બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / સુરત / High Court notice to State DGP and Surat Police Commissioner in case of permanent transfer of Surat Traffic Constable,

કાર્યવાહી / સુરતમાં કોન્સ્ટેબલે ઉચ્ચ અધિકારી સામે એટ્રોસિટીની ફરિયાદ કરી, તો કાયમી ધોરણે ભુજ બદલી કરી દેવાઈ! હાઇકોર્ટે DGP અને કમિશનરને પાઠવી નોટિસ

Malay

Last Updated: 09:33 AM, 8 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Surat News: સુરત ટ્રાફિક કોન્સ્ટેબલની કાયમી ભુજ બદલીના કેસમાં હાઈકોર્ટની રાજ્યના DGP અને સુરત પોલીસ કમિશનરને નોટિસ, ઉચ્ચ અધિકારી વિરુદ્ધ એટ્રોસિટીની ફરિયાદ કરનાર મનીષ બારિયાની કરાઈ હતી બદલી.

  • સુરત ટ્રાફિક કોન્સ્ટેબલની હાઈકોર્ટમાં અરજી
  • DGPસ, સુરત CP, અને ભુજ એસપીને નોટિસ 
  • કાયમી બદલીના કેસમાં ઉચ્ચ અધિકારીઓને નોટિસ 

Surat News: સુરત ટ્રાફિક કોન્સ્ટેબલની અરજીને લઈને હાઈકોર્ટે DGP  અને CPને નોટિસ ફટકારી છે. કોન્સ્ટેબલની કાયમી બદલીના કેસમાં ઉચ્ચ અધિકારીઓને હાઈકોર્ટ દ્વારા કારણદર્શક નોટિસ ફટકારવામાં આવી છે. મહત્વનું છે કે ઉચ્ચ અધિકારી વિરુદ્ધ એટ્રોસિટીની ફરિયાદ કરનાર કોન્સ્ટેબલની સુરત ટ્રાફિક વિભાગમાંથી કાયમી ધોરણે ભુજ બદલી કરાતા હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી હતી.

ગુજરાતમાં કોઈપણ કેસ આગામી નવી મુદ્દત વગરનો નહીં રહે, હાઈકોર્ટનો મહત્વનો  નિર્ણય, આવી રીતે થશે સિસ્ટમેટિક કામ | An important decision has been taken  by the Gujarat ...

પોલીસ કોન્સ્ટેબલની કાયમી ધોરણે બદલી
સુરતના ટ્રાફિક વિભાગમાં અનાર્મ પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા મનીષ બારીયાએ ઉચ્ચ પોલીસ અધિકારી વિરુદ્ધ એટ્રોસિટીની ફરિયાદ કરી હતી. જે બાદ 1 સપ્ટેમ્બર 2023ના હુકમથી મનીષ બારીયાની કાયમી ધોરણે ભુજ બદલી કરી દેવાઈ હતી. સુરત ટ્રાફિક વિભાગમાંથી કાયમી ધોરણે ભુજ બદલી કરી દેવાતા અરજદાર મનીષ બારીયા દ્વારા હાઈકોર્ટમાં રિટ કરવામાં આવી હતી. 

અરજદારે હાઈકોર્ટમાં કરી રિટ
રિટ અરજીમાં અરજદારે જણાવ્યું હતું કે, સત્તાવાળાઓએ કિન્નાખોરી રાખીને મારું સુરતથી ભુજ ખાતે કાયમી ટ્રાન્સફર કરી દેવાયું છે. તેઓએ જણાવ્યું હતું કે આંતરજિલ્લા બદલીમાં કાયમી ધોરણે બદલી ન કરી શકાય, પરંતુ નિયત સમયમર્યાદા માટે બદલી કરી શકાય. 

VTV Gujarati News and Beyond on X: "ડૉ.અતુલ ચગ આપઘાત કેસઃ આજે ગુજરાત  હાઈકોર્ટમાં સુનાવણી, ડૉ.ચગના પરિવારે પોલીસ સુપ્રીમકોર્ટના આદેશનું પાલન ન  કરતી હોવાની ...

હાઈકોર્ટે જારી કરી કારણદર્શક નોટિસ
આમ સત્તવાળાઓનો નિર્ણય હાઈકોર્ટના સંબંધિત ચુકાદા અને કાયદાકીય જોગવાઈથી વિપરીત હોઈ હાઈકોર્ટે તેને ગેરકાયદે ઠરાવવો જોઈએ. સુરત ટ્રાફિક વિભાગના કોન્સ્ટેબલની અરજી પર હાઈકોર્ટે રાજ્યના DGP, સુરત પોલીસ કમિશનર અને ભુજ એસપીને કારણદર્શક નોટિસ મોકલી છે. 


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ