બ્રેકિંગ ન્યુઝ
મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ
લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન
લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા
લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું
લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા
લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી
Kishor
Last Updated: 10:59 PM, 22 November 2023
આજકાલ દુનિયામાં લોકો તેમની જીવનશૈલીથી સંબધિત બીમારીઓથી પરેશાન છે. લોકો જંક ફૂડ, તેલીય વસ્તુઓ ખાવાનું પસંદ કરે છે. જેનાથી શરીરમાં રોગ થવાની સમસ્યા વધી જાય છે. વધારે પડતું બહારનું ખાવાથી શરીરમાં ઘણા વિટામિન અને પોષક તત્વોની કમી જણાય છે. એવામાં એક વિટામિન છે B 12, જો તમારા શરીરમાં આની કમી જણાય તો તમારું શરીર રોગનું ઘર બની શકે છે. શું તમે જાણો છો વિટામિન B 12 ની કમિના લીધે શરીર પર સફેદ દાગ થઈ શકે છે. જાણીએ કે આ વિટામિનની કમિના લીધે તમારા શરીરમાં કઈ સમસ્યાઓ થઈ શકે છે.
વિટામિનની B 12 ની સમસ્યા
સફેદ દાગ જેને પાંડુરોગ પણ કહેવામાં આવે છે. તમારા શરીરમાં વિટામિન B 12 ની કમિના લીધે તમને આ રોગ થઈ શકે છે. પાંડુરોગ હાયપરપીગ્મેન્ટેશન થી તદન જુદું છે. શરીર માં મેલેનિનની કમી ના લીધે પાંડુરોગ થાય છે. જેનાથી શરીર પર સફેદ દાગ થવા લાગે છે. સૂર્યના સીધા સંપર્કમાં આવતા શરીરના ભાગ પર પાંડુરોગ ની સમસ્યા થાય છે. તમારી ચામડી, હાથ, પગ અને ગળાના ભાગમાં તેની અસર જોવા મળે છે.
હાયપરપીગ્મેન્ટેશનથી થતી સમસ્યાઓ
તમારી ચામડી ઉપર દાગ-ફોલ્લીઓ જોવા મળે તો સમજી જવું કે તમે હાયપરપીગ્મેન્ટેશનના શિકાર થઈ ગયા છો. શરીરમાં મેલાનિનનું પ્રમાણ વધી જવાથી આવું થાય છે. વધતી જતી ઉંમર અને તડકામાં વધુ ફરતા લોકોમાં આ સમસ્યા વધુ પ્રમાણમાં જોવા મળે છે.
ખરતા વાળની સમસ્યા
તંદુરસ્ત વાળ માટે તમારા શરીરમાં વિટામિન B 12 ભરપૂર માત્રામાં હોવું જરૂરી છે. વિટામિન B 12 ની ઉણપ હશે તો ગમે તે કરો વાળને ખરતા અટકાવી નહિ શકો.
ઇનફર્ટિલિટીની સમસ્યા વધે
વિટામિન B 12 ની કમિના લીધે પુરુષો અને મહિલાઓમાં ઇનફર્ટિલિટીની સમસ્યા જોવા મળે છે. વિટામિન B 12 ની કમીના લીધે હોમોસિસ્ટીનમાં [ હોમોસિસ્ટીન લોહીમાં હાજર હોમોસિસ્ટીન એમીનો એસિડની માત્રાને માપે છે] જાડા લોહીના લીધે ભ્રૂણને નુકશાન થઈ શકે છે. જેના લીધે ઇનફર્ટિલિટીની સમસ્યા વધી જાય છે.
એનીમિયાની સમસ્યા
વિટામિન B 12 આપણાં નર્વસ સિસ્ટમને મજબૂત રાખવા માટે ખૂબ જરૂરી હોય છે. જો તમે શાકાહારી હોય અને B 12 માટે અન્ય કોઈ સપ્લીમેંટ નથી લેતા તો તમને આની વધુ ઉણપ જણાય શકે છે. કોઈ વિકાર હોય તો તમે પણ આ વિટામિનની ઉણપથી પીડાય શકો છો. તેની કમિના લીધે લાલ રક્ત કણો નથી બનતા જેના લીધે લોહીની કમી થવા લાગે છે. જેનાથી તમને એનીમિયા થઈ શકે છે.
વિટામિન B 12 ની ઉણપને આ રીતે પુરી કરો
વિટામિન B 12 ની ઉણપને પુરી કરવા માટે તમારા આહારમાં ઈંડા, દૂધ, દહી, કેળાં, બદામ, ટામેટાં, ટોફુ, અંકુરિત અનાજ, મશરૂમ, માછલી અને માંસ વિટામિનથી ભરપૂર ખોરાકને તમારા આહાર સમાવેશ કરવો જોઇએ. તમારા શરીરમાં વધુ વિટામિન B 12 ની કમી જણાય તો તમારે ડૉક્ટરની સલાહથી વિટામિન B 12 ના સપ્લીમેન્ટ લેવા જોઇએ.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh