બ્રેકિંગ ન્યુઝ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો
લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર
Khyati
Last Updated: 12:55 PM, 5 January 2022
રાજ્યમાં કોરોનાના કેસ કૂદકેને ભૂસકે વધી રહ્યા છે. તેમાં પણ અમદાવાદમાં તો કોરોનાએ રફતાર પકડી છે. કોરોનાની ગાઇડલાઇનનો અમલ કરાવવા પોલીસ પણ કમર કસી રહી છે. તેવામાં ગુજરાત હાઇકોર્ટ પણ વધતા કેસને પગલે એલર્ટ મોડમાં જોવા મળી છે. હાઇકોર્ટ પ્રવેશ મેળવવાનો લઇને મોટો નિર્ણય કર્યો છે. વકીલો, કોર્ટ સ્ટાફ તથા અરજદાર અને પક્ષકારનો કોરોના રિપોર્ટ નેગેટીવ હશે તો જ પ્રવેશ મળશે. મહત્વનુ છે કે અગાઉ કોર્ટમાં કોરોના સંક્રમિત જજનું નિધન થયું હતું જેથી હાલની સ્થિતિ જોતા હાઇકોર્ટ દ્વારા આ પ્રકારનો નિર્ણય લેવામાં આવ્યો છે.
હાઇકોર્ટમાં પ્રવેશ માટેના ખાસ નિર્ણયો
કોર્ટ રૂમમાં માત્ર વકીલ જ રહેશે હાજર
રાજ્યમાં કોરોનાના કેસમાં વધારો થઇ રહ્યો હોવાથી સાવચેતી રાખવી આવશ્યક બને છે. કોરોનાને લીધે હાલ તો રાજ્યમાં કોઇ લોકડાઉન જેવી સ્થિત લાગુ કરવામાં આવી નથી પરંતુ કહેવાય છેને ચેતતા નર સદા સુખી. સાવચેતી ભર્યુ વલણ અપનાવો તો કોરોનાથી બચી શકાય છે. જે જોતા હાઇકોર્ટ દ્વારા કોર્ટ રૂમમાં વકીલને જ એન્ટ્રી આપવામાં આવશે. વકીલના જુનિયરને પણ કોર્ટ રૂમમાં એન્ટ્રી નહી આપવામાં આવે. આ ઉપરાંત હાઇકોર્ટની કેન્ટીન પણ બંધ રાખવામાં આવી છે.જેથી કોર્ટ પરિસરમાં સામાજિક અંતરનુ પાલન થાય અને કોરોના સંક્રમણની શક્યતા ઘટી જાય. ગુજરાત હાઇકોર્ટે રાજ્યની અન્ય કોર્ટને પણ સાવચેતી રાખવા નિર્દેશ કર્યો છે.
અમદાવાદમાં કોરોના કેસ 1000ને પાર
ગુજરાતમાં કોરોના બોમ્બ ફૂટ્યો હોય તેવુ લાગી રહ્યું છે. છેલ્લા 24 કલાકમાં 2265 કેસ કેસ સામે આવતા ત્રીજી લહેરની ઘાતક શરૂઆત થઈ ગઈ છે. મંગળવારે સૌથી વધુ અમદાવાદમાં 1314 કેસ નોંધાયા હતા. જ્યારે રાજ્યમાં ઓમિક્રોન વેરિએન્ટના 2 કેસ નોઁધાયા હતા જે બંને કેસ અમદાવાદમાં નોઁધાયા છે. આ સાથે જ ગુજરાતમાં ઓમીક્રોનના કેસનો આંકડો 154 પર પહોંચ્યો છે. તો આ તરફ વધતા કેસને પગલે તંત્ર દ્વારા માઈક્રો કન્ટેઈનમેન્ટ ઝોનમાં વધારો થઇ રહ્યો છે. મંગળવારે અમદાવાદ શહેરમાં વધુ 2 વિસ્તારોને માઈક્રો કન્ટેઈનમેન્ટમાં સમાવેશ કરાયો હતો.. જેમાં બોડકદેવ અને સૈજપુરનો સમાવેશ કરાયો છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
લોકસભા ચૂંટણી 2024 / 'વિરોધ કરે છે તે જ ભાજપ સાથે મળેલા' કોંગ્રેસે સસ્પેન્ડ કર્યા બાદ નિલેશ કુંભાણીએ વીડિયો જાહેર કર્યો
Lok Sabha Election 2024
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime