બ્રેકિંગ ન્યુઝ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો
લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Diwali is not the same for the tribal Bhil community living in Chotaudepur, it is decided to celebrate their Diwali
Dinesh
Last Updated: 09:03 PM, 22 October 2022
કેલેન્ડરમાં આ લોકોની દિવાળી નથી
એમના આગેવાનો નક્કી કરશે દિવાળી
પ્રકૃતિની ગોદમાં સાદગીથી ઉજવશે તહેવાર
સમગ્ર ભારતમાં લોકો અલગ અંદાજમાં દિવાળીનાપર્વ ને ઉજવી રહ્યા છે. ત્યારે શહેરના લોકો પોતાના ઘરોને લાઈટોથી ડેકોરેશન કરી રહ્યા છે અને મોંઘાદાટ ફટાકડાથી આતશબાજી કરી રહ્યા છે. જ્યારે છોટાઉદેપુર જિલ્લામા વસવાટ કરતા આદિવાસી ભીલ સમાજ હજુ ખેતીકામમાં વ્યસ્ત છે કેમ કે તેમની દિવાળી હજુ આવી જ નથી. આદિવાસીઓની દિવાળી ક્યારે આવે છે ચાલો જાણીએ.
છોટાઉદેપુરમાં આદિવાસીઓની દિવાળી ક્યારે?
સમગ્ર ભારતમાં લોકો અલગ અંદાજમાં દિવાળીનાપર્વ ને ઉજવી રહ્યા છે. શહેરના લોકો પોતાના ઘરોને લાઈટોથી ડેકોરેશન કરી રહ્યા છે અને મોંઘાદાટ ફટાકડાથી આતશબાજી કરી રહ્યા છે. ત્યારે છોટાઉદેપુર જિલ્લામા રહેતા આદિવાસી ભીલ સમાજ હજુ ખેતીકામમાં વ્યસ્ત છે, તેઓના પોતાના ખેતરમાં ઉગેલા પાક જેવા કે મકાઈ, અડદ, અને ડાંગર જેવા પાકને લણવામાં વ્યસ્ત છે. એટલું જ નહિ અહીં દરેક પરિવાર માંથી અમુક સભ્યો જે ધંધા રોજગાર અને ખેતી કામ માટે સૌરાષ્ટ્ર તરફ ગયા છે તે પણ હજુ પરત ફર્યા નથી. કારણ એટલુ જ છે કે તેમની દિવાળી હજુ આવી નથી. કદાચ આ સ્ટોરી વાંચી તમને પણ નવાઈ લાગશે. પરંતુ હા આ આદિવાસી લોકોની દિવાળી કોઈ કેલેન્ડરમાં નહીં પરંતુ ગામના આગેવાનો જે દિવસ નક્કી કરે તે દિવસે હોય છે.
દિવાળી નક્કી કરવાની પરંપરા
છોટાઉદેપુર જિલ્લાના વિવિધ જંગલ વિસ્તારમાં પહાડમાં વસવાટ કરતો આદિવાસી ભીલ સમાજ વર્ષોથી જૂની પરંપરા મુજબ તેઓ અલગથી દિવાળીની ઉજવણી કરે છે, આ સમાજ અત્યારે કૃષિકામમાં વ્યસ્ત છે. દેવદિવાળી આસપાસ વિવિધ પાકોની ઉપજ તેમના ઘરમાં આવશે. તેમાંથી જરૂરિયાત જેટલું પોતાની પાસે રાખશે, બીજું બજારમાં વેચશે પછી જે પૈસા આવે તેનાથી દિવાળી ઉજવશે. આપને જણાવી દઈએ કે, દિવાળીનો પર્વ આવતાં શહેરના લોકો પોતાના મકાનોને રોશની થી શણગરવાનું કામ કરવામાં વ્યસ્ત થઈ જાય છે, જયારે છોટાઉદેપુરનો આ લોકો અત્યારે પોતાના ખેતી કામમાં વ્યસ્ત છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
લોકસભા ચૂંટણી 2024 / 'વિરોધ કરે છે તે જ ભાજપ સાથે મળેલા' કોંગ્રેસે સસ્પેન્ડ કર્યા બાદ નિલેશ કુંભાણીએ વીડિયો જાહેર કર્યો
Lok Sabha Election 2024
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime