બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / વિશ્વ / Firoz Merchant indian philanthropist donates rs 225 cr to free 900 prisoners in the uae

મદદ / દુબઈમાં રહેતા આ ભારતીય બિઝનેસમેને 900 કેદીઓને જેલમાંથી છોડાવ્યા, કરી કરોડોની મદદ

Arohi

Last Updated: 11:31 AM, 27 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Firoz Merchant: એક ભારતીય બિઝનેસમેને સંયુક્ત અરબ અમીરાતની જેલોમાં બંધ 900 કેદીઓને છોડાવ્યા છે. અત્યાર સુધી તે ભારત સહિત વિવિધ દેશોના 20 હજાર કેદીઓની મદદ કરી ચુક્યા છે. જેથી જેલમાંથી છુટ્યા બાદ તે પોતાના પરિવારને મળી શકે.

ખાડી દેશોમાં લાખોની સંખ્યામાં ભારતીય રહે છે. અહીંની દેલોમાં પણ ઘણા ભારતીય કેદ છે પરંતુ દર વર્ષે રમજાનના પવિત્ર મહિના પહેલા ઘણા કેદીઓને છોડી મુકવામાં આવે છે. એક ભારતીય વેપારીએ 900 લોકોને કેદમાંથી છોડાવવા માટે 2.25 કરોડ રૂપિયાનું દાન આપ્યું છે. 

પ્યોર ગોલ્ડના માલિક 66 વર્ષીય ફિરોઝ મર્ચન્ટે સંયુક્ત અરબ અમીરાતના અધિકારીઓને દસ લાખ દિરહમ એટલે કે 2.25 કરોડ રૂપિયાનું દાન આપ્યું. તેમના કાર્યાલયે એક નિવેદનમાં જણાવ્યું, "દુબઈ સ્થિત પ્રમુખ ભારતીય વ્યવસાયી અને પ્યોર ગોલ્ડ પરોપકારી ફિરોઝ મર્ચન્ટે અરબ દેશોની જેલોથી 900 કેદીઓને છોડાવ્યા અને લગભગ 2.25 કરોડ રૂપિયાનું દાન આપ્યું છે."

યુએઈમાં 900 કેદીઓ છોડવામાં આવ્યા 
2008માં સ્થાપિત ધ ફોરગોટન સોસાયટી પહેલ હેઠળ મર્ચન્ટે 2024ની શરૂઆતથી જ સંયુક્ત અરબ અમીરાતમાં 900 કેદીઓને છોડવામાં મહત્વપૂર્ણ ભુમિકા નિભાવી છે. જેમાં અજમાનના 495 કેદી, ફુજેરાહના 170 કેદી, દુબઈના 121 કેદી અને 69 કેદીઓને છોડવામાં આવ્યા. ઉમ્મ અલ ક્વેનના કેદી અને રાસ અલ ખેમાના 28 કેદી પણ છોડી મુકવામાં આવ્યા છે. 

વધુ વાંચો: ભારતના આ રાજ્યમાં 100 વર્ષની ઉંમર પાર કરશે 21 હજાર લોકો, રિપોર્ટમાં ચકિત કરે તેવો ખુલાસો

20 હજાર કેદીઓની કરી મર્ચન્ટે મદદ
સંયુક્ત અરબ અમીરાતની કેન્દ્રી જિલ્લાના પોલીસ મહાનિર્દેશકોની સાથે મળીને, મર્ચન્ટે છેલ્લા થોડા વર્ષોમાં વિવિધ સમુદાયો, રાષ્ટ્રીયતાઓ અને ધર્મોના 20,000થી વધારે કેદીઓને છોડવામાં આવ્યા. તે તેમનું દેવું ચુકવે છે અને તેમના દેશ પરત જવા માટે તેમની ફ્લાઈટ ટિકિટોની પણ વ્યવસ્થા કરે છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ