બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / સુરત / Explanation of the case of finding the dead body of a young man from a flat in Daman

ક્રાઈમ / દમણના ફ્લેટમાંથી યુવાનની લાશ મળવાને મામલે ખુલાસો, ઘટના વખતે હાજર હતી પત્ની-પુત્રી, લાશ સાથે રહ્યાં

Vishal Khamar

Last Updated: 10:01 PM, 20 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દમણમાં આવેલી ગોકુળધામ સોસાયટીમાં એક એપાર્ટમેન્ટમાં યુવકનો તેના ઘરમાં જ મૃતદેહ મળી આવ્યો છે. આ PM પેનલ રિપોર્ટમાં હત્યા થઈ હોવાનું સામે આવ્યુ છે.

  • ફલેટમાંથી યુવકનો મૃતદેહ મામલે પત્ની સામે શંકા
  • પેનલ PM રિપોર્ટમાં હત્યા થઇ હોવાનું સામે આવ્યું
  • મૃતકની પત્ની મમતા બેનર્જીની શરૂ કરી પૂછપરછ

 રાજ્યના  પડોશમાં આવેલા સંઘપ્રદેશ દમણના ખારીવાડમાં એક ફ્લેટમાંથી એક યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો. સંજીવ  બનર્જી નામના ઈસમ ના મૃતદેહ  પર ઈજાના અનેક નિશાન જોવા મળ્યા હતા. આથી મૃતકની હત્યા થઈ હોવાનું આશંકા સેવાઈ રહે છે. ચોકાવનારી વાત એ છે કે મૃતદેહ મળ્યો  ત્યારે સંજીવ ની પત્ની  મમતા બનર્જી પણ ઘરમાં હાજર હતા. આથી મૃતક સંજીવ ના મોત  નું સાચું કારણ શોધવા દમણ પોલીસે પણ ચક્રોગતિમાન કર્યા  છે .ત્યારેસમગ્ર દમણ માં ટોક ઓફ ઘી  ટાઉન બનેલ સંજીવ ના મોત  નું કોયડું ઉકેલવા દમણ પોલીસે પેનલ પોસ્ટમોર્ટમ કરવા  કવાયત હાથ ધરી છે .

મહિલાએ પોલીસ મથકે જઈ પતિના મોત અંગેની જાણ કરી

દમણના ખારીવાડ વિસ્તારમાં આવેલા ગોકુલધામ એપાર્ટમેન્ટના સાતમા માળે એક ફ્લેટમાં રહેતા સંજીવ બેનરજીની ફ્લેટમાં સંકાસ્પદ  હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. અડધી રાત્રે ફ્લેટમાંથી બિલ્ડીંગમાં પાણી ટપકી રહ્યું હતું. લાબા સમય સુધી પાણી નીકળતા બિલ્ડીંગનો વોચમેન ફ્લેટ પર જઈ અને પાણી અંગે પૂછતા ફ્લેટમાં રહેતા મમતા બેનરજી નામની મહિલાની વર્તુણક શંકાસ્પદ લાગી હતી .બીજા દિવસે મહિલા પોલીસ સ્ટેશન જઈ અને ફ્લેટમાં પતિના મોત અંગે જાણ કરી હતી.આથી પત્ની મમતા બેનરજી ને સાથે રાખી પોલીસની ટીમ ફ્લેટ પર પહોંચી હતી.અને તપાસ કરતા ફ્લેટમાં અસહ્ય દુર્ગંધ મારતી લાશ મળી આવી હતી.આથી પોલીસે મૃતદેહનો કબજો લઈ ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી હતી.

સંજીવની હત્યાને લઈ અનેક સવાલ ઉભા થઈ રહ્યા છે

મૃતક સંજીવ  બેનર્જીના મમતા સાથે બીજા લગ્ન છે .આ લગ્ન થાકી ટૂંકા ગાળામાં મમતા 2 બાળકોની માતા પણ બની હતી .તાજેતરમાં જ એક દીકરીની માતા બન્યાને માત્ર 15 દિવસ વીત્યા છે .અને અચાનક  મમતા  ગઈકાલે  દમણ પોલીસ સ્ટેશન પહુંચી હતી .તેના  પતિ સંજીવના મોત  થયાની  પોલીસને જાણ કરી હતી .દમણ પોલીસ અને મમતા  ત્યારબાદ  ગોકુલ ધામ સોસાયટી પહુંચી હતી .દમણ પોલીસ ફ્લેટ 708 નંબરના ફેલ્ટમાં પહુંચી ત્યારે  સમગ્ર ફ્લેટ માંથી દુર્ગંધ આવી રહી હતી . મૃતકના શરીર પર ઈજાના અનેક નિશાન હતા. આથી મૃતકની હત્યા થઈ હોવાની આશંકા સેવાઈ રહી છે. અતિ પોલીસે મૃતકની પત્નીના નિવેદન અને પડોશીઓના નિવેદનના આધારે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે. હાલે આ મામલે દમણ પોલીસ પેનલ પોસ્ટ મોર્ટમની  રાહ જોઈ રહી છે ,પોલીસના મતે  પ્રાથમિક તાપસમાં  સંજીવની હત્યાને લઇ અનેક સવાલ ઉભા થઇ રહયા છે. જોકે મોતનું સાચું કારણ જાણવા દમણ પોલીસે મૃતદેહના પેનલ પોસ્ટમોર્ટમ કરી અને એફએસએલની મદદથી ઊંડાણપૂર્વક  તપાસ શરૂ કરી છે.

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ