બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024: ઓછા મતદાનથી રાજકીય પક્ષોની ચિંતા વધી, કોંગ્રેસે ચૂંટણી પંચ પાસે મતદાનનો સમય બદલવાની કરી માગ
મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ
લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન
લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા
લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું
લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા
VTV / ગુજરાત / રાજકોટ / Former syndicate member of Saurashtra University Kaladhar Arya suspended for breach of discipline
Malay
Last Updated: 09:32 AM, 24 February 2023
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પૂર્વ સિન્ડિકેટ સભ્ય કલાધર આર્યને શિસ્ત ભંગ બદલ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. સાથે જ કલાધાર આર્યના યુનિવર્સિટીમાં પ્રવેશ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. મહત્વનું છે કે, કલાઘર આર્ય દ્વારા યુનિવર્સિટીના ઈન્ચાર્જ કુલપતિ ડૉ.ગિરીશ ભીમાણી અને રજિસ્ટ્રાર અમિત પારેખને રૂ.1 કરોડના બદનક્ષીના દાવાની નોટિસ ફટકારવામાં આવી છે. જેના પગલે આ પ્રકરણ વધુ એકવાર કાનૂની એરણે ચડ્યું છે.
કલાધર આર્ય સસ્પેન્ડ
રાજકોટમાં આવેલી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં હમેશા કોઈનો કોઈ વિવાદ ચાલતો જ હોય છે. ત્યારે ફરી એક વખત સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ વિવાદમાં આવ્યા છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પૂર્વ સિન્ડિકેટ મેમ્બર કલાધર આર્યને શિસ્ત ભંગ બદલ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. કલાધાર આર્યનો યુનિવર્સિટીમાં પ્રવેશ નિષેધ કરવામાં આવ્યો છે. 23મી ફેબ્રુઆરીથી કેમ્પસમાં કુલપતિની મંજૂરી વિના પ્રવેશ પર પાબંધી લગાવવામાં આવી છે.
ઈન્ચાર્જ કુલપતિ અને રજિસ્ટ્રાર સામે કર્યો બદનક્ષીનો દાવો
તો સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પૂર્વ સિન્ડિકેટ સભ્ય ડો. કલાધર આર્યએ ઈન્ચાર્જ કુલપતિ ડૉ.ગિરીશ ભીમાણી અને રજિસ્ટ્રાર અમિત પારેખને બદનક્ષીની નોટિસ ફટકારી છે. બંનેને 1-1 કરોડની નોટિસ ફટકારવામાં આવી છે. ઈન્ચાર્જ કુલપતિ અને રજિસ્ટારે ખોટા દસ્તાવેજોનો સાચા દસ્તાવેજ તરીકે ઉપયોગ કરીને બદનામી કરી હોવાનો નોટિસમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
આર્યની નિમણૂકને ઠેરવી હતી ગેરકાયદે
આપને જણાવી દઈએ કે, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઇન્ચાર્જ કુલપતિ ગિરીશ ભિમાણીએ ગત જાન્યુઆરી મહિનામાં કલાધર આર્યને બોર્ડના સભ્યપદ, એકેડમિક કાઉન્સિલના સભ્ય અને સિન્ડિકેટ સભ્ય પદેથી હટાવી દીધા હતા. ગિરીશ ભિમાણીએ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સિન્ડિકેટ સભ્ય કલાધર આર્યની નિમણૂકને ગેરકાયદે ઠેરવી હતી. કાલાઘર આર્ય તબલા અને પરફોર્મિંગ આર્ટ્સના સદસ્ય હતા.
હું આ મામલે મુખ્યમંત્રી અને પ્રધાનમંત્રીને પણ રજૂઆત કરીશઃ આર્ય
આ મામલે કલાધર આર્યે જણાવ્યું હતું કે, 'નિયમ વિરુદ્ધ જઈ સભ્ય પદેથી મને હટાવવાનો આદેશ કર્યો છે. હું આ મામલે મુખ્યમંત્રી અને પ્રધાનમંત્રીને પણ રજૂઆત કરીશ. યુનિવર્સિટીમાં જે ખોટાં કામ કર્યા તેની સામે અવાજ ઉઠાવ્યો, મેં કર્મચારીઓની ભરતી સહિતનો મુદ્દો ઉઠાવ્યો હતો એટલે કિન્નાખોરી રાખીને કાર્યવાહી કરવામાં આવી છે.'
અગાઉ હાર્દિક ગોહિલે પણ કરી હતી ફરિયાદ
અત્રે ઉલ્લેખનીય છે કે, આ પહેલા યુનિવર્સિટીના પૂર્વ વિદ્યાર્થી હાર્દિક ગોહિલે ડૉ. આર્યની નિમણૂકને ગેરકાયદે હોવાની ફરિયાદ કરી હતી. ત્યારે યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ ડૉ.નીતિન પેથાણીએ આ નિમણૂકને યુનિવર્સિટીના અધિનિયમ પ્રમાણે કરી હોવાની સ્પષ્ટતા કરી હતી. જે બાદ તાજેતરમાં નંદાભાઈ કડમૂલે દ્વારા આ મામલે ગત 28મી ડિસેમ્બરે ઈનચાર્જ કુલપતિને રજૂઆત કરવામાં આવી હતી. તેમણે પોતાની રજૂઆતમાં કહ્યું હતું કે, પર્ફોર્મિંગ આર્ટસ ફેકલ્ટી બોર્ડના સભ્ય તરીકે ડૉ. આર્યની નિમણૂક યુનિવર્સિટીના એક્ટ વિરુદ્ધ છે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh