બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / ગુજરાત / રાજકોટ / Four killed in horrific accident on Rajkot-Jamnagar highway

BIG BREAKING / રાજકોટ-જામનગર હાઇવે પર ગમખ્વાર અકસ્માતમાં ચારનાં મૃત્યુ, ટ્રેક્ટર સાથે ટક્કર બાદ કાર કચુંબર થઈ ગઈ

Malay

Last Updated: 10:48 AM, 19 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

RAJKOT ACCIDENT: રાજકોટ-જામનગર હાઇવે પર ગમખ્વાર અકસ્માત સર્જાતા 4 લોકોના ઘટના સ્થળે જ કરૂણ મોત નીપજ્યા છે. હાલ પોલીસે મૃતકોના મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલમાં ખસેડીને વધુ તપાસ હાથ ધરી છે.

 

  • રાજકોટ જિલ્લામાં ગમખ્વાર અકસ્માત
  • પડધરી પાસે ટ્રેકટર અને કાર વચ્ચે અકસ્માત
  • ભયાનક માર્ગ અકસ્માતમાં 4 લોકોના મોત

રાજકોટ-જામનગર હાઇવે પર પડધરી પાસે ટ્રેક્ટર અને કાર વચ્ચે જોરદાર ટક્કરમાં 4 લોકોના કમકમાટીભર્યા મોત નિપજ્યાં છે. ઘટનાની જાણ થતા તાત્કાલિક પોલીસની ટીમ ઘટના સ્થળે આવી પહોંચી હતી. પોલીસે જરૂરી કાર્યવાહી કરીને મૃતકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલમાં ખસેડ્યા છે.

કાર અને ટ્રેક્ટર વચ્ચે ધડાકાભેર અકસ્માત
મળતી માહિતી અનુસાર, રાજકોટના પડધરી પાસે પડધરી તરફ જઈ રહેલી કાર અને સામેથી આવતા ટ્રેક્ટર વચ્ચે ધડાકાભેર અકસ્માત સર્જાયો હતો. આ બનાવને પગલે રાહદારીઓના ટોળેટોળા અકસ્માત સ્થળે એકઠા થઈ ગયા હતા. સમગ્ર ઘટનાની જાણ પોલીસને થતાં પોલીસની ટીમ પણ દોડી આવી હતી. 

4 લોકોના કરૂણ મોત
આ અકસ્માતમાં 4 લોકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા છે. રાજકોટ-જામનગર હાઈવે પર ભયાનક માર્ગ અકસ્માતમાં અજય પ્રવીણ જોશી, હિમાંશુ પરમાર, કિરીટ ડોબરીયા અને અજય છગનભાઇનું મૃત્યુ નિપજ્યું છે. હાલ પોલીસ દ્વારા મૃતકોના પરિવારને જાણ કરી મૃતદેહ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.  

મહેસાણા જિલ્લામાં પણ સર્જાયો અકસ્માત
અત્રે ઉલ્લેખનીય છે કે, આજે મહેસાણાના નંદાસણ નજીક અકસ્માતમાં એક મહિલા અને એક બાળકનું મોત થયું છે. સુરતથી જોધપુર તરફ જતી લક્ઝરી બસના ડ્રાઈવરે મહેસાણાના નંદાસણ નજીક અચાનક સ્ટિયરિંગ પર કાબુ ગુમાવતા બસ પલટી મારી ગઈ હતી. જે બાદ રાહદારીઓના ટોળે ટોળા બનાવ સ્થળે એકઠા થઈ ગયા હતા. સ્થાનિકો દ્વારા આ અંગેની જાણ પોલીસને કરાતા પોલીસ અને 108ની ટીમ ઘટના સ્થળે તાત્કાલિક દોડી આવી હતી. ક્રેનની મદદ બસમાં સવાર મુસાફરોને બહાર કાઢવામાં આવ્યા હતા. 

2ના મોત અને 6 લોકો ઈજાગ્રસ્ત
આ દુર્ઘટનામાં એક મહિલા અને એક બાળકનું કરૂણ મૃત્યુ થયા હતા. તો આ ભયાનક અકસ્માતમાં 6 લોકો ઈજાગ્રસ્ત થયા છે. ઈજાગ્રસ્તોને સારવાર અર્થે કલોલની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. નોંધયનીય છે કે, સુરતથી જોધપુર તરફ જતી લક્ઝરી બસમાં 18થી 20 જેટલા મુસાફરો સવાર હતા. હાલ પોલીસ દ્વારા આ અંગે વધુ તપાસ કરવામાં આવી રહી છે. 
    
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ