બ્રેકિંગ ન્યુઝ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો
લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર
Khyati
Last Updated: 04:45 PM, 16 February 2022
મહાશિવરાત્રીનો પર્વ નજીકમાં છે તેવામાં મહાકાલના ભક્તો માટે એક અગત્યના સમાચાર આવ્યા છે. ઉજ્જૈનના મહાકાલેશ્વરના દર્શન કરવા માટે હવે શ્રદ્ધાળુઓને મંદિરના ગર્ભગૃહમાં પ્રવેશવાની અનુમતી મળી છે.હવે ભક્તો ઉજ્જૈનના મહાકાલેશ્વર જ્યોતિર્લિંગના ગર્ભગૃહમાં પ્રવેશ કરી શકશે. મંગળવારથી શુક્રવાર સુધી ભક્તો ગર્ભગૃહમાં બાબા મહાકાલના દર્શન કરી શકશે. જે માટે બપોરે 1 વાગ્યાથી 4 વાગ્યા સુધીનો સમય નક્કી કરવામાં આવ્યો છે.
VIP ગેટથી પણ એન્ટ્રી ફ્રી રહેશે
મહાકાલ પ્રબંધન સમિતિની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. બેઠકમાં સમિતિના પ્રમુખ કલેક્ટર આશિષ સિંહ, એસપી સત્યેન્દ્ર શુક્લા સહિત મંદિર સમિતિના સભ્યો હાજર રહ્યા હતા. આ અંતર્ગત તમામ ભક્તોને મહાકાલ મંદિરના ગર્ભગૃહમાં પ્રવેશ આપવામાં આવશે. મંગળવારથી શુક્રવાર સુધી ભક્તો બપોરે 1 થી 4 વાગ્યા દરમિયાન ગર્ભગૃહમાં દર્શન કરી શકશે. VIP ગેટથી પણ એન્ટ્રી ફ્રી રહેશે. અગાઉ સો રૂપિયાની પ્રોટોકોલ ફી હતી પરંતુ તે નાબૂદ કરવામાં આવી છે.
મહાશિવરાત્રીએ 51 હજાર દીવા પ્રગટાવાશે
ગર્ભગૃહમાં પ્રવેશ માટે પંડિતો અને પુરોહિતોને એક દિવસમાં મળનારી 1500 રુપિયાની 5 રસીદ વધારીને 10 કરવામાં આવી છે. એમ નક્કી કરવામાં આવ્યુ છે કે પુજારી, પુરોહિતોની સાથે 1500 રુપિયાની જળાભિષેકની રસીદને એક દિવસમાં સવારે 6થી9, બપોરે 12થી1, સાંજે 6થી 8 વાગ્યા સુધીનો સમય નક્કી કરવામાં આવ્યો છે. આ સમયે ગર્ભગૃહમાં પ્રવેશ આપવામાં આવશે. મંદિર સમિતિ દ્વારા મહાશિવરાત્રીના દિપોત્સવમાં વિવિધ નિયત સ્થળોએ 51 હજાર દીવા પ્રગટાવવાનો પણ નિર્ણય લેવામાં આવ્યો હતો. મંદિરમાં શયન આરતીમાં ભક્તોના સહયોગથી દીવા પ્રગટાવવામાં આવશે.
કોરોનાને કારણે ગર્ભગૃહમાં પ્રવેશ બંધ હતો
કોરોના સંક્રમણને જોતા ગર્ભગૃહમાં શ્રદ્ધાળુઓનો પ્રવેશ બંધ કરી દેવામાં આવ્યો હતો. પ્રોટોકોલની મુલાકાત લેનાર વીઆઈપીઓને રુ.100ની ફી સાથે પ્રવેશ આપવામાં આવ્યો હતો. આ ફી બુધવારથી સમાપ્ત થઈ ગઈ છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
લોકસભા ચૂંટણી 2024 / 'વિરોધ કરે છે તે જ ભાજપ સાથે મળેલા' કોંગ્રેસે સસ્પેન્ડ કર્યા બાદ નિલેશ કુંભાણીએ વીડિયો જાહેર કર્યો
Lok Sabha Election 2024
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime