બ્રેકિંગ ન્યુઝ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો
લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર
Manisha Jogi
Last Updated: 02:48 PM, 23 August 2023
સમગ્ર વિશ્વમાં અનેક લોકો ઘુંટણના દુખાવાથી પરેશાન છે. પહેલા આ સમસ્યા માત્ર વૃદ્ધ વ્યક્તિને થતી હતી, હવે યુવાનો પણ આ સમસ્યાની ચપેટમાં આવી રહ્યા છે. ઘુંટણના દુખાવાના અનેક કારણ હોઈ શકે છે. ક્યારેક સામાન્ય દુખાવો થાય છે અને ઘણી વાર આ દુખાવો અસહ્ય બની જાય છે. અથડાવાને કારણે ઘુંટણનો દુખાવો થતો હોય તો તેને બેઠો માર કહે છે. આ દુખાવાથી રાહત મેળવવા ઘરેલુ ઉપાય કરી શકો છો, જે અંગે અહીંયા જણાવવામાં આવ્યું છે.
હળદર- આરોગ્યની પરેશાની દૂર કરવા માટે હળદરને કારગર માનવામાં આવે છે. હળદરમાં એન્ટી-ઈન્ફ્લામેટરી અને એન્ટી બેક્ટેરિયલ ગુણ રહેલા છે, જેથી ઘુંટણના દુખાવાથી રાહત મળે છે. એક ચમચી હળદરમાં જરૂર અનુસાર પાણી લઈને પેસ્ટ બનાવો અને દિવસમાં બે વાર ઘુંટણ પર લગાવો. આ પ્રકાર કરવાથી રાહત મળે છે.
આદુ- ઘુંટણના દુખાવથી રાહત મેળવવા માટે આદુને અસરકારક માનવામાં આવે છે. આદુમાં એન્ટી-ઈન્ફ્લામેટરી ગુણ રહેલા છે, જેથી દુખાવો દૂર થાય છે. આદુથી સાંધાના દુખાવાથી રાહત મળે છે. ગરમ પાણીમાં આદુના નાના નાના ટુકડા કરીને નાખો. હવે તે પાણી ગાળીને તેમાં સ્વાદ અનુસાર મધ અને લીંબુનો રસ નાખો. નિયમિતરૂપે આ પાણી પીવાથી ઘુંટણના દુખાવાથી રાહત મળશે.
એલોવેરા- એલોવેરામાં ઘુંટણના દુખાવાને બહાર ખેંચવાની ક્ષમતા રહેલી છે. જે માટે તમે એલોવેરા જેલનો ઉપયોગ કરી શકે છો. એલોવેરા લગાવવાથી દુખાવો ઓછો ઝશે અને ઘુંટણનો સોજો પણ ઓછો થશે. એલોવેરા જેલમાં હળદર મિશ્ર કરીને પ્રભાવિત જગ્યા પર લગાવો. જેનાથી દુખાવો અને સોજો ઓછો થશે.
કપૂરનું તેલ- ઘુંટણના દુખાવાથી રાહત મેળવવા માટે કપૂરના તેલનો પણ ઉપયોગ કરી શકો છો. નિયમિતરૂપે કપૂરના તેલનો ઉપયોગ કરવાથી ઘુંટણના દુખાવાથી રાહત મળી શકે છે. એક ચમચી કપૂરના તેલમાં એક ચમચી નારિયેળનું તેલ મિશ્ર કરો. હવે તે ગરમ કરો. તેલ ઠંડુ થઈ જાય પછી દિવસમાં બે વાર તેનાથી ઘુંટણની માલિશ કરો. આ પ્રકારે કરવાથી ઘુંટણનો દુખાવો ઓછો થઈ જશે.
એપ્સમ સાલ્ટ- ઘુંટણના દુખાવા માટે એપ્સમ સાલ્ટને કારગર માનવામાં આવે છે. એપ્સમ સાલ્ટમાં મેગ્નેશિયમ અને સલ્ફેટ હોય છે, જેનાથી ઘુંટણનો દુખાવો ઓછો થાય છે. મેગ્નેશિયમથી સોજો ઓછો થાય છે. નહાવાના પાણીમાં એપ્સમ સાલ્ટ મિશ્ર કરીને નહાવું જોઈએ, જેથી બ્લડ ફ્લોમાં સુધારો થાય છે. ઉપરાંત પિપરમિંટ ઓઈલ અને લોબાના ઓઈલ પણ મિશ્ર કરી શકો છો.
(Disclaimer: આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાંત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.)
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
લોકસભા ચૂંટણી 2024 / 'વિરોધ કરે છે તે જ ભાજપ સાથે મળેલા' કોંગ્રેસે સસ્પેન્ડ કર્યા બાદ નિલેશ કુંભાણીએ વીડિયો જાહેર કર્યો
Lok Sabha Election 2024
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime