બ્રેકિંગ ન્યુઝ
મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ
લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન
લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા
લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું
લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા
લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી
VTV / ગુજરાત / અમદાવાદ / How much water in state dams including Sardar Sarovar? Dry signal for farmers, Gujarat government alert
Vishal Khamar
Last Updated: 05:27 PM, 1 September 2023
મેઘરાજા રિસાયા હોય તેમ રાજ્યમાં ઓગસ્ટ મહિનામાં બિલકુલ વરસાદ પડ્યો ન હતો. જેથી જગતનો તાત એવો ખેડૂત ચિંતીત બન્યો છે. ત્યારે ખેડૂતો દ્વારા બજારમાંથી મોંઘા ભાવે બિયારણ ખરીદી કરી ખેતરમાં પાકની વાવણી કરી છે. ત્યારે હવે રાજ્યનાં 42 જેટલા જળાશયોમાં પણ હવે 50 ટકા કરતા ઓછું પાણી છે. તેમજ રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમમાં 80.97 ટકા જળ સંગ્રહ છે. તેમજ કચ્છનો ટપ્પર ડેમ, અરવલ્લીનો મેશ્વો ડેમમાં 50 ટકા કરતા ઓછો જળસંગ્રહ છે. જ્યારે સાબરકાંઠાનો હાથમતી ડેમ, મોરબીનાં બ્રહ્માણી ડેમમાં પણ 50 ટકા કરતા ઓછો જળસંગ્રહ છે.
બિપોરજોય વાવાઝોડાએ સમગ્ર ચોમાસાની પેટર્નને ખોરવી નાંખી
રાજ્યમાં બિપોરજોય વાવઝોડાએ સમગ્ર ચોમાસાની પેટર્નને ખોરવી નાંખી છે. ત્યારે બિપોરજોય વાવાઝોડાનાં કારણે કચ્છ તેમજ સૌરાષ્ટ્રમાં પુરની પરિસ્થિતિ સર્જાઈ હતી. તો ઓગસ્ટ મહિનામાં મેઘ મહેર ન થતા ધરતીનો તાત એવો ખેડૂત ચિંતીત બન્યો છે. ખેતી પર આધારીત એવા ઉત્તર ગુજરાતમાં વરસાદ ન પડવાથી પાણીની તંગી સર્જાય છે. સરહદી વિસ્તાર એવા બનાસકાંઠા જીલ્લાનાં ગામડાઓમાં પાણી માટે લોકોએ રઝળપાટ કરવી પડે છે. ત્યારે ખેડૂતો દ્વારા સરકાર પાસે 10 કલાક વીજળી આપો અથવા તો કેનાલ મારફતે પાણી આપવાની માંગણી કરી છે.
સુજલામ સુફલામ યોજનાની કેનાલમાં પાણી છોડવા પત્ર લખી કરી રજૂઆત
ઓગસ્ટ મહિનામાં વરસાદ ખેંચાતા દૂધસાગર ડેરીનાં ચેરમેન અશોક ચૌધરીએ મહેસાણા જીલ્લા વિસ્તારમાં પાણી છોડવા મુખ્યમંત્રીને પત્ર લખ્યો હતો. જેમાં સુજલામ સુફલામ યોજનાની કેનાલ મારફતે કેનાલમાં પાણી છોડવા અશોક ચૌધરીએ પત્ર લખી રજૂઆત કરી હતી. તેમજ વધુમાં તેઓએ પત્રમાં લખ્યું હતું કે જીલ્લામાં અપૂરતા વરસાદને લઈ ખેતરમાં ઉભા પાક સામે વિકટ સ્થિતિ ઉભી થઈ છે. ત્યારે તાત્કાલિક પાણી નહિ છોડવામાં આવે તો પાક સામે ગંભીર સ્થિતિ ઉભી થશે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir