બ્રેકિંગ ન્યુઝ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો
લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર
VTV / Co-operative sector politics proved to be even dirtier, with rupee-nepotism driving corruption home?
Vishal Khamar
Last Updated: 10:03 PM, 10 March 2023
સહકારી સંસ્થાઓ પર સગાવાદ-પરિવારવાદનો આક્ષેપ
નોકરી આપવા માટે લેવામાં આવે છે મોટી રકમ
સહકારી સંસ્થાના ડિરેક્ટર પોતાના દીકરાને નોકરી પર ન રાખી શકે તેવો છે નિયમ
સહકારી સંસ્થાઓ પર સગાવાગ-પરિવારવાદનો આક્ષેપ લગાવવામાં આવ્યો છે. જેમાં સહકારી સંસ્થાઓમાં સગાવાદ-પરિવારવાદને નોકરી આપવામાં આવતી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. નોકરી આપવા માટે મોટી રકમ પણ લેવામાં આવે છે. ત્યારે કોઈ પણ પ્રકારની કોઈ પરીક્ષા કે ઈન્ટરવ્યું વગર લોકોની ભરતી કરવામાં આવે છે. જેમાં સહકારી સંસ્થાના ડિરેક્ટર પોતાના દિકરાને નોકરી પર ન રાખી શકે તેવો નિયમ પણ છે. ત્યારે સહકારી હોદ્દેદારો દ્વારા ગેરરીતિ આચરીને ભરતી કૌભાંડ કરાય છે. કિરીટ પટેલ સહિત અગાઉ કેતન ઈનામદારે પણ ભરતી કૌભાંડના આરોપ લગાવ્યા છે.
વિધાનસભા ગૃહમાં કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલનો સરકાર પર આક્ષેપ
ત્યારે આ મામમલે ધારાસભ્ય કિરીટ પટેલે વિધાનસભા ગૃહમાં સરકાર પર આક્ષેપ કર્યા હતા. જેમાં તેઓએ જણાવ્યું હતું કે સહકારી સંસ્થાઓમાં પૈસા લઈને નોકરીઓ આપવામાં આવતી હોવાનો દાવો કર્યો હતો. તેમજ GADની તપાસ ચાલતી હોય તેવાને સંવેદનશીલ જગ્યાએ ન મુકવાના આદેશ પણ કરવામાં આવે છે. ત્યારે આદેશ હોવા છતાં સહકારી રજીસ્ટ્રારને આવા કામો સોંપવામાં આવે છે. ત્યારે બેંકમાં લોકોએ કરોડો રૂપિયા મુક્યા છે. બેંકો ઉઠી ન જાય તેની તપાસ પણ કરાવવી જોઈએ.
જિલ્લા સહકારી બેંકો કોઈ પણ ભરતી માટે પૂર્ણ સ્વરૂપે સ્વતંત્ર છેઃનાણામંત્રી કનુ દેસાઈ
ધારાસભ્ય કિરીટ પટેલના જવાબમાં નાણાંમંત્રી કનુ દેસાઈએ જવાબ રજૂ કરતા કહ્યું હતું કે જીલ્લા સહકારી બેંકો ભરતી મુદ્દે જાતે નિર્ણય લઈ શકે છે. જીલ્લા સહકારી બેંકો કોઈ પણ ભરતી માટે પૂર્ણ સ્વરૂપે સ્વતંત્ર છે. દર વર્ષે ઓડિટ અને ઈન્સ્પેક્શન કરવામાં આવે છે. તેમજ રિઝર્વ બેંક સહકારી બેંકના ઉચ્ચ હોદ્દેદારોને દૂર કરી વહીવટદારની નિમણૂંક કરી શકે છે.
સુમુલ ડેરીના ડિરેક્ટરે પોતાના દીકરાને નોકરી આપતા વિવાદ થયો હતો
ધારાસભ્ય કેતન ઈનામદારે આક્ષેપ કર્યો હતો કે બરોડા ડેરીમાં પણ પરિવાર, સગાવાદ ચાલતો હોવાનો આક્ષેપ થયો હતો. તેમજ ધારાસભ્ય કેતન ઈનામદારે બરોડા ડેરીમાં સગા સબંધીને જ નોકરી મળતી હોવાનો આક્ષેપ કર્યો હતો. તેમજ વધુમાં તેમણે જણાવ્યું હતું કે સુમુલ ડેરીના ડીરેક્ટરે પોતાના દીકરાને નોકરી આપતા વિવાદ થયો હતો. ત્યારે 2015-20 દરમિયાન સુદામા પટેલે પોતાના દીકરાને નોકરી આપી હતી. એન્જિનિયર લેબોરેટરી વિભાગમાં નોકરી અપાવી હતી. સહકારી કાયદા પ્રમાણે જ્યાં પિતા ડિરેક્ટર હોય ત્યાં દિકરાને નોકરી રાખી ન શકાય.
રાજકોટ જિલ્લા બેંકમાં પ્યુનની ભરતીમાં કૌભાંડ આચરાયું હતું
રાજકોટ જિલ્લા બેંકમાં પ્યુનની ભરતીમાં કૌભાંડ આચરાયું હતું. જેમાં નીતિન ઢાંકેચા જૂથે ભરતીમાં 45 લાખ લેવાયા હોવાનો આક્ષેપ કર્યો હતો. ત્યારે રોજગાર કચેરીમાં નામ મંગાવ્યા વિના જ ભરતી થઈ હોવાનો આક્ષેપ કર્યો હતો. બેંકમાં 3 માસના રોજમદાર તરીકે પ્યુનની ભરતી કરાઈ હતી. આ ભરતી કોઈપણ પ્રકારના ઈન્ટરવ્યુ યોજ્યા વિના 1 વર્ષ બાદ પ્યુનને કાયમી કરવામાં આવ્યા હતા. તેમજ પ્યુનને પાંચ વર્ષ બાદ ક્લાર્ક તરીકે પ્રમોશન પણ આપી દેવામાં આવ્યું હતું
ગુજકોમાસોલમાં ભ્રષ્ટાચાર થયો હોવાનો કોંગ્રેસે આક્ષેપ
ગુજકોમાસોલમાં પણ ભ્રષ્ટાચાર થયો હોવાનો કોંગ્રેસે આક્ષેપ કર્યો હતો. ત્યારે બનાસકાંઠાના ખારેડામાં 1 કરોડથી વધુનું જમીન કૌભાંડ થયાનો આક્ષેપ હતો. તેમજ ગુજકોમાસોલે ગાંધીનગરમાં મકાન અને પ્લોટ ખરીદીમાં 8 કરોડના બિલ મુક્યા હતા. અને ગુજકોમાસોલમાં 140 લોકોની નિયમ વિરૂદ્ધ થઈ હોવાનો આક્ષેપ કર્યો હતો. તેમજ અરવલ્લીના મોડાસામાં મંડળીના પૂર્વ સેક્રેટરીએ લાખોની ઉચાપત કરી હતી. જેમાં વર્ષ 2017-19 દરમિયાન મંડળીમાં રાજુ ડાભા સેક્રેટરી હતા એ સમયે 70 લાખથી વધુની ઉચાપત થઈ હતી. અને 11 ખેડૂતોની KCC લોન ખાતરમાં પણ કૌભાંડ થયું હતું. ત્યારે સહકારી મંડળીના સભ્યોએ આ મામલે પોલીસ ફરિયાદ પણ નોંધાવી હતી.
ઈન્ટરવ્યૂમાં પાસ થનારા યોગ્ય ઉમેદવારોને નોકરી પર રાખવા જોઇએ
ભરતી પ્રક્રિયામાં યુવાનોનાં વિશ્વાસને ફરી પુનઃસ્થાપિત કરવા માટે ભરતી માટે જોબ કેલેન્ડર તૈયાર કરવામાં આવે. તેમજ પરીક્ષાની તારીખથી નિમણૂંકની તારીખ સુધીનું ચુસ્તપણે પાલન કરવામાં આવે. તેમજ સમાચાર પત્ર અને રોજગાર સમાચારમાં ભરતી માટે જાહેરાત આપવામાં આવે. તેમજ પરીક્ષા બાદ મેરિટના આધારે ઉમેદવારોને ઈન્ટરવ્યુંમાં બોલાવવામાં આવે. ઈન્ટરવ્યૂમાં પાસ થનારા યોગ્ય ઉમેદવારોને નોકરી પર રાખવા જોઇએ. જેથી ભરતીમાં આવી પારદર્શિતાથી ભરતી કૌભાંડ પર અંકુશ લગાવી શકાય છે.
ભરતીમાં બેંક સાથે જોડાયેલા નજીકના સગાઓની ભરતી થઈ હોવાનો આક્ષેપ
મહેસાણા ડિસ્ટ્રીક્ટ કો.ઓ. બેંક ભરતીમાં બેંકમાં નોકરીની ભરતીમાં મળતીયાઓની ભરતી થઈ હોવાની લેખિત ફરિયાદ બાદ વિવાદ ઉભો થયો હતો. જેમાં 111 બેંક કર્મચારીઓની ભરતીની જાહેરાતમાં બેંકનો ઉલ્લેખ ન હતો. તેમજ ભરતી માટે બનાવેલી વેબસાઈટ પણ બંધ છે. ત્યારે ભરતીનું લિસ્ટ જાહેર કરવામાં આવ્યું ન હતું. પરંતું ભરતીમાં બેંક સાથે જોડાયેલા નજીકના સગાઓની ભરતી થઈ હોવાનો આક્ષેપ થયો હતો. ત્યારે આ બાબતે જાગૃત નાગરિકે રજિસ્ટ્રારને લેખિત ફરિયાદ કરી હતી.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
લોકસભા ચૂંટણી 2024 / 'વિરોધ કરે છે તે જ ભાજપ સાથે મળેલા' કોંગ્રેસે સસ્પેન્ડ કર્યા બાદ નિલેશ કુંભાણીએ વીડિયો જાહેર કર્યો
Lok Sabha Election 2024
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime