બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ભારત / Politics / Delhi CM Kejriwal will be arrested? Workers are gathering at AAP headquarters

રાજનીતિ / દિલ્હીના CM કેજરીવાલની થશે ધરપકડ? AAPના મુખ્યાલયમાં એકઠા થઈ રહ્યા છે કાર્યકર્તાઓ

Priyakant

Last Updated: 08:27 AM, 4 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Arvind Kejriwal Latest News: EDના સમન્સની સતત 3  વખત અવગણના કરનાર દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડ થવાની સંભાવના

  • દિલ્હી દારૂ કૌભાંડ કેસમાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડ થઈ શકે  
  • અરવિંદ કેજરીવાલે કરી છે EDના સમન્સની 3  વખત અવગણના 
  • આમ આદમી પાર્ટીના સૂત્રોનો દાવો, પોલીસે CM આવાસને ચારે બાજુથી ઘેરી લીધું 

દિલ્હી દારૂ કૌભાંડ કેસમાં EDના સમન્સની સતત 3  વખત અવગણના કરનાર દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડ થવાની સંભાવના છે. આમ આદમી પાર્ટીના નેતાઓ પોતે દાવો કરે છે કે, ED આજે અરવિંદ કેજરીવાલની ધરપકડ કરી શકે છે. આમ આદમી પાર્ટીના આ દાવા બાદ હંગામો તેજ થઈ ગયો છે. વાત જાણે એમ છે કે, EDએ અરવિંદ કેજરીવાલને અત્યાર સુધીમાં 3 સમન્સ જાહેર કર્યા છે જોકે અહી નોંધનિય એ છે કે, કેજરીવાલે એકવાર પણ પૂછપરછમાં ભાગ લીધો નથી. આ જ કારણ છે કે આમ આદમી પાર્ટીના નેતાઓ સતત ટ્વિટ કરીને તેમની ધરપકડનો ડર વ્યક્ત કરી રહ્યા છે.

પોલીસે CM આવાસને ચારે બાજુથી ઘેરી લીધું ? 
આમ આદમી પાર્ટીના સૂત્રોનો દાવો છે કે, પોલીસે CM આવાસને ચારે બાજુથી ઘેરી લીધું છે અને CM આવાસના કર્મચારીઓને પણ અંદર જતા રોકવામાં આવી રહ્યા છે. જણાવી દઈએ કે, દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ બુધવારે એક્સાઈઝ પોલિસી કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા jaher કરવામાં આવેલા ત્રીજા સમન્સ પર પણ હાજર થયા ન હતા અને તેમણે નોટિસને ગેરકાયદે ગણાવીને લેખિત જવાબ મોકલ્યો હતો.

આમ આદમી પાર્ટી (AAP)એ આરોપ લગાવ્યો હતો કે, કેજરીવાલને વારંવાર નોટિસ મોકલવી એ તેમને લોકસભા ચૂંટણીમાં પ્રચાર કરતા રોકવા માટે ધરપકડ કરવાના ષડયંત્રનો એક ભાગ છે. અરવિંદ કેજરીવાલને બુધવારે એક્સાઇઝ પોલિસી સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં પૂછપરછ માટે ED દ્વારા બોલાવવામાં આવ્યા હતા. AAP કન્વીનર અરવિંદ કેજરીવાલને EDની આ ત્રીજી નોટિસ છે, આ પહેલા EDએ તેમને 2 નવેમ્બર અને 21 ડિસેમ્બરે હાજર થવા માટે સમન્સ જારી કર્યું હતું, પરંતુ કેજરીવાલ ED સમક્ષ હાજર થયા ન હતા.

ED આજે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડ કરી શકે છે. આ દાવો ખુદ આમ આદમી પાર્ટીએ કર્યો છે. સીએમ કેજરીવાલની ધરપકડના ડરને જોતા ગુરુવાર સવારથી જ AAP મુખ્યાલયની બહાર કાર્યકરોનો જમાવડો શરૂ થઈ ગયો છે. તમને જણાવી દઈએ કે EDએ કેજરીવાલને દારૂ કૌભાંડમાં ત્રણ સમન્સ જાહેર કર્યા છે, પરંતુ હજુ સુધી દિલ્હીના સીએમ ED સમક્ષ હાજર થયા નથી. જો કે ત્રણેય વખત કેજરીવાલે EDને લેખિત જવાબ મોકલીને તપાસમાં સહકાર આપવા જણાવ્યું છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ