બ્રેકિંગ ન્યુઝ
મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ
લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન
લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા
લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું
લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા
લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી
Vishal Khamar
Last Updated: 12:19 AM, 30 December 2023
રમત મંત્રાલય દ્વારા તાજેતરમાં ગંભીર વાંધો ઉઠાવવામાં આવ્યા બાદ શુક્રવારે 29 ડિસેમ્બર ભારતીય રેસલિંગ ફેડરેશન ઑફ ઈન્ડિયાની ઑફિસને તેના ભૂતપૂર્વ પ્રમુખ અને ભાજપના સાંસદ બૃજભૂષણ શરણ સિંહના નિવાસસ્થાન પરથી હટાવી દેવામાં આવી હતી. મળતી માહિતી મુજબ બૃજભૂષણના પરિસરને ખાલી કર્યા પછી WFI નવી દિલ્હીમાં નવા સરનામાથી કામ કરશે. WFIનું નવું કાર્યાલય નવી દિલ્હીના હરિ નગર વિસ્તારમાં છે.
પેનલ પરની કાર્યવાહી પાછળ ઓફિસ પણ કારણભૂત હતું
24 ડિસેમ્બરે રમતગમત મંત્રાલયે સંજય સિંહની આગેવાની હેઠળની નવી રચાયેલી WFI પેનલને સસ્પેન્ડ કરી દીધી હતી. સંજય સિંહ WFI પ્રમુખ તરીકે ચૂંટાયાના ત્રણ દિવસ બાદ મંત્રાલય દ્વારા આ પગલું લેવામાં આવ્યું છે. બૃજભૂષણના ઘરેથી ચાલતી ઓફિસ પણ આ કડક કાર્યવાહી પાછળનું એક કારણ હોવાનું કહેવાય છે.
વધુ વાંચોઃ ગાંધીનગરમાં 29 વર્ષના ક્લાસ-2 અધિકારીનું હાર્ટએટેકથી મોત, છાતીમાં દુખાવો ઉપડતાં જાતે સિવિલ પહોંચ્યાં
કુસ્તીબાજોએ બૃજભૂષણ સિંહનો વિરોધ કર્યો
ઓલિમ્પિક મેડલ વિજેતા સાક્ષી મલિક અને વર્લ્ડ ચેમ્પિયનશિપ મેડલિસ્ટ વિનેશ ફોગાટ સહિત ઘણા ટોચના કુસ્તીબાજોએ બૃજભૂષણ સામે જાતીય સતામણીના આરોપો લગાવ્યા છે અને આ કેસની સુનાવણી દિલ્હી હાઈકોર્ટમાં ચાલી રહી છે. દિગ્ગજ કુસ્તીબાજ બજરંગ પુનિયા, સાક્ષી અને વિનેશ સહિત ઘણા કુસ્તીબાજોએ બૃજભૂષણ સામે કાર્યવાહીની માંગ સાથે દિલ્હીના જંતર-મંતર પર ઘણા દિવસો સુધી વિરોધ પ્રદર્શન કર્યું હતું.
21 ડિસેમ્બરનાં રોજ બૃજભૂષણનાં નજીકનાં ગણાતા સંજય સિંહ WFI નાં પ્રમુખ તરીકે ચૂંટાયા હતા
21 ડિસેમ્બરના રોજ બૃજભૂષણના નજીકના ગણાતા સંજય સિંહ WFIના પ્રમુખ તરીકે ચૂંટાયા પછી સાક્ષી મલિકે કુસ્તી છોડવાની જાહેરાત કરી હતી, જ્યારે બજરંગે તેનું પદ્મશ્રી પરત કર્યું છે અને વિનેશ ફોગાટે ખેલ રત્ન અને અર્જુન પુરસ્કારો પરત કરવાનો નિર્ણય લીધો છે. આ કુસ્તીબાજોએ કહ્યું છે કે તેઓ નથી ઈચ્છતા કે ફેડરેશન ભાજપના સાંસદ બ્રિજ ભૂષણના નજીકના સહયોગી દ્વારા ચલાવવામાં આવે. ભારતીય ઓલિમ્પિક એસોસિએશન (IOA) એ રમતના મામલાને ચલાવવા માટે વુશુ એસોસિએશન ઓફ ઈન્ડિયાના વડા ભૂપેન્દ્ર સિંહ બાજવાની અધ્યક્ષતામાં ફરી એકવાર ત્રણ સભ્યોની એડ-હોક સમિતિની રચના કરી છે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir