બ્રેકિંગ ન્યુઝ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો
લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર
Manisha Jogi
Last Updated: 07:46 AM, 18 September 2023
સનાતન ધર્મમાં સૌથી પહેલા ભગવાન ગણેશની પૂજા કરવામાં આવે છે. ગણપતિ બપ્પાની આરાધના કરવા માટે અને તેમના આશીર્વાદ મેળવવા માટે ગણેશોત્સવ સર્વશ્રેષ્ઠ પર્વ માનવામાં આવે છે. આ વર્ષે 19 સપ્ટેમ્બરના રોજ મંગળવારથી ગણેશોત્સવની શરૂઆત થઈ રહી છે. આ દિવસે તમામ રાશિના જાતકોએ રાશિ અનુસાર ભગવાન ગણેશની મૂર્તિની સ્થાપના કરવી જોઈએ, જેથી તમામ સંકટ દૂર થાય છે. કઈ રાશિના જાતકોએ ભગવાન ગણેશની કઈ મૂર્તિની સ્થાપના કરવી જોઈએ, તે અંગે અહીંયા જણાવવામાં આવ્યું છે.
મેષ- જ્યોતિષશાસ્ત્ર અનુસાર આ રાશિના જાતકોએ ગણેશ ચતુર્થીના દિવસે ભગવાન ગણેશની લાલ અથવા ગુલાબી રંગની પ્રતિમા સ્થાપિત કરવી જોઈએ. આ દરમિયાન ગણેશજીને લાડવાનો ભોગ ધરાવો. જેથી ગણપતિબપ્પા પ્રસન્ન થઈને તમામ દુ:ખ દૂર કરશે.
વૃષભ- આ રાશિના જાતકોએ ગણેશ ચતુર્થીના દિવસે ભગવાન ગણેશની સામાન્ય પીળા રંગની પ્રતિમા સ્થાપિત કરવી જોઈએ. આ દરમિયાન ગણેશજીને મોદકનો ભોગ ધરાવો. આ પ્રકારે કરવાથી સુખ અને સમૃદ્ધિમાં વૃદ્ધિ થશે.
મિથુન- આ રાશિના જાતકોએ ગણેશ ચતુર્થીના દિવસે ભગવાન ગણેશની આછા લીલા રંગની પ્રતિમા સ્થાપિત કરવી જોઈએ. આ દરમિયાન ગણેશજીને મોદકનો ભોગ ધરાવો. આ ઉપાય કરવાથી બળ અને બુદ્ધિમાં વૃદ્ધિ થશે તથા નકારાત્મક ઊર્જા દૂર થશે.
કર્ક- આ રાશિના જાતકોએ ગણેશ ચતુર્થીના દિવસે ભગવાન ગણેશની સફેદ રંગની પ્રતિમા સ્થાપિત કરવી જોઈએ. આ દરમિયાન ગણેશજીને મોતીચૂરના લાડવાનો ભોગ ધરાવો. આ પ્રકારે કરવાથી ઘરમાં શાંતિ જળવાઈ રહેશે અને નોકરીમાં પ્રગતિ થશે.
સિંહ- આ રાશિના જાતકોએ ગણેશ ચતુર્થીના દિવસે ભગવાન ગણેશની સિંદૂરી રંગની પ્રતિમા સ્થાપિત કરવી જોઈએ. આ દરમિયાન ગણેશજીને પીળી બુંદીના લાડવાનો ભોગ ધરાવો. આ ઉપાય કરવાથી સમાજમાં માન સમ્માન વધશે.
કન્યા- આ રાશિના જાતકોએ ગણેશ ચતુર્થીના દિવસે ભગવાન ગણેશની ઘાટ્ટા લીલા રંગની પ્રતિમા સ્થાપિત કરવી જોઈએ. આ દરમિયાન ગણેશજીને નારંગી રંગના લાડવાનો ભોગ ધરાવો. આ ઉપાય કરવાથી બિઝનેસમાં નફો થશે.
તુલા- આ રાશિના જાતકોએ ગણેશ ચતુર્થીના દિવસે ભગવાન ગણેશની ચમકીલી પ્રતિમા સ્થાપિત કરવી જોઈએ. આ દરમિયાન ગણેશજીને મોદક અને રસમલાઈનો ભોગ ધરાવો. આ ઉપાય કરવાથી સંતાન સુખ મળી શકે છે.
વૃશ્વિક- આ રાશિના જાતકોએ ગણેશ ચતુર્થીના દિવસે ભગવાન ગણેશની લાલ અને સફેદ ધોતી પહેરેલ તથા હાથમાં લાલ કમળનું ફૂલ હોય તેવી પ્રતિમા સ્થાપિત કરવી જોઈએ. પ્રતિમા લાલ ગુલહડના ફૂલથી સજાવેલ હોવી જોઈએ. આ ઉપાય કરવાથી બિઝનેસમાં પ્રગતિ થશે.
ધન- આ રાશિના જાતકોએ ગણેશ ચતુર્થીના દિવસે ભગવાન ગણેશની પીળી અને નારંગી રંગની પ્રતિમા સ્થાપિત કરવી જોઈએ. ગણેશજીની પ્રતિમાના હાથમાં પીળા રંગનો લાડવો હોવો જોઈએ. આ દરમિયાન ગણેશજીને કેસરથી બનેલ ખીરનો ભોગ ધરાવો.
મકર- આ રાશિના જાતકોએ ગણેશ ચતુર્થીના દિવસે ભગવાન ગણેશની શ્યામ રંગની પ્રતિમા સ્થાપિત કરવી જોઈએ. પ્રતિમાની અપરાજિતાના ફૂલથી સજાવટ કરવી. આ ઉપાય કરવાથી તમામ સમસ્યા દૂર થશે.
કુંભ- આ રાશિના જાતકોએ ગણેશ ચતુર્થીના દિવસે ભગવાન ગણેશની ઊભી મુદ્રાવાળી પ્રતિમા સ્થાપિત કરવી જોઈએ અને વાદળી રંગની ધોતી અથવા વાદળી ખેસ હોવો જોઈએ. આ દરમિયાન ગણેશજીને બેસનના લાડવાનો ભોગ ધરાવો. આ ઉપાય કરવાથી બળ અને બુદ્ધિમાં વૃદ્ધિ થશે.
મીન- આ રાશિના જાતકોએ ગણેશ ચતુર્થીના દિવસે ભગવાન ગણેશની સફેદ રંગની પ્રતિમા સ્થાપિત કરવી જોઈએ. સ્થાપના કર્યા પછી દુર્વા અર્પણ કરો અને પીળા રંગની મિઠાઈનો ભોગ ધરાવો.. આ ઉપાય કરવાથી ભગવાન ગણેશના આશીર્વાદ પ્રાપ્ત થશે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
લોકસભા ચૂંટણી 2024 / 'વિરોધ કરે છે તે જ ભાજપ સાથે મળેલા' કોંગ્રેસે સસ્પેન્ડ કર્યા બાદ નિલેશ કુંભાણીએ વીડિયો જાહેર કર્યો
Lok Sabha Election 2024
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime