બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / બિઝનેસ / From pension to insurance under this scheme of the government, laborers will get many facilities, know

તમારા કામનું / પેન્શનથી લઇને વીમા સુધી...., સરકારની આ સ્કીમ અંતર્ગત મજૂરોને મળશે અનેક સુવિધાઓ, જાણો ફાયદા

Megha

Last Updated: 09:45 AM, 5 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અસંગઠિત ક્ષેત્રના કામદારો અને મજૂરોના લાભ માટે કેન્દ્ર સરકારે એક પોર્ટલ બનાવ્યું અને રજીસ્ટર કામદારોને 60 વર્ષ પૂર્ણ થવા પર પેન્શનના રૂપમાં આર્થિક સહાય આપવામાં આવે છે.

  • સરકાર અસંગઠિત ક્ષેત્રમાં કામ કરતા મજૂરો માટે ઈ-શ્રમ યોજના ચલાવી રહી છે. 
  • મજૂરો ઈ-શ્રમ કાર્ડ બનાવીને અનેક સરકારી યોજનાઓનો લાભ મેળવી શકે છે. 
  • ઈ-શ્રમ કાર્ડ બનાવવા માટે વેબસાઇટ eshram.gov.in પર રજીસ્ટ્રેશન કરાવો. 

કેન્દ્ર સરકાર અસંગઠિત ક્ષેત્રમાં કામ કરતા મજૂરોને સામાજિક સુરક્ષા આપવા માટે ઈ-શ્રમ યોજના (e-Shram Card) ચલાવી રહી છે. સરકારે કામદારો માટે ઈ-શ્રમ પોર્ટલ પણ શરૂ કર્યું છે. આ યોજનાનો ઉદ્દેશ્ય અસંગઠિત કામદારોનો ડેટાબેઝ એકત્રિત કરવાનો અને તેમને વિવિધ સરકારી યોજનાઓનો લાભ આપવાનો છે. અસંગઠિત ક્ષેત્રમાં કામ કરતા મજૂરો ઈ-શ્રમ કાર્ડ બનાવીને અનેક પ્રકારની સરકારી યોજનાઓનો લાભ મેળવી શકે છે.

કરોડો શ્રમિકોને મળશે નવી ઓળખ, જાણો ...

બે લાખનો વીમો મળે છે 
આ યોજના દ્વારા સરકાર 2 લાખ રૂપિયાના અકસ્માત વીમાનો લાભ આપે છે. દેશના તમામ અસંગઠિત ક્ષેત્રોમાં કામ કરતા કામદારો ઈ-શ્રમ કાર્ડ યોજનાનો લાભ મેળવી શકે છે. આ પોર્ટલ દ્વારા દેશના તમામ મજૂરોને એક પોર્ટલ પર જોડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. સરકાર ભવિષ્યમાં જે પણ યોજના શરૂ કરશે, તેનો લાભ કામદારોને ઈ-શ્રમ પોર્ટલ દ્વારા જ મળશે.

જણાવી દઈએ કે ઈ-શ્રમ કાર્ડ (E-Shram Card) માટે નિર્ધારિત લાયકાત ધરાવતા કામદારો અને મજૂરોએ ઈ-શ્રમ પોર્ટલ પર નોંધણી કરાવવી જરૂરી છે અને એ માટે ઈ-શ્રમ કાર્ડ બનાવવા માટે સત્તાવાર વેબસાઇટ eshram.gov.in પર જઈને નોંધણી કરાવી શકો છો. આ સિવાય CSC સેન્ટર પર જઈને પણ રજીસ્ટ્રેશન કરાવી શકો છો.

Topic | VTV Gujarati

દર મહિને મળશે પેન્શન 
ઈ-શ્રમ કાર્ડ (E-Shram Card) માટે નોંધણી કરવા માટે કામદારોને કેટલાક મહત્વપૂર્ણ દસ્તાવેજોની પણ જરૂર પડશે. જેમ કે - અરજદારનું આધાર કાર્ડ, આધાર સાથે લિંક કરવામાં આવેલ મોબાઈલ નંબર, બેંક એકાઉન્ટ નંબર. આવા દસ્તાવેજોના આધારે સરળતાથી ઈ-લેબર કાર્ડ માટે નોંધણી પ્રક્રિયા પૂર્ણ કરી શકાય છે. અસંગઠિત ક્ષેત્રના કામદારો અને મજૂરોના લાભ માટે કેન્દ્ર સરકારે એક પોર્ટલ પણ બનાવ્યું છે. જણાવી દઈએ કે આ યોજનામાં રજીસ્ટર કામદારોને 60 વર્ષ પૂર્ણ થવા પર પેન્શનના રૂપમાં દર મહિને 3000 રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવશે.

તમામ કામદારોને પોર્ટલ પર નોંધણી કર્યા પછી ઈ-શ્રમ કાર્ડ (E-Shram Card)આપવામાં આવશે. જેના દ્વારા તેઓ આ યોજનાઓનો લાભ લઈ શકશે. જણાવી દઈએ કે આ કાર્ડ 12 અંકનું હોય છે. 

વધુ વાંચો: સિનિયર સીટીઝનને આ સેવિંગ સ્કીમમાં મળે છે સૌથી વધુ રિટર્ન! કઈ રીતે ખુલશે ખાતું? કેટલું મળશે વ્યાજ?

ઈ-શ્રમ કાર્ડ (E-Shram Card)ના ફાયદા 
ઈ-શ્રમ પોર્ટલ પર રજીસ્ટર કામદારોને 2 લાખ રૂપિયા સુધીના અકસ્માત વીમાની સુવિધા આપવામાં આવે છે. 
જો અકસ્માતમાં કામદારનું મૃત્યુ થાય તો તેના પરિવારને 2 લાખ રૂપિયા આપવામાં આવશે. 
જો કામદાર અકસ્માતમાં આંશિક રીતે વિકલાંગ થઈ જાય તો તેને 1 લાખ રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવશે. 
રજીસ્ટર કામદારોને UAN આપવામાં આવશે જેમાં તેઓને સરકારી યોજનાનો લાભ મળી શકે છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ