બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / health tips what are multivitamins know benefits

Health Tips / મલ્ટીવિટામિન્સ ખાઓ, બીમારીઓ દૂર ભગાડો, સ્વાસ્થ્ય માટે હેલ્ધી છે આ દવાઓ

Arohi

Last Updated: 08:31 AM, 26 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Health Tips: મલ્ટીવિટામિન સ્વાસ્થ્ય માટે ફાયદાકારક માનવામાં આવે છે. જોકે યોગ્ય પ્રમાણ અને ડોક્ટરની સલાહ બાદ જ આ દવાઓનું સેવન કરવું જોઈએ. તેમાં વિટામિન A, C, D, E, K, B ભરપૂર હોય છે.

મોટાભાગે કમજોરી કે ભોજનમાં પોષક તત્વોની કમીને પુરી કરવા માટે ડોક્ટર મલ્ટીવિટામિન્સ દવાઓ લેવાની સલાહ આપે છે. તેમાં ઘણા પોષક તત્વ મળી આવે છે. તેમાં વિટામિન્સ, ખનિજ અને ઘણા જરૂરી તત્વો હોય છે. જે સ્વસ્થ્ય રાખવાનું કામ કરે છે. 

વિટામિન A, C, D, E, K, B અને કેલ્શિયમ, આયર્ન, મેગ્નેશીયમ, પોટેશિયમથી ભરપૂર મલ્ટીવિટામિંસમાં કેપ્સૂલ, સિરપ બન્ને આવે છે. જોકે ડોક્ટરની સલાહ પર જ આ દવાઓને લેવી જોઈએ. આવો જાણીએ શરીર માટે આ મલ્ટીવિટામિન્સ કેવી રીતે ફાયદો કરે છે. 

પોષક તત્વોની કમી કરે છે દૂર 
મલ્ટીવિટામિન ખાવાથી શરીરને ઘણા જરૂરી પોષક તત્વો મળી જાય છે. તેમાં વિટામિન, ખનિજ અને એન્ટીઓક્સીડેન્ટ હોય છે. જો ભોજનમાં જરૂરી પ્રમાણમાં પોષક તત્વો ન મળે તો મલ્ટીવિટામિન્સ મદદ કરી શકે છે. 

બીમારીઓથી બચાવે 
ઘણી સ્ટડીમાં મળી આવ્યું છે કે મલ્ટીવિટામિન્સનું નિયમિત રીતે સેવન કરવાથી હાર્ટ બીમારીઓ, સ્ટ્રોક, કેન્સર અને ઘણી અન્ય બીમારીઓનો ખતરો ઓછો થઈ શકે છે. આ શરીર માટે જબરદસ્ત ફાયદાકારક છે.  

એનર્જી વધારે
મલ્ટીવિટામિન ખાવાથી શરીરના થાક ઓછો થઈ જાય છે અને એનર્જી વધે છે. તેનાથી શરીર મજબૂત થઈ શકે છે. જોકે ડોક્ટરની સલાહ બાદથી કોઈ પણ મલ્ટીવિટામિન લેવી જોઈએ. નહીં તો સમસ્યા વધી શકે છે. 

મેન્ટ હેલ્થમાં સુધાર 
ઘણા અભ્યાસથી પણ એ વાત જાણવા મળી છે કે મલ્ટીવિટામિનનું સેવન કરવાથી સ્ટ્રેસ અને ડિપ્રેશન જેવી મેન્ટલ પ્રોબ્લેમ્સ દૂર થઈ શકે છે. તેનાથી મગરને ખૂબ જ રાહત મળી શકે છે. 

સ્કિન, વાળ અને નખની હેલ્થમાં સુધાર 
હેલ્થ એક્સપર્ટ્સ અનુસાર મલ્ટીવિટામિન દવાઓ લેવાથી ત્વચા, વાળ અને નખનું સ્વાસ્થ્ય સારૂ થાય છે. તેના સાથે જોડાયેલી કોઈ પણ પ્રકારની સમસ્યા દૂર થઈ શકે છે. જોકે એક્સપર્ટ્સની સલાહ લીધા બાદ જ આ દવાઓનો ઉપયોગ કરવો જોઈએ. 

વધુ વાંચો: પૂરા દિવસ દરમિયાન આ સમયે થાય સૌથી વધુ લોકોના મોત, શરીરની કમજોરી છે કારણ'ભૂત'

કોણો ન લેવી જોઈએ મલ્ટીવિટામિન દવાઓ? 
મલ્ટીવિટામિન દવાઓ દરેક લોકો માટે ફાયદાકારક નથી હોતી. જો કોઈને સ્વાસ્થ્ય સાથે જોડાયેલી કોઈ સમસ્યા છે તો તેમણે ડોક્ટરની સલાહ લઈને જ આ દવાઓનું સેવન કરવું જોઈએ. જો તમે દરરોજ મલ્ટીવિટામિન લો છો તો તેના સાઈડ ઈફેક્ટ્સ પણ જોવા મળી શકે છે. મલ્ટીવિટામિનનું વધારે પ્રમાણમાં સેવન પેટમાં દુખાવો, ઉલ્ટી જેવી સમસ્યાનું કારણ બની શકે છે.  

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ