બ્રેકિંગ ન્યુઝ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો
લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર
Kishor
Last Updated: 04:39 PM, 24 December 2022
ગૃહમંત્રી હર્ષ સંઘવીએ આજે રાજકોટની મુલાકાત લીધી હતી. આ દરમિયાન તેમણે બસ પોર્ટ ખાતે વધુ પાંચ ઇલેકટ્રીક બસોનું લોકાર્પણ કર્યુ હતું. વધુમાં રાજકોટ શહેરમાં શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ સંસ્થાના કાર્યક્રમ સહિત અનેક સ્થળોએ હાજરી આપી હતી. આ વેળાએ હર્ષ સંઘવીએ વ્યાજખોરો મુદ્દે મોટુ નિવેદન આપ્યું હતું.
વ્યાજખોરો મુદ્દે ગૃહરાજ્ય મંત્રીએ આપ્યું મોટું નિવેદન
રાજકોટ મુલાકાત દરમિયાન વ્યાજખોરો મુદ્દે ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ મોટું નિવેદન આપી કહ્યું હતું કે વ્યાજખોરો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.રાજ્યમાં કોઈપણ જગ્યાએ વ્યાજખોરોનું દૂષણ હશે તેની સામે કડક કાર્યવાહી થશે અને કોઈ વ્યાજખોરને છોડવામાં નહિ આવે તેવી હર્ષ સંઘવીએ ખાતરી આપી હતી.
તાજેતરમાં વ્યાજખોરોના ત્રાસના બે કિસ્સા નોંધાયા હતા
સૌરાષ્ટ્રમાં વ્યાજખોરોનો આતંક દિવસેને દિવસે વધી રહ્યો છે. તેવામાં તાજેતરમાં રાજકોટમાં વ્યાજખોરોએ એક મહિલા સાથે દુષ્કર્મ આચર્યાની ઘટના સામે આવી હતી. જેમાં મહિલાના પતિએ અજિતસિંહ ચાવડા પાસેથી વ્યાજે રૂપિયા લીધા હતા. જે રૂપિયા પતિએ પરત ન કરતા અજિતસિંહના મિત્ર દિપક વાગડીયાએ મહિલાને ધમકી આપી અલગ અલગ જગ્યાએ દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ નોંધાઇ છે. આ ઉપરાંત મોરબીના હળવદ તાલુકાના માલણીયાદ ગામમાં વ્યાજખોરોના ત્રાસથી ખેડૂતે ટ્રેક્ટરની ટ્રોલી નીચે પડતું મુકીને આપઘાત કર્યો હતો. જેમાં પણ ખેડૂતે આપઘાત પહેલા લખેલી સ્યુસાઈડ નોટમાં ખેડૂતો એ 9 વ્યાજખોરના નામ લખ્યા હતા. આમ અલગ અલગ બે જગ્યાએ વ્યાજખોરોનો આતંક સામે આવતા હર્ષ સંઘવીએ કડક કાર્યવાહીની ખાતરી આપી છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
લોકસભા ચૂંટણી 2024 / 'વિરોધ કરે છે તે જ ભાજપ સાથે મળેલા' કોંગ્રેસે સસ્પેન્ડ કર્યા બાદ નિલેશ કુંભાણીએ વીડિયો જાહેર કર્યો
Lok Sabha Election 2024
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh