બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ધર્મ / gupt navratri 2023 begins from today luck will shine goddess durga shower grace

ઉપાય / આજથી અષાઢ માસની ગુપ્ત નવરાત્રીનો શુભારંભ: અપનાવો આ 5માંથી કોઇ એક ઉપાય, ખુલી જશે કિસ્મત

Manisha Jogi

Last Updated: 08:05 AM, 19 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મહા અને અષાઢ માસમાં ગુપ્ત નવરાત્રી આવે છે. ગૃહસ્થ જીવનમાં પ્રવેશ કરી ચૂકેવલ વ્યક્તિ સામાન્ય પ્રકારે ગુપ્ત નવરાત્રીની ઊજવણી કરે છે.

  • માઁ દુર્ગાની આરાધના માટે નવરાત્રી સર્વોત્તમ સમય
  • મહા અને અષાઢ માસમાં ગુપ્ત નવરાત્રીની ઊજવણી
  • આજથી ગુપ્ત નવરાત્રીની શરૂઆત

સનાતન ધર્મમાં માઁ દુર્ગાની આરાધના માટે નવરાત્રીને સર્વોત્તમ સમય માનવામાં આવે છે. હિંદુ પંચાંગ અનુસાર વર્ષમાં 4 વાર નવરાત્રી ઊજવવામાં આવે છે. બે નવરાત્રી મોટી હોય છે અને બે ગુપ્ત નવરાત્રી હોય છે. ચૈત્ર નવરાત્રીને મોટી નવરાત્રી ગણવામાં આવે છે. મહા અને અષાઢ માસમાં ગુપ્ત નવરાત્રી ઊજવવામાં આવે છે. ગૃહસ્થ જીવનમાં પ્રવેશ કરી ચૂકેવલ વ્યક્તિ સામાન્ય પ્રકારે ગુપ્ત નવરાત્રીની ઊજવણી કરે છે. તંત્ર વિદ્યાના જાણકાર વિશેષ પ્રકારે ગુપ્ત નવરાત્રીની ઊજવણી કરે છે. આજથી ગુપ્ત નવરાત્રીની શરૂઆત થઈ ગઈ છે અને 28 જૂનના રોજ સમાપ્તિ થશે. ગુપ્ત નવરાત્રીમાં જે ઉપાય કરવામાં આવે છે, તેને વિશેષ માનવામાં આવે છે, જે અંગે અહીંયા જાણકારી આપવામાં આવી છે. 

ગુપ્ત નવરાત્રીમાં કરવાના ઉપાય
લાલ રંગના ફૂલ અર્પણ કરો

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર માઁ દુર્ગાની વિશેષ કૃપા મેળવવા અને તમામ ઈચ્છા પૂર્ણ કરવા માંગો છો, તો ગુપ્ત નવરાત્રીમાં લાલ રંગના ફૂલ અર્પણ કરવા જોઈએ. આ પ્રકારે કરવાથી માઁ દુર્ગા પ્રસન્ન થાય છે અને તેમના આશીર્વાદ મળે છે. 

શૃંગારનો સામાન અર્પણ કરો
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ગુપ્ત નવરાત્રીમાં માઁ દુર્ગાને શૃંગારનો સામાન અર્પણ કરવામાં આવે છે. જેથી માઁ દુર્ગા સોહાગણ રહેવાના આશીર્વાદ આપે છે. 

લવિંગ અને કપૂરથી આરતી કરો
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ગુપ્ત નવરાત્રીમાં 9 દિવસ સુધી લવિંગ અને કપૂરથી આરતી કરવામાં આવે તો ઘરમાંથી નકારાત્મક ઊર્જા દૂર થાય છે અને સકારાત્મક ઊર્જાનો સંચાર થાય છે. જેથી ઘરનું વાતાવરણ સારું રહે છે. 

કરિઅરમાં સફળતા મેળવવાના ઉપાય
કરિઅરમાં સફળતા મેળવવા માંગો છો તો, જ્યોતિષ શાસ્ત્ર અનુસાર નવરાત્રી દરમિયાન નવમીના દિવસે 9 કન્યાઓને મખાનાની ખીર ખવડાવો અને દક્ષિણા આપો અને પગે લાગીને તેમના આશીર્વાદ મેળવો. 

નાણાંકીય લાભના ઉપાય
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ગુપ્ત નવરાત્રીમાં ઘરમાં 9 ગોમતી ચક્ર લાવીને માઁ દુર્ગાની સામે મુકી દો. નવરાત્રીના છેલ્લા દિવસે આ ચક્ર લાલ કપડામાં બાંધીને તિજોરીમાં રાખો, જેથી નાણાંકીય સમસ્યા થતી નથી. 

(DISCLAIMER: આ લેખમાં ધર્મને લગતી આ માહિતી માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે, તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ એ દરેકની આસ્થાનો વિષય છે. આથી અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. કોઈપણ પ્રકારની મુશ્કેલી સર્જાશે તો તે માટે VTV ગુજરાતી જવાબદાર નહીં રહે. આ લેખ માત્ર ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.)
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ