બ્રેકિંગ ન્યુઝ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો
લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર
VTV / ભારત / Budget 2024 No one can take away rightful leave and money: A bigger decision could be made
Megha
Last Updated: 10:43 AM, 24 December 2023
કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ 1 ફેબ્રુઆરી 2024ના રોજ છઠ્ઠી વખત બજેટ રજૂ કરશે. મોદી સરકારના બીજા કાર્યકાળનું છેલ્લું બજેટ રજૂ થયા બાદ દેશભરમાં લોકસભાની ચૂંટણીઓ યોજાવા જઈ રહી છે. આવી સ્થિતિમાં, સરકાર પોતાની વોટ બેંક, ખાસ કરીને રોજગારી મેળવનારા લોકો માટે એક ખાસ જાહેરાત કરી શકે છે.
સરકાર બજેટમાં શ્રમ કાયદા લાવવા અંગે જાહેરાત કરી શકે છે. સરકાર લાંબા સમયથી સમગ્ર દેશમાં શ્રમ કાયદો લાગુ કરવાની યોજના બનાવી રહી છે પરંતુ હજુ સુધી તેનો અમલ કરી શકી નથી. દેશમાં શ્રમ કાયદા લાગુ થવાથી ખાનગી ક્ષેત્રના કર્મચારીઓને ફાયદો થશે. તેમની પેઇડ લીવ અને લીવ એન્કેશમેન્ટ સંબંધિત નિયમો બદલાશે. જોકે, નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું છે કે બજેટમાં કોઈ મોટી જાહેરાત કરવામાં આવશે નહીં. ત્યાર બાદ સામાન્ય નોકરીયાત લોકો બજેટથી અપેક્ષા રાખી રહ્યા છે.
પેઇડ લીવ માટેના નિયમો બદલાશે
દેશમાં નવા શ્રમ કાયદાના અમલ સાથે, ઘણા ક્ષેત્રોમાં ફેરફારો થશે. એકવાર શ્રમ કાયદો અમલમાં આવ્યા પછી, કોઈપણ કર્મચારી એક કેલેન્ડર વર્ષમાં 30 દિવસથી વધુ પેઇડ રજા એકઠી કરી શકશે નહીં. પેઇડ લીવ 30 દિવસથી વધુ હોય તેવા કિસ્સામાં કંપનીએ વધારાની રજા માટે ચૂકવણી કરવી પડશે. ઓક્યુપેશનલ સેફ્ટી, હેલ્થ એન્ડ વર્કિંગ કંડીશન્સ કોડ 2020 (OSH કોડ) ની કલમ 32 વાર્ષિક રજા લેવા, કેરી ફોરવર્ડ અને લીવ એન્કેશમેન્ટ સાથે સંબંધિત છે. કલમ 32(vii) હેઠળ, કર્મચારીને આગામી કેલેન્ડર વર્ષમાં વધુમાં વધુ 30 દિવસની વાર્ષિક રજા કેરી ફોરવર્ડ કરવાની છૂટ છે.
બજેટ બાદ આ નિયમોમાં ફેરફાર થઈ શકે છે
જો કેલેન્ડર વર્ષના અંતે વાર્ષિક રજા 30 થી વધી જાય તો કર્મચારી બાકીની રજાનો લાભ લઈ શકે છે. કર્મચારીઓ 30 રજા કેરી કોરવર્ડ કરી શકે છે અને બાકીની રજાઓના બદલામાં પૈસા લઈ શકે છે. કર્મચારીઓની વાર્ષિક રજા હવે સમાપ્ત થશે નહીં. લીવ લેપ્સનો અર્થ એ છે કે હાલમાં મોટાભાગની કંપનીઓ એક કેલેન્ડર વર્ષથી બીજા વર્ષ સુધી રજાઓ કેરી ફોરવર્ડ કરતી નથી અને તેના બદલામાં પૈસા પણ ચૂકવતી નથી. કર્મચારીઓને અહીં મદદ મળી શકે છે. સરકાર બજેટમાં જાહેરાત કરે છે કે કર્મચારીઓ તેમની બાકીની રજાઓનો લાભ મેળવી શકશે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
લોકસભા ચૂંટણી 2024 / 'વિરોધ કરે છે તે જ ભાજપ સાથે મળેલા' કોંગ્રેસે સસ્પેન્ડ કર્યા બાદ નિલેશ કુંભાણીએ વીડિયો જાહેર કર્યો
Lok Sabha Election 2024
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime