બ્રેકિંગ ન્યુઝ
ADVERTISEMENT
હિંદૂ ધર્મમાં ભગવાનનાં પૂજા-પાઠનો અનેરો મહિમા હોય છે. આપણને પૂજા દરમિયાન ઘણી વખત એવા સંકેત પણ મળે છે જે ધાર્મિક દ્રષ્ટિએ ઘણાં શુભ માનવામાં આવે છે. જ્યારે પૂજા દરમિયાન કોઈ વ્યક્તિ પર ભગવાનનાં ફોટા કે મૂર્તિ પરથી ફૂલ પડે છે તો આ તમારા માટે ખાસ સંકેત હોઈ શકે છે. તેવામાં આવો જાણીએ કે ફૂલ પડવા પાછળ શું અર્થ હોય છે અને આ ફૂલનું શું કરવું જોઈએ.
શુભ સંકેત
મૂર્તિથી ફૂલ પડવું એવો સંકેત આપે છે કે તમારી પૂજા સફળ થઈ છે. એટલે કે ભગવાન તમારી પૂજાથી પ્રસન્ન થયાં છે અને તમારી મનોકામના પૂર્ણ થવાની છે. સાથે જે આ જીવનમાં સુખ-સમૃદ્ધિનાં પણ સંકેત આપે છે. તેવામાં ફોટોથી પડેલા ફૂલને દેવી-દેવતાનો આશીર્વાદ સમજવો જોઈએ.
ADVERTISEMENT
ફૂલની સાથે કરવું આ કામ
પૂજા દરમિયાન આશીર્વાદ રૂપે નીચે પડેલા ફૂલને તમારે તમારી પાસે સંભાળીને રાખવું જોઈએ. આ ફૂલને એક સ્વચ્છ લાલ કપડામાં 1 રૂપિયાનાં સિક્કા અને થોડા ચોખ્ખાં સાથે બાંધીને તિજોરીમાં મૂકવું. આવું કરવાથી સાધકનાં જીવનમાં ક્યારેય પણ ધનની કમી આવતી નથી.
વધુ વાંચો: જે કામ હાથમાં લેશો તેમાં મળશે સફળતા: 30 વર્ષ બાદ કુંભમાં શનિ, આ રાશિના જાતકોને જલસા
ADVERTISEMENT
દીવાની જ્યોત પણ આપે છે સંકેત
પૂજા દરમિયાન માત્ર ફૂલ પડવું જ નહીં પણ પૂજાનાં દીવાની જ્યોતિનાં શેપ પરથી પણ તમને અનેક સંકેતો મળે છે. જ્યારે જ્યોત ઉપર તરફ ઊંચે જાય છે ત્યારે સમજવું કે તમારી પૂજા સફળ થઈ છે. આ સાથે જ પૂજા દરમિયાન વ્યક્તિની આંખમાંથી આંસૂ પડવું પણ શુભ માનવામાં આવે છે. તેનો અર્થ છે કે તમારા જીવનમાંથી જલ્દી કષ્ટ દૂર થઈ જશે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.