બ્રેકિંગ ન્યુઝ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો
લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર
VTV / ગુજરાત / રાજકોટ / Board exam how, parents treat me like a criminal, board exam is nothing terrorism I am being watched
Vishal Khamar
Last Updated: 07:29 PM, 23 February 2023
આ બાબતે સૌરાષ્ટ્ર યુનિ.ના મનોવિજ્ઞાન ભવનનાં અધ્યાપક ર્ડા.ધારા આર. દોશી તેમજ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનાં મનોવિજ્ઞાન ભવનનાં અધ્યક્ષ ર્ડા.યોગેશ એ.જોગસણએ એક અભ્યાસ કર્યો છે. જેમાં ધોરણ 10 અને 12 ના વિદ્યાર્થીઓ ના વાલીઓના મત અનુસાર તે કારણોને જણાવવાનો પ્રયત્ન કર્યો છે. જે બાળકોના માનસિક સ્વાસ્થ્ય પર ખરાબ પ્રભાવ પાડે છે.
મનોવિજ્ઞાન ભવન છેલ્લા એક મહિનાથી સ્કુલે સ્કુલે જઈને બાળકોને પરીક્ષા ભયમાંથી મુક્ત કરવા પ્રયાસ કરી રહ્યું છે. વાલીઓ સાથેની મુલાકાત દરમિયાન કેટલીક બાબતો સામે આવેલ છે. 1170 વાલીઓના સંપર્કને આધારે તારણો કાઢવામાં આવેલ જે નીચે મુજબ છે.
વિદ્યાર્થીઓના માનસિક સ્વાસ્થ્યના બાધક તત્વ
બાળકોના વાલીઓમાં ખાસ માતામાં બોર્ડની પરિક્ષાથી સ્ટ્રેસનું પ્રમાણ જોવા મળે છે. બોર્ડની પરીક્ષા આપતા બાળકોની માતાઓ જે સલાહ માટે આવેલ તેમાં 94% માતાઓ એ સ્વીકાર્યું કે તેઓ તણાવ અનુભવે છે જયારે 54% પિતાએ જણાવ્યું કે તેને બાળકના ભવિષ્યની ચિંતા છે.
કિસ્સા :-
1) સાહેબ મારે એક વાત કરવી છે. તમે કોઈને વાત ન કરતા.હું 12 માં ધોરણમાં અભ્યાસ કરું છું. મારે હમણાં બોર્ડની પરીક્ષા છે. હું મોટો છું મને ખ્યાલ છે. પણ હું કોઈને કહી શકતો નથી. મને શું પરીક્ષાના ડર ના કારણે બાથરૂમ (પેશાબ ) ખૂબ લાગતી હતી? અત્યાર સુધી તો ક્યારેય નથી થયું આવું. ત્યાં સુધી કે હું રાત્રે સૂતો હોઉં છું ત્યારે પથારીમાં જ મને પેશાબ થઇ જાય છે. કોઈને ખબર ન પડે માટે ફટાફટ હું ઉઠીને મારી પથારી ધોઈ નાખું અને મારાં રૂમ માં જ બધું સુકવી દઉં છું જેથી કોઈને ખબર ન પડે. શું આ બધું પરીક્ષાના ડર ના કારણે જ હશે? કોઈને વાત ન કરતા નહીંતર મારું ખરાબ લાગશે. મારી બધા ઠેકડી ઉડાવશે. મદદ કરો કંઈક.
2) મેડમ હું પરીક્ષાના સ્ટ્રેસ ના કારણે પીડાઉ છું. ખૂબ સ્ટ્રેસ થાય છે. મારાં પપા ને હું એક જ સંતાન છું. તો કહ્યું છે કે જો તું પરીક્ષામાં નાપાસ થઈશ તો મારી નાખીશ. આવી ધમકી આપે છે. હું વિચારી વિચારીને ગાંડી થઇ જઈશ. શું હું એકવાર અવાજ ઉઠાવું? જો આવુ ને આવુ વાતાવરણ રહ્યું તો મારું કેરિયર બરબાદ થઇ જશે. કેરિયર બરબાદ થશે તો જિંદગી બરબાદ થશે . હવે કંઈક ઉપાય બતાવો કે મારાં પપા ને શું જવાબ દઉં.
૩) સર. મારા માતાપિતા જાણે હું ગુનેગાર હોઉં એમ વર્તે છે, બોર્ડની પરીક્ષા છે હું કઈ આતંકવાદ નથી કરતો તો સતત મારા પર વોચ રાખવામાં આવે છે. મને એમ જ થાય છે કે જીવનમાં ક્યારેય પરીક્ષા હોવી જ ન જોઈએ.
4) સાહેબ મને કોઈ સમસ્યા નથી પણ મારી મમ્મી કે મનોવિજ્ઞાન ભવને જઈને તારું કાઉન્સેલિંગ કરાવવું છે. સાહેબ મે ઘણા મોટીવેશનલ પીકર્સ ને સાંભળ્યા છે પછી હું એ નિર્ણય પર આવ્યો છું કે ભણવાથી રૂપિયા કમાઈ ન શકાય . 7 ચોપડી ભણેલ પણ મોટો એમ્પાયર ઉભો કરી શકે. માટે હું ભણવાની ના કહું છું અને ધનાઢ્ય કેમ બનાય તે તરકીબ વિચારું છું. ( મોટીવેશનલ સ્પીકર્સની ખામીઓ ઘણીવાર લોકોને અવળે માર્ગે ચડાવતા હોય છે તેનો આ જીવતો જાગતો નમુનો છે )
5) મારા પિતા ગામડામાં નાની સ્કુલના સંચાલક છે. તેઓની મરજી છે કે હું 12 સાયન્સ પ્રવાહ સાથે પરીક્ષા આપું પણ હું મારી મર્યાદા જાણું છું. હું આર્ટસ કે કોમર્સ ભણી શકું એમ છું મને વિજ્ઞાનમાં સહેજ પણ રસ નથી. મને આ વર્ષે મારા પિતા ડ્રોપ લેવડાવે છે કેમ કે સ્કુલ પરીક્ષામાં હું નાપાસ થઈ માટે. મને નહિ પણ મારા પપ્પાને સમજાવવા આપ આવશો? જોજો હો મે કહ્યું એવું ન કહેતા..
ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ અને વાલીઓની મનોસ્થિતિ
ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ અને વાલીઓને સુચનો
વિદ્યાર્થી કઈ ભૂલો કરે છે અને વાલીઓ કઈ રીતે અટકાવી શકે?
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
લોકસભા ચૂંટણી 2024 / 'વિરોધ કરે છે તે જ ભાજપ સાથે મળેલા' કોંગ્રેસે સસ્પેન્ડ કર્યા બાદ નિલેશ કુંભાણીએ વીડિયો જાહેર કર્યો
Lok Sabha Election 2024
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime