બ્રેકિંગ ન્યુઝ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો
લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર
VTV / ભારત / citizenship amendment act notification bengal kerala state government deny implementation caa
Arohi
Last Updated: 08:06 AM, 12 March 2024
કેન્દ્ર સરકારે નાગરિકતા સંશોધન કાયદો એટલે કે CAAને લાગુ કરવાનું નોટિફિકેશન જાહેર કરી દીધુ છે. તેની સાથે જ હવે નાગરિકતા સંશોધન કાયદો દેશભરમાં લાગુ કરી દેવામાં આવ્યો છે. નાગરિકતા સંશોધનનું બિલ ડિસેમ્બર 2019માં સંસદના બન્ને સદનોમાં પાસ થઈ ગયું હતું.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે એક્સ પર લખ્યું, "મોદી સરકારે નાગરિકતા સંશોધન નિયમ, 2024 નોટિફિકેશન જાહેર કરી દીધુ છે. એવામાં પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનમાં ધાર્મિક ઉત્પીડનના કારણે ભારત આવેલા અલ્પસંખ્યકોને અહીંની નાગરિકતા મળી જશે."
The Modi government today notified the Citizenship (Amendment) Rules, 2024.
— Amit Shah (Modi Ka Parivar) (@AmitShah) March 11, 2024
These rules will now enable minorities persecuted on religious grounds in Pakistan, Bangladesh and Afghanistan to acquire citizenship in our nation.
With this notification PM Shri @narendramodi Ji has…
ત્યાર બાદ કાયદામંત્રી અર્જુન રામ મેઘવાલે લખ્યું, "જે કહ્યું, તે કર્યું... મોદી સરકારે સીએએનું નોટિફિકેશન જાહેર કરી પોતાની ગેરેન્ટી પુરી કરી."
પરંતુ તેની સાથે જ હવે તેનો વિરોધ પણ શરી થઈ ગયો છે. પશ્ચિમ બંગળા અને કેરળ સરકારે તેનો વિરોધ કર્યો છે. પશ્ચિમ બંગાળની મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કહ્યું કે હજુ નિયમ જોયો છે નિયમ જોયા બાદ જ કંઈક કહી શકાશે. જોકે તેમણે કહ્યું કે જો ધર્મ, જાતિ અને ભાષાના આધાર પર કોઈ ભેદભાવ થાય છે તો અમે તેને મંજૂર નહીં કરીએ.
ત્યાં જ કેરળના મુખ્યમંત્રી પિનરાઈ વિજયને કહ્યું કે અમારી સરકાર ઘણી વખત કહી ચુકી છે કે અમે CAAને લાગુ નહીં થવા દઈએ. જે મુસ્લિમોને બીજા વર્ગના નાગરિક માને છે. તે સાંપ્રદાયિક કાયદાના વિરોધમાં આખુ કેરળ એક સાથે ઉભુ હશે. એવામાં સવાલ ઉઠે છે કે શું કેરળ અને બંગાળ જેવા રાજ્યોમાં CAA લાગુ નહીં થાય?
जो कहा सो किया...
— BJP (@BJP4India) March 11, 2024
मोदी सरकार ने नागरिकता संशोधन कानून (CAA) की अधिसूचना जारी कर पूरी की अपनी गारंटी। pic.twitter.com/YW8mFyjJxJ
અહીં લાગુ નહીં થાય CAA?
CAAનું નોટિફિકેશન સરકારે ભલે જાહેર કરી દીધુ હોય પરંતુ હજુ પણ આ આખા દેશભરમાં લાગુ નહીં થાય. કાયદા અનુસાર અસમ, મેઘાલય, મિઝોરમ અને ત્રિપુરાના જેવા આદિવાસી વિસ્તારોમાં CAA લાગુ નહીં થાય જેને બંધારણની છઠ્ઠી સૂચિ હેઠળ સંરક્ષિત કરવામાં આવ્યું છે. તેની સાથે જ ઈનર લાઈટ પરમિટ સિસ્ટમ વાળા પૂર્વોત્તરના રાજ્યોમાં પણ આ લાગુ નહીં થાય.
ઈનર લાઈન પરમિટ અને બંધારણની છઠ્ઠી સૂચિ પૂર્વોત્તર રાજ્યોના અમુક વિસ્તારોમાં જનજાતી સમૂહોને સંરક્ષણ આપવાના હેતુથી લાગુ કરવામાં આવ્યું હતું. મણિપુર પહેલા ઈનર લાઈન પરમિટમાં ન હતુ આવતું પરંતુ બાદમાં તેને પણ તેમાં શામેલ કરવામાં આવ્યું. ઈનર લાઈન પરમિટ એક પ્રકારનું યાત્રા દસ્તાવેજ હોય છે જે એક મર્યાદિત સમય માટે બીજા રાજ્યોના લોકોને યાત્રા કરવા માટે આપવામાં આવે છે.
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
લોકસભા ચૂંટણી 2024 / 'વિરોધ કરે છે તે જ ભાજપ સાથે મળેલા' કોંગ્રેસે સસ્પેન્ડ કર્યા બાદ નિલેશ કુંભાણીએ વીડિયો જાહેર કર્યો
Lok Sabha Election 2024
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime