બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / health amazing health benefits of drinking turmeric water daily morning

આરોગ્ય ટિપ્સ / ગુણોની ખાણ છે આ પાણી, રોજ સવારે પીવાથી શરીરને મળે છે અનેક સમસ્યાઓથી રાહત

Manisha Jogi

Last Updated: 11:05 AM, 23 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભોજનમાં જે પણ મસાલા નાખવામાં આવે તે ભોજનનો સ્વાદ વધારવાની સાથે સાથે હેલ્થ માટે પણ ફાયદાકારક છે. આ પાણીનું સેવન કરવાથી ઈમ્યુનિટી મજબૂત થાય છે. શરીરને ઈન્ફેક્શન, વાયરસ અને બેક્ટેરિયાથી બચાવવામાં મદદ કરે છે.

ભોજનમાં જે પણ મસાલા નાખવામાં આવે તે ભોજનનો સ્વાદ વધારવાની સાથે સાથે હેલ્થ માટે પણ ફાયદાકારક છે. હળદરને ઔષધીય ગુણોનો ખજાનો માનવામાં આવે છે. હળદરમાં રહેલ પોષકતત્ત્વથી શરીરને અનેક પ્રકારના લાભ થાય છે. હળદરને ડાયટમાં અલગ અલગ રીતે શામેલ કરવામાં આવે છે. ઘણા લોકો હળદરને ભોજનમાં નાખવાની સાથે સાથે હળદરના પાણીનું સેવન કરે છે. હળદરના પાણીથી શરીરને શું લાભ થાય છે, તે અંગે અહીંયા વિગતવાર જાણકારી આપવામાં આવી છે. 

ઈમ્યુનિટીમાં વધારો
હળદરમાં એન્ટી બેક્ટેરિયરલ ગુણ રહેલા છે. નિયમિતરૂપે હળદરના પાણીનું સેવન કરવાથી ઈમ્યુનિટી મજબૂત થાય છે. શરીરને ઈન્ફેક્શન, વાયરસ અને બેક્ટેરિયાથી બચાવવામાં મદદ કરે છે, જેથી બિમારીઓ થવાનું જોખમ ઓછું રહે છે. 

પાચનતંત્રમાં સુધારો
હળદરના પાણીનું સેવન કરવાથી બાઈલ પ્રોડક્શનમાં વધારો થાય છે, જેથી ફેટ સરળતાથી પચે છે અને પાચન પ્રક્રિયામાં સુધારો થાય છે. ગેસ્ટ્રોઈંટેસ્ટાઈન પ્રોબ્લેમ દૂર થાય છે અને ગેસથી રાહત મળે છે. 

ડાયાબિટીસ
હળદરના પાણીનું સેવન કરવાથી બ્લડ શુગર કંટ્રોલમાં રહે છે અને ઈન્સ્યુલિન સેન્સિટિવિટીમાં સુધારો થાય છે, જેથી બ્લડ શુગર કંટ્રોલમાં રહે છે. હળદરમાં રહેલા એન્ટી-ઈન્ફ્લામેટરી ગુણથી ડાયાબિટીસની સમસ્યાથી રાહત મળે છે. 

બોડી ડિટોક્સિફાય
હળદરના પાણીનું સેવન કરવાથી લીવર સારી રીતે કામ કરી શકે છે અને શરીરમાંથી વિષાક્ત પદાર્થ બહાર નીકળી જતા શરીર ડિટોક્સિફાય છે. લોહી શુદ્ધ થાય છે અને ડિટોક્સિફિકેશનની પ્રોસેસમાં વૃદ્ધિ થાય છે. 

હાર્ટ હેલ્થમાં સુધારો
હળદરમાં રહેલ કરક્યૂમિનથી કોલસ્ટ્રોલ ઓછો થાય છે, બ્લડપ્રેશર કંટ્રોલમાં રહે છે અને લોહીનું પરિભ્રમણ સારી રીતે થાય છે. જેથી હ્રદયરોગ થવાનું જોખમ ઓછું રહે છે અને હાર્ટ હેલ્થ સારી રહે છે. 

નેચરલ પેઈન કિલર
હળદરનું પાણી નેચરલ એનાલ્જેસિક તરીકે કાર્ય કરે છે. જેથી કોઈપણ પ્રકારના દવાના ઉપયોગ વગર માથાનો દુખાવો, માસિકનો દુખાવો, માંસપેશીઓના દુખાવા સહિત અન્ય દુખાવાથી રાહત મળે છે. 

સ્કિન હેલ્ધી રહે છે
નિયમિતરૂપે હળદરના પાણીનું સેવન કરવાથી ત્વચામાં ચમક આવે છે ત્વચા વધુ યુવાન બને છે. ખીલ, દાગ-ધબ્બા અને ત્વચાની અન્ય સમસ્યાથી રાહત મળે છે. 

વધુ વાંચો: જો તમે પણ છો ડાયાબિટીસના પેશન્ટ, તો સાવધાન! ભૂલથી પણ ન ખાતા આ ડ્રાયફ્રૂટ્સ

(Disclaimer: આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.)

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ