બ્રેકિંગ ન્યુઝ
મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ
લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન
લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા
લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું
લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા
લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી
VTV / cm Arvind kejriwal react on Punjab election 2022 result
Khyati
Last Updated: 01:23 PM, 10 March 2022
પંજાબ વિધાનસભાની ચૂંટણીના શરુઆતી પરિણામોમાં આમ આદમી પાર્ટીને સ્પષ્ટ બહુમતી મળી છે. જેને લઇને આપના કાર્યકરોમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે. પંજાબમાં આપના પ્રદર્શન બાદ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પંજાબના લોકોને શુભકામના પાઠવી. મહત્વનું છે કે પંજાબમાં આપ 91 બેઠક પર આગળ ચાલી રહ્યું છે.
અરવિંદ કેજરીવાલની પ્રથમ પ્રતિક્રિયા
આમ આદમી પાર્ટીના કન્વીનર અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પંજાબમાં શરૂઆતી જીત બાદ પ્રથમ પ્રતિક્રિયા આપી. તેઓએ ટ્વિટ કરતા જણાવ્યું કે પંજાબની જનતાને આ ક્રાંતિ માટે ખૂબ ખૂબ અભિનંદન. સાથે જ તેઓએ પંજાબના સીએમ પદના દાવેદાર ભગવંત માન સાથેનો ફોટો પણ ટ્વિટ કર્યો છે. તેઓને પણ શુભકામના પાઠવી.
इस इंक़लाब के लिए पंजाब के लोगों को बहुत-बहुत बधाई। pic.twitter.com/BIJqv8OnGa
— Arvind Kejriwal (@ArvindKejriwal) March 10, 2022
આ દિલ્હી મોડલની જીત છે- મનીષ સિસોદિયા
દિલ્હીના ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાએ પંજાબમાં શરૂઆતી લીડ જોતા જણાવ્યું કે પંજાબની જનતાએ કેજરીવાલના શાસન મોડલને તક આપી છે. આજે આખા દેશમાં સ્પષ્ટ થઈ ગયું છે કે લોકો વિચારે છે કે જો અરવિંદ કેજરીવાલ હશે તો ઇમાનદારીથી વેપાર, રોજગાર, શિક્ષા અને સ્વાસ્થ્યની સેવાઓ મળી શકે છે.
રાઘવ ચડ્ડાએ કહ્યું- AAP કોંગ્રેસનું સ્થાન લેશે
પંજાબમાં AAPના ઉદય વચ્ચે પાર્ટીના સહ પ્રભારી રાઘવ ચડ્ડાએ કહ્યું કે આ નેતાઓ લોકોના ખિસ્સામાંથી પૈસા કાઢીને પોતાના મહેલ સજાવી રહ્યા છે. આજે તેમના મહેલોમાં લગાવાયેલી દરેક ઈંટ સામાન્ય માણસના લોહી અને પરસેવાની ઈંટ છે. હવે આ આખી સિસ્ટમ બદલવી પડશે. આજનો દિવસ ભારતના ઈતિહાસનો એક મોટો દિવસ છે. આગામી દિવસોમાં સમગ્ર દેશમાં કોંગ્રેસનું સ્થાન AAP બનશે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh