાં વેલેન્ટાઈન નામના એક સંત 
'ઓરિયા ઓફ જેકોબસ ડી વરાજિન' નામની આ બુક પ્રમાણે રોમમાં એક પાદરી સંત હતા. આ સંતનું નામ વેલેન્ટાઈન હતું. આ સંત પ્રેમને ઘણું મહત્વ આપતા હતા. પરતું આ શહેરનાં રાજા ક્લાઉડિયસને આ બિલકુલ પસંદ ન હતું. તેમનું માનવું એવું હતું કે પ્રેમ અને લગ્નનાં કારણે પુરુષોની બુદ્ધિ ઓછી થઈ જાય છે. તેથી રાજ્યનાં સૈનિકો અને અધિકારીઓ લગ્ન કરી શકતા ન હતા. 

સંત વેલેન્ટાઈનને ફાંસી આપવામાં આવી 
જ્યારે આ વાતની જાણ સંત વેલેન્ટાઈનને થઈ, ત્યારે તેણે આ વાતનો વિરોધ કર્યો. આ સાથે તેણે રોમનાં લોકોને પ્રેમ માટે પ્રેરિત કર્યા. તેણે ઘણા સૈનિકોનાં લગ્ન પણ કરાવ્યા. જ્યારે રાજાને આ વાતની જાણ થઈ તો તેને ખૂબ ગુસ્સો આવ્યો. રાજાએ 14 ફેબ્રુઆરીનાં દિવસે સંત વેલેન્ટાઈનને ફાંસી આપી દીધી. આ ઘટના બાદ આ દિવસ વેલેન્ટાઈન ડે તરીકે એટકે કે પ્રેમનાં દિવસ તરીકે ઉજવવામાં આવે છે. 

વાંચવા જેવું: પ્રેમી પંખીડાની મુંઝવણ દૂર, વેલેન્ટાઈન ડે પર આ બધી આકર્ષક ગિફ્ટસ્ આપી શકાય, જુઓ લિસ્ટ

જાણો વેલેન્ટાઈન ડેનું મહત્વ 
જે રીતે લોકો દિવાળી, હોળી અને ઉતરાયણ જેવા તહેવાર ઉજવે છે. તેવી જ રીતે પ્રેમનાં દિવસ તરીકે વેલેન્ટાઈન ડે પણ ઉજવવામાં આવે છે. આ દિવસને યાદગાર બનાવવા ઘણા લોકો બહાર પ્રવાસ પર પણ જાય છે. ઘણા લોકો તેમના સાથીને કોઈ ગિફ્ટ પણ આપે છે. લોકો અલગ-અલગ રીતે વેલેન્ટાઈન ડે ઉજવે છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ