બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો
લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર
રાહુલ ગાંધીના રાજા-મહારાજાઓ અંગેના નિવેદન મુદ્દે સી.આર.પાટીલે આપી પ્રતિક્રિયા, રાજા-મહારાજાઓને થયેલા અનુભવોથી જ તેઓ કોંગ્રેસથી દૂર થયા
તારક મહેતાના 'સોઢી'નો ગુમ થયા બાદ પહેલી વખત સામે આવ્યો CCTV ફૂટેજનો વીડિયો
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Farmers forced to work in the cold without electricity in the morning
Priyakant
Last Updated: 02:09 PM, 31 December 2022
ગુજરાતમાં ઠંડીની સિઝન શરૂ થવાની સાથે જ હવે ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. સરકારે દિવસની લાઈટની જાહેરાત તો કરી હતી પણ અરવલ્લી જિલ્લામાં ઘણા ગામડાઓમાં રાત્રે લાઇટ આવે છે. અત્યારે હાલ અરવલ્લી સહિત સમગ્ર રાજ્યમાં કડકડતી ઠંડી પડી રહી છે. તો પણ રાત્રિના પાણીના કારણે જગતનો તાત ઠંડીમાં પાણી વાળવા મજબૂર બન્યો છે. જોકે ખેડૂતોની માંગ છે કે, સરકાર દ્વારા ઠંડીની ઋતુમાં દિવસે લાઈટ આપવામાં આવે. આ તરફ કૃષિમંત્રીએ જણાવ્યું હતું કે, હું પણ ખેડૂત છું મેં પણ રાત્રે પાણી વાળ્યા છે. ખેડૂતોને દિવસે વીજળી માટે પૂરતા પ્રયત્નો કરાઈ રહ્યા છે.
અરવલ્લીના મોડાસા તાલુકાના ખેડૂતો પરેશાન
અરવલ્લી જિલ્લામાં શિયાળાની કડકડતી ઠંડીમાં ગરમાવો જોવા મળી રહ્યો છે ત્યારે VTV ની ટીમ રાત્રિ દરમિયાન મોડાસા તાલુકાના કોલીખડ ગામ નજીક ખેતરે પહોંચી હતી. અહી સિંચાઈ માટે વિજતંત્ર દ્વારા આપવામાં આવતી વીજળી દિવસના બદલે રાત્રે આપવામાં આવતા ખેડૂતવર્ગ આ કડકડતી ઠંડીમાં ખેતરમાં ઠૂંઠવાઇ જવા મજબુર બન્યો છે.
એકબાજુ જિલ્લામાં કિસાન સૂર્યોદય યોજનાનો અમલ બહુ સારી રીતે થઈ રહ્યો હોવાના નેતાઓ અને અધિકારીઓ વાજા વગાડી રહ્યા છે. પરંતુ વાસ્તવિકતા જોઈએ તો દિવસે ખેતી વિષયક વીજળી આપવાની ખેડૂતોની માંગ પૂર્ણ કરવામાં ન આવતા રવીપાક બચાવવા ખેડૂતોને ફરજિયાત પણે ઉજાગરા વેઠવા પડી રહ્યા છે. જેને લઈ હવે ખેડૂતોની પુનઃ માંગ છે કે, જિલ્લાના હજારો ખેડૂતોના હિતમાં સત્વરે તંત્ર દ્વારા દિવસે વીજળી આપવાનો નિર્ણય લેવામાં આવે.
શું કહેવું છે કૃષિમંત્રીનું ?
આ તરફ હવે ખેડૂતોને દિવસે વીજળી આપવા મુદ્દે કૃષિમંત્રી રાઘવજી પટેલનું નિવેદન સામે આવ્યું છે. રાઘવજી પટેલે કહ્યું કે, હું પણ ખેડૂત છું મેં પણ રાત્રે પાણી વાળ્યા છે. રાજ્યના ખેડૂતોને દિવસે વીજળી માટે પૂરતા પ્રયત્નો કરાઈ રહ્યા છે. ખેડૂતોને દિવસે વીજળી મળે તે માટે બીજા ફેઝનું કામ ચાલુ છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh