બ્રેકિંગ ન્યુઝ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો
લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર
Kishor
Last Updated: 11:05 PM, 12 January 2023
રાજ્યમાં સરકારી ગોડાઉનમાંથી અનાજ સગેવગે થવાના કિસ્સાઓ છાશવારે સામે આવી રહ્યા છે ત્યારે આ મામલે સરકારનો પુરવઠા વિભાગ પણ સતર્ક બન્યો છે. જેને લઈને આજે રાજ્યના અન્ન નાગરિક પુરવઠામંત્રી કુંવરજી બાવળિયાએ તાકીદે બેઠક યોજી હતી. ગેરરીતિને લઈને મંત્રી બાવળિયાએ જિલ્લા પુરવઠા અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. જેમાં આ બાબતને ગંભીર ગણાવી અધિકારીઓ સાથે બેઠક કરી કડક સૂચનાઓ અપાઈ હતી. તો જિલ્લા પુરવઠા અધિકારીઓને જવાબદારો સામે પગલા લેવા પણ તાકીદ કરવામાં આવી હતી.
પૂરવઠા વિભાગના ગોડાઉન પર સીસીટીવી કેમેરા લગાવવાનું કાર્ય પ્રગતિમાં
ઉલ્લેખનિય છે કે અન્ન નાગરિક પુરવઠામંત્રી કુંવરજી બાવળિયાએ અધિકારીઓ સાથે બેઠક કરી અનાજમાં થતી ગેરરીતિ રોકવા 100 કરોડના ખર્ચે તમામ પુરવઠા વિભાગના ગોડાઉન પર સીસીટીવી કેમેરા લગાવવાનું કાર્ય પ્રગતિમાં હોવાનો ઉલ્લેખ કર્યો હતો. જે ટૂંક સમયમાં પૂર્ણ થશે જેનું સીધુ મોનિટરીંગ ગાંધીનગર ખાતેથી કરવામાં આવશે. ગાંધીનગર પુરવઠા કચેરીમાં સૌથી મોટી સ્ક્રીન મુકાઈ હોવાનું ઉપરાંત જિલ્લા પુરવઠા અધિકારી દ્વારા પણ મોનીટરીંગ કરશે. તે અંગે વિગતો આપી હતી.
પોરબંદરના રાણાવાવમાં અનાજ કૌભાંડ
ઉલ્લેખનીય છે કે પોરબંદરના રાણાવાવમાંથી અનાજનું મસમોટું કૌભાંડ બહાર આવ્યું છે. જેમાં રાણાવાવના સસ્તા અનાજના ગોડાઉનમાંથી અનાજના મસમોટા જથ્થાની ઘટ સામે આવતા ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા છે અને તપાસ શરૂ કરી હતી. આ દરમિયાન રાણાવાવ સરકારી ગોડાઉન ખાતેથી ઘઉં, ચોખા અને ખાંડના મોટા જથ્થાનો હિસાબ મળતો ન હતો. એટલું જ નહીં ઓડિટ દરમિયાન ગોડાઉનમાંથી ઘઉંના 7000 કટ્ટા, ચોખા અને ખાંડના 22 કટ્ટાનો હિસાબ ન મળતા અંદાજે 1 કરોડ રૂપિયાનું કૌભાંડ થયાનું સામે આવ્યું છે.
થોડા દિવસો અગાઉ વડોદરામાંથી બહાર આવ્યું હતું અનાજ કૌભાંડ
બીજી બાજુ તાજેતરમાં વડોદરામાંથી અનાજ કૌભાંડ બહાર આવ્યું હતું જે સમગ્ર કૌભાંડ આધાર અને ફિંગર પ્રિન્ટ વ્યવસ્થાના કારણે બહાર આવ્યું હતું. એક જ કાર્ડધારકના નામે અન્ય દુકાનમાંથી પણ પુરવઠો લેવાયાની આશંકા સામે આવી હતી. આથી થમ્બ ડિવાઈસ અને લેપટોપના અલગ અલગ દુકાનમાં ઉપયોગ થયો હોવાની આશંકા સેવાઈ હતી. કૌભાંડ બહાર આવ્યા બાદ રાજ્ય સરકારે સસ્તા અનાજની 12 દુકાનોમાં તપાસ કરવાનો આદેશ આપ્યો હતો.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh