બ્રેકિંગ ન્યુઝ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો
લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર
VTV / Germany made a statement on Rahul Gandhi issue
Priyakant
Last Updated: 01:01 PM, 30 March 2023
રાહુલ ગાંધીની સંસદની સદસ્યતા રદ થયા બાદ હવે રાજકારણ ગરમાયું છે. તેવામાં હવે જર્મનીએ પણ રાહુલની સંસદ સદસ્યતા રદ કરવા પર પ્રતિક્રિયા આપી છે. વાત જાણે એમ છે કે, એક પ્રશ્નના જવાબમાં જર્મન વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ કહ્યું કે, તેઓને વિશ્વાસ છે કે રાહુલ વિરુદ્ધ કોઈપણ કાર્યવાહી ન્યાયિક સ્વતંત્રતાના દાયરામાં અને તેના મૂળભૂત અધિકારોને ધ્યાનમાં રાખીને કરવામાં આવી હશે.
જર્મનીના વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ મીડિયા સાથે વાત કરતા કહ્યું, અમારી જાણકરી મુજબ દોષિત સાબિત થયા પછી પણ રાહુલ ગાંધી પાસે ઉચ્ચ અદાલતોમાં અપીલ કરવાનો વિકલ્પ છે. પ્રવક્તાએ વધુમાં કહ્યું કે, અમને ખાતરી છે કે, રાહુલ ગાંધી પર કાર્યવાહી કરતી વખતે અથવા તેમની બાજુ સાંભળતી વખતે ન્યાયિક સ્વતંત્રતા અને તેમના (રાહુલના) મૂળભૂત અધિકારોનું ધ્યાન રાખવામાં આવશે.
Congress MP Digvijaya Singh thanked the German Foreign Affairs Ministry and Richard Walker for "taking note of how Democracy is being compromised in India through the persecution of Rahul Gandhi" pic.twitter.com/CRdQp5NouM
— ANI (@ANI) March 30, 2023
મહત્વનું છે કે, રાહુલ ગાંધીની સંસદની સદસ્યતા રદ થયા અનેક દેશોના નિવેદન સામે આવી રહ્યા છે. આ તરફ હવે જર્મનીએ પણ આ મામલે મોટું નિવેદન આપ્યું છે. જોકે અહી નોંધનિય છે કે, જર્મનીના વિદેશ મંત્રાલયના નિવેદન બાદ ભારતના વિદેશ મંત્રાલય દ્વારા હજુ સુધી કોઈ પ્રતિક્રિયા આપવામાં આવી નથી.
NEW: Rahul Gandhi case
— Richard Walker (@rbsw) March 29, 2023
German Foreign Ministry spokesperson comments for first time:
- Takes note of verdict, suspension from parliament
- Appeal will show whether verdict stands & suspension has basis
- Expects standards of judicial independence & democratic principles to apply pic.twitter.com/dNZB6vflG2
કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે શું કહ્યું હતું ?
રાહુલ ગાંધીની સદસ્યતા રદ કરવા પર કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે કહ્યું કે, તેમનું સંસદ સભ્યપદ રદ કરવું અથવા માનહાનિના કેસમાં તેમને દોષિત ઠેરવવો એ ભારતનો આંતરિક મામલો છે. આ દેશમાં સુપ્રીમ કોર્ટથી ઉપર કોઈ નથી અને આ માટે ન્યાયિક અને બંધારણીય સંસ્થાઓ છે.
રાહુલ ગાંધીનું સભ્યપદ કેમ રદ કરવામાં આવ્યું ?
સુરત જિલ્લા અદાલતે 23 માર્ચે રાહુલ ગાંધીને દોષિત ઠેરવ્યા હતા. મહત્વનું છે કે, કર્ણાટકમાં ચૂંટણી પ્રચાર દરમિયાન મોદી અટક વિશે આપેલા નિવેદન બદલ કોંગ્રેસના નેતા સામે 2019ના ફોજદારી માનહાનિના કેસમાં તેમને બે વર્ષની જેલની સજા ફટકારવામાં આવી હતી. આ તરફ બીજા જ દિવસે 24 માર્ચે લોકપ્રતિનિધિત્વ કાયદાને કારણે તેમનું લોકસભાનું સભ્યપદ રદ કરવામાં આવ્યું હતું.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh