બ્રેકિંગ ન્યુઝ

logo
logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

VTV / Former rebels from Mizoram threatened the Meitai community

ડર / જીવ વ્હાલો હોય તો રાજ્ય છોડી દો: મણિપુરની ઘટનાના આ રાજ્યમાં પડ્યા પડઘા, જાણો કેમ લોકોને મળી રહી છે ધમકીઓ

Kishor

Last Updated: 04:53 PM, 22 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મિઝોરમના પૂર્વ વિદ્રોહીઓએ મેઇતેઈ સમુદાયને દાટી મારી જીવ વ્હાલો હોય તો રાજ્ય છોડી દેવા કહ્યું છે. જેને લઇ ચર્ચા જાગી છે.

  • મણિપુરની ઘટનાના પડઘા પડયા
  • મિઝોરમમાં મેઇતેઈ સમુદાયને ધમકીઓ મળતા ચકચાર
  • મિઝોરમના પૂર્વ વિદ્રોહીઓએ મેઇતેઈ સમુદાયને દાટી મારી

હિંસાના બોમ્બ ઉપર બેઠેલા મણિપુરમાં હિંસા વચ્ચે પડોશી મિઝોરમમાં મેઇતેઈ સમુદાયને ધમકીઓ મળતા ચકચાર મચી છે. મણિપુરની ઘટનાના પડઘા પડયા હોય તેમ જીવ વ્હાલો હોય તો રાજ્ય છોડી દો તેવી મિઝોરમના પૂર્વ વિદ્રોહીઓએ મેઇતેઈ સમુદાયને દાટી મારી હતી. જેને લઈને મિઝોરમ સરકાર પણ હરકતમાં આવી છે અને રાજધાની આઈઝોલમાં મેઇતેઈ સમુદાયના લોકો માટે સુરક્ષા વધારી દીધી છે. 

PAMRA એ મિઝો નેશનલ ફ્રન્ટનું પૂર્વ ઉગ્રવાદીઓનું સંગઠન છે

આઇઝોલ દ્વારા જાહેર કરાયેલા નિવેદનમાં ઉલ્લેખ કરાયો કે પીસ એકોર્ડ MNF રિટર્નીઝ એસોસિએશન (PAMRA) એ મેઇતેઇના લોકોને મિઝોરમ છોડવા કહ્યું હતું. કારણ કે પડોશી રાજ્યમાં જાતીય સંઘર્ષ આસમાને જોવા મળી રહ્યો છે. આવી સ્થિતિ વચ્ચે તાજેતરમા જ બે મહિલાઓની નગ્ન કરી ફેરવવામાં આવી હતી. જેને લઈને "મિઝો યુવાનોમાં ગુસ્સો ભડકે બળે છે.  નોંધનીય છે કે PAMRA એ મિઝો નેશનલ ફ્રન્ટનું પૂર્વ ઉગ્રવાદીઓનું બિન રાજકીય સંગઠન છે જે મિઝો શાંતિ સમજૂતીની તમામ કલમો લાગુ કરવાની માંગ કરી રહી છે.

PAMRAએ મિઝોરમના તમામ મેઇતેઈને તેમના વતન ફરવા જણાવ્યું

એક ખાનગી ન્યૂઝ ચેનલના અહેવાલ અનુસાર PAMRA દ્વારા કહેવામાં આવ્યું છે કે મણિપુર હિંસાને પગલે મિઝોરમમાં લાગણીઓને ઠેસ પહોંચી છે. સાથે જ આ સંગઠને ચેતવણી આપી છે કે જો મિઝોરમમાં મેઇતેઈ સમુદાયના લોકો પર કોઈ હિંસા થશે તો જવાબદારી તેઓ પોતે લેશે. જાણવા મળી રહ્યું છે કે મિઝોરમમાં પરિસ્થિતિ તંગ બની ગઈ છે અને મણિપુર યુવતી સાથે થયેલા દુર્વ્યવહાર અને બર્બરતાને પગલે મણિપુરના મેઈટીઓ માટે મિઝોરમમાં રહેવું સલામત નથી. તેવી સ્થિતિનું નિર્માણ થઇ રહ્યું છે. PAMRA મિઝોરમના તમામ મેઇતેઈને તેમના વતન ફરવા નિવેદનમાં જણાવાયું છે.


મિઝોરમમાં રહે છે હજારો મેઇતેઈ સમુદાયના લોકો

બીજી તરફ મિઝોરમ સરકારના સુત્રોમાંથી જાણવા મળી રહ્યું છે કે કોઈ પણ મેઇતેઈ વ્યક્તિને નુકસાન ન થાય તે દિશામાં કાર્યવાહી ચાલી રહી છે. મુખ્યમંત્રી જોરામથાંગાએ મણિપુરના એન બિરેન સિંહને મિઝોરમમાં મેઇતેઈ લોકોની સુરક્ષાની ખાતરી આપી છે. નોંધનીય છે કે મિઝોરમમાં હજારો મેઇતેઈ સમુદાયના લોકો રહે છે.જેમાં વિધાર્થીઓનો પણ સમાવેશ થાય છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ