બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / સુરત / Five persons cut short their lives in a single day in Surat

દુ:ખદ / બાપ રે! સુરતમાં એક જ દિવસમાં પાંચ વ્યક્તિઓએ જીવન ટૂંકાવ્યું, કારણો ચોંકાવનારા

Priyakant

Last Updated: 09:05 AM, 21 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Surat News: સુરત શહેરમાં એક જ દિવસમાં પાંચ વ્યક્તિઓએ જીવન ટૂંકાવી દીધું, બે વ્યક્તિઓ બિમારીથી કંટાળી તો અન્ય એક વ્યક્તિએ નોકરી છૂટી જવાથી કરી આત્મહત્યા

  • સુરત શહેરમાં આપધાતના કિસ્સામાં વધારો
  • એક દિવસમાં 5 લોકોએ જીવન ટુંકાવ્યુ
  • બે વ્યક્તિઓ બિમારીથી કંટાળીને આત્મહત્યા
  • એક વ્યક્તિએ નોકરી છૂટી જવાથી કરી આત્મહત્યા

સુરતમાં આપઘાતનાં કિસ્સાઓમાં ચોંકાવનારો વધારો થયો હોય તેવી સ્થિતિ બની છે. વાત જાણે એમ છે કે, સુરત શહેરમાં એક જ દિવસમાં પાંચ વ્યક્તિઓએ જીવન ટૂંકાવી દીધું છે. આ તમામ લોકોએ કોઈને કોઈ કારણ આત્મહત્યા કરી લેતા ચકચાર મચી ગઈ છે. મહત્વનું છે કે, આ બનાવો સુરત શહેરનાં જકાતનાકા, રામપુર, સચિન અને ડીંડોલી વિસ્તારમાંથી સામે આવ્યા છે. 

ડાયમંડ નગરી સુરતમાં એક જ દિવસમાં 5 વ્યક્તિઓએ આત્મહત્યા કરી લીધી છે. માહિતી મુજબ સુરતમાં જકાતનાકા વિસ્તારમાં બે લોકોએ આપધાત કરી લીધો છે. જેમાં પેટની તકલીફના કારણે હેમાબેન ભંડેરીએ કંટાળીને જીવન ટૂંકાવી દીધું છે. આ સાથે આ જ વિસ્તારમાં હિરાના વ્યવસાય સાથે જોડાયેલા ભૌતિક નાકરાણીનો પણ આપધાત કરી લીધો છે. 

આ સાથે સુરતના રામપુરામાં બળવંતભાઈ દિલ્લીવાળાએ આપધાત કરી લીધો છે. વિગતો મુજબ માનસિક બિમારીથી પીડાતા બળવંતભાઈએ ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવી લીધું હતું. આ તરફ સુરતનાં સચિન વિસ્તારમાં નોકરી છૂટી જવાથી રૂપેશ નામના વ્યક્તિએ મોતને વ્હાલું કર્યું છે. તો ડીંડોલી વિસ્તારમાં એક અજાણ્યા ઈસમે ફાંસો ખાઈ આત્મહત્યા કરી છે. જેમાં ખુલ્લા ખેતરમાં ફાંસો ખાધેલી હાલતમાં લાશ મળી આવી છે.

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ