બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

logo

રાહુલ ગાંધીના રાજા-મહારાજાઓ અંગેના નિવેદન મુદ્દે સી.આર.પાટીલે આપી પ્રતિક્રિયા, રાજા-મહારાજાઓને થયેલા અનુભવોથી જ તેઓ કોંગ્રેસથી દૂર થયા

VTV / ગુજરાત / અમદાવાદ / વડોદરા / Ex-MLA Kanti Parmar's blistering allegation on VIP darshan at Dakor temple

આક્ષેપો / 'ટ્રસ્ટીઓ એમના સ્વાર્થ માટે ભક્તો પાસેથી રૂપિયા ઉઘરાવે છે', ડાકોર મંદિરમાં VIP દર્શન પર પૂર્વ MLA કાંતિ પરમારનો સણસણતો આરોપ

Vishal Khamar

Last Updated: 10:39 PM, 28 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

યાત્રધામ ડાકોર મંદિરમાં VIP દર્શન વિવાદ મામલે પૂર્વ ધારાસભ્ય કાંતિ પરમાર દ્વારા નિવેદન આપ્યું છે. ત્યારે પૂર્વ ધારાસભ્ય દ્વારા મંદિરનાં ટ્રસ્ટ્રીઓ પર કટકી કરવાનો આરોપ લગાવ્યો છે. તેમજ મંદિર ટ્રસ્ટ અને સંચાલકોને માત્ર રૂપિયા એકત્ર કરવામાં અને વહીવટમાં જ રસ છે તેવા આક્ષેપો કર્યા છે.

  • યાત્રાધામ ડાકોર મંદિરમાં VIP દર્શન વિવાદ મામલે નિવેદન
  • VIP દર્શન વિવાદ મામલે પૂર્વ ધારાસભ્ય કાંતિ પરમારનું નિવેદન
  • પૂર્વ ધારાસભ્યએ મંદિરના ટ્રસ્ટીઓ પર કટકી કરવાનો આરોપ લગાવ્યો
  • ડાકોર અને ગુજરાતમાં રૂપિયાથી દર્શન ન હોવા જોઈએ: કાંતિ પરમાર

 પ્રસિદ્ધ યાત્રાધામ ડાકોર ખાતે રણછોડરાયનાં VIP દર્શન કરવા માટે રૂ. 500 ચૂકવવા પડશે. જે નિર્ણયનો હિંન્દુ સંગઠનો દ્વારા વિરોધ કરાયો હતો. જ્યારે ભક્તો દ્વારા અલગ અલગ નિવેદન આપવામાં આવતા હતા. ત્યારે ડાકોરમાં VIP  દર્શન મામલે પૂર્વ ધારાસભ્ય કાંતિ પરમારે નિવેદન આપ્યું છે કે, મંદિરનાં ટ્રસ્ટ્રીઓ એમનાં સ્વાર્થ માટે રૂપિયા ઉઘરાવવાની વાત કરે છે. તેમજ પૂર્વ ધારાસભ્ય દ્વારા તો મંદિરનાં ટ્રસ્ટ્રીઓ પર કટકી કરવાનો આરોપ લગાવ્યો છે. 
મંદિર ટ્રસ્ટ અને સંચાલકોને માત્ર રૂપિયા એકત્ર કરવા અને વહીવટમાં જ રસઃ કાંતિ પરમાર
ત્યારે વધુમાં કાંતિ પરમારે જણાવ્યું હતું કે, ડાકોર અને ગુજરાતમાં રૂપિયાથી દર્શન હોવા જોઈએ. મંદિર પાસે ઘણા રૂપિયા છે છતાં ભક્તોને કોઈ સુવિધા અપાતી નથી. મંદિર ટ્રસ્ટ અને સંચાલકોને માત્ર રૂપિયા એકત્ર કરવા અને વહીવટમાં જ રસ છે. ત્યારે ડાકોર મંદિર કમિટીનો નિર્ણય તદ્દન ખોટો છે તેને તાત્કાલિક રદ્દ કરવો જોઈએ. મંદિર કમિટીનાં નિર્ણયનો ક્ષત્રિય સંગઠનો- સરપંચ તેમજ એસોસિએશન દ્વારા વિરોધ કર્યો છે. 

શું છે સમગ્ર મામલો
ડાકોરમાં મંદિરની કમિટીના વિવાદિત નિર્ણય પ્રમાણે હવે ભક્તોએ રણછોડ રાયના નજીકથી દર્શન માટે રૂ.500 ચૂકવવા પડશે. આ સાથે મહિલાઓની લાઈનમાં પુરૂષે જઈ દર્શન કરવા હોય તો 250 રૂપિયા ચાર્જ વસૂલાશે. મહિલાઓ માટેની દર્શનની જાળીએથી પુરુષે દર્શન કરવા હોય તો 250 રૂપિયા ન્યોછાવર પેટે ચાર્જ વસુલાશે. જોકે ગઈકાલે આ નિર્ણયના પ્રથમ દિવસે ગુરુવારે 7 દર્શનાર્થીઓ 500 રૂપિયા અને 3 વ્યક્તિ 250 રૂપિયા ચાર્જ ચૂકવી VIP દર્શન કર્યા હતા.


સંગઠન દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું
હિન્દુ સંગઠનોના યુવાનો અને ઠાસરા તાલુકાના સરપંચ એસોસિએશનના સરપંચો ડાકોર મંદિર ખાતે પહોંચ્યા હતા. જ્યાં તેઓએ  ‘ભગવાન તો પ્રેમના ભૂખ્યા તમે પૈસાના ભૂખ્યા’ના નારા સાથે ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું.  જે બાદ તેઓએ મંદિરના મેનેજરને આવેદનપત્ર આપ્યું હતું. મંદિર કમિટી દ્વારા નિર્ણય પાછો ખેંચવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ