બ્રેકિંગ ન્યુઝ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો
લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર
Khyati
Last Updated: 11:16 AM, 20 April 2022
ગુજરાત વિધાનસભાની ચૂંટણી ટાણે પીએમ મોદી સહિત અન્ય દેશના વડાપ્રધાન પણ ભારતની મુલાકાતે આવી રહ્યા છે. મોરેશિયસના પીએમ બાદ હવે બ્રિટનના પીએમ બોરિસ જ્હોન્સન ભારતના પ્રવાસે આવી રહ્યા છે. 21 એપ્રિલે બોરિસ જ્હોન્સન આવી રહ્યા છે. તેઓ અમદાવાદથી ભારતના પ્રવાસની શરુઆત કરશે. 21 અને 22 એપ્રિલે બોરિસ જ્હોન્સન ભારતના મહેમાન બન્યા છે. સીએ ભૂપેન્દ્ર પટેલ દ્વારા બોરિસ જ્હોન્સનનું સ્વાગત કરવામાં આવશે..
ગાંધી આશ્રમ સુધી યોજાશે રોડ શૉ
બોરિસ જ્હોન્સન ગુજરાતમાં આવનારા પ્રથમ બ્રિટિશ પીએમ છે. તેઓના આગમનને લઇને ખાસ રોડ શો યોજાશે. 21મી એપ્રિલે સવારે આઠ વાગે તેઓ અમદાવાદ એરપોર્ટ પર આવશે. ત્યાંથી ગાંધી આશ્રમ સુધી રોડ શો યોજાશે. એરપોર્ટથી તાજ સર્કલ, કેમ્પ હનુમાન, ડફનાળા, સુભાષબ્રિજ થઈ ગાંધીઆશ્રમ પહોંચશે. રોડ શોને લઇને તંત્ર અને પોલીસ કામે લાગી ગયું છે. સમગ્ર રૂટ પર ગુજરાત અને ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરતાં કાર્યક્રમ સ્ટેજ પણ બનાવવામાં આવશે.
22 એપ્રિલે દિલ્લીમાં PM મોદી સાથે કરશે બેઠક
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા બોરિસ જ્હોન્સનનું સ્વાગત કરશે. બોરિસ જ્હોન્સનના કાર્યક્રમ અંગે સત્તાવાર કોઇ શિડ્યુઅલ જાહેર કરવામાં આવ્યુ નથી. પરંતુ સૂત્રો પ્રમાણે મળતી માહિતી મુજબ સાબરમતી આશ્રમની મુલાકાત લેશે ત્યાર બાદ ઉદ્યોગપતિ ગૌતમ અદાણીને મળવા અદાણી ટાઉનશિપ જશે, ત્યાર બાદ તેઓ વડોદરાના હાલોલ ખાતેની જેસીબી પ્લાન્ટની મુલાકાત લેશે. તેઓ વડાપ્રધાન મોદીને 22 એપ્રિલે દિલ્હીમાં જ મળવાના છે. તેમની ગુજરાતમાં માત્ર ગૌતમ અદાણી સાથે જ મુલાકાત ગોઠવાઈ હોવાનું જાણવા મળ્યું છે.
2020થી મુલાકાત ટળતી આવી હતી
મહત્વનું છે કે બોરિસ જ્હોન્સનનો પ્રવાસ 2020થી ટળતો આવ્યો છે. કોરોનાને કારણે મુલાકાત ટળી હતી પરંતુ 2021માં પીએમ મોદી સાથે વર્ચ્યુઅલ શિખર બેઠક કરી હતી. જેમાં 2030 સુધી માટે વ્યૂહાત્મક અને વ્યાપાર સહયોગનો રોડમેપ તૈયાર કરાયો હતો. ભારત બ્રિટનમાં 5300 કરોડ રૂપિયાની રોકાણ સમજૂતી પર સહમતી સાધી ચૂક્યું છે.
નોકરીઓનું સર્જન કરવા બંને દેશો આતુર
બ્રિટનના વડાપ્રધાનની મુલાકાતને લઇને બંને દેશો વચ્ચે વેપાર સહયોગને કારણે મોંઘવારી ઓછી થાય તેવી આશા સેવવામાં આવી રહી છે. તેમજ ગ્રીન ટેક્નોલોજી અને ઉચ્ચ કૌશલ્ય ઘરાવતી નોકરીઓનું સર્જન કરવા માટે બંને દેશો આતુર છે. સાથે જ બ્રિટનમાં 53 હજારથી વધુ ભારતીય વિદ્યાર્થી છે. બ્રિટનની સાથે નોલેજ શેરિંગ પાર્ટનરશિપ આ પ્રવાસનો મહત્ત્વનો એજન્ડા છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
લોકસભા ચૂંટણી 2024 / 'વિરોધ કરે છે તે જ ભાજપ સાથે મળેલા' કોંગ્રેસે સસ્પેન્ડ કર્યા બાદ નિલેશ કુંભાણીએ વીડિયો જાહેર કર્યો
Lok Sabha Election 2024
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime