બ્રેકિંગ ન્યુઝ
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો
લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર
રાહુલ ગાંધીના રાજા-મહારાજાઓ અંગેના નિવેદન મુદ્દે સી.આર.પાટીલે આપી પ્રતિક્રિયા, રાજા-મહારાજાઓને થયેલા અનુભવોથી જ તેઓ કોંગ્રેસથી દૂર થયા
Khyati
Last Updated: 03:20 PM, 6 April 2022
એક તરફ ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે તો બીજી તરફ કોંગ્રેસમાં નારાજગી હોવાનું ધીરે ધીરે સપાટી પર આવી રહ્યું છે. ત્યારે ફરી એકવાર
અહેમદ પટેલના પુત્રએ ટ્વિટ કરીને કોંગ્રેસ પ્રત્યે પોતાનું વલણ વધારે સ્પષ્ટ કર્યુ છે.
ફૈઝલ પટેલે કરી સ્પષ્ટતા
ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસના દિવગંત નેતાના પુત્ર ફૈઝલ પટેલે હાઇકમાન્ડ પ્રત્યે નારાજગી વ્યક્ત કરતા રાજકારણ ગરમાયુ હતું, ટ્વિટ કર્યુ હતુ તેમાં ઓપ્શન ખુલ્લા હોવાનું પણ જણાવ્યુ હતું જે બાદ એવી પણ અટકળો લગાવવામાં આવી હતી કે તેઓ કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાશે.પરંતુ આજે ફરી એકવાર તેમણે ટ્વિટ કરીને સ્પષ્ટતા કરી છે કે મારા માટે ઓપ્શન ખુલ્લા છે તેનો મતલબ એવો પણ હોઇ શકે છે કે પબ્લિક લાઇફ કાયમ માટે છોડવાનુ વિચારી રહ્યો છું. વધુમાં એમ પણ જણાવ્યું કે કોઇ પણ ઓળખાણ વિના કામ કરીને તથા ગરીબોને મદદ કરીને થાકી ગયો છું.
Keeping my options open’ could mean I’m thinking of quitting public life forever. Tired of working and helping the poor and needy without any recognition.@INCIndia
— Faisal Patel (@mfaisalpatel) April 6, 2022
5 એપ્રિલે નારાજગી કરી હતી વ્યક્ત
કોંગ્રેસના દિવગંત નેતા અહેમદ પટેલના પુત્ર ફૈઝલ પટેલે ટ્વિટ કરીને ખળભળાટ મચાવ્યો હતો.. ફૈઝલ પટેલે ટ્વિટ કરીને કોંગ્રેસથી નારાજગી વ્યક્ત કરી હતી. તેઓએ ટોચની લીડરશિપ સામે નારાજગી દર્શાવી અને સાથે એમ પણ લખ્યુ કે જવાબદારી અંગે રાહ જોઇને હું થાક્યો. આ ઉપરાંત ઉપરી નેતાગીરી તરફથી કોઇ પ્રોત્સાહન પણ ન મળતુ હોવાનો ટ્વિટમાં ઉલ્લેખ કર્યો હતો. સાથે જ તેઓએ અન્ય વિકલ્પ પણ ખુલ્લા હોવાની વાત લખી હતી.
કોંગ્રેસ હાઇકમાન્ડનું તરફથી કોઇ પ્રતિક્રિયા નહી
છેલ્લા બે દિવસથી ફૈઝલ પટેલે દ્વારા કોંગ્રેસ પ્રત્યે ટ્વિટ કરવામાં આવી રહ્યું છે.આજદિન સુધી કોઇ જવાબદારી ન સોંપાતા તેઓએ કોંગ્રેસ પ્રત્યે નારાજગી વ્યક્ત કરી હતી. જોકે આ મામલે હાઇકમાન્ડ તરફથી કોઇ પ્રતિક્રિયા આપવામાં આવી નથી. કે નથી ફૈઝલ પટેલને હાઇકમાન્ડે તેડુ મોકલ્યુ. ત્યારે આવનારા દિવસોમાં જોવુ એ રહેશે કે વિધાનસભાની ચૂંટણીને ધ્યાને રાખીને ફૈઝલ પટેલને કોઇ મહત્વની કામગીરી સોંપવામાં આવશે કે નહી ?
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh