બ્રેકિંગ ન્યુઝ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો
લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / bjp pankaj chaudhary has resigned as a minister from the state bjp
Malay
Last Updated: 12:29 PM, 12 September 2023
Gujarat Politics News: ગુજરાતમાં એક તરફ મહાનગરપાલિકાઓના હોદ્દેદારોની નિમણૂંક કરવામાં આવી રહી છે તો બીજી તરફ પ્રદેશ ભાજપમાંથી વધુ એક રાજીનામાના સમાચાર સામે આવ્યા છે. પંકજ ચૌધરીએ પ્રદેશ ભાજપના મંત્રી પદેથી રાજીનામું આપ્યું છે. તેઓએ રાજીનામું કેમ આપ્યું તે અંગે હજુ સુધી કોઈ માહિતી સામે આવી નથી. તો રાજીનામા અંગે પંકજ ચૌધરીએ પણ કોઈ પ્રતિક્રિયા આપી નથી. તેઓએ આ મામલે મૌન સેવ્યું છે.
રાજકારણમાં ચાલી રહી છે આ ચર્ચાઓ
પંકજ ચૌધરી ગુજરાત ભાજપના મંત્રી હતા, તેઓએ પોતાના મંત્રી પદેથી રાજીનામું આપી દીધું છે. તેઓએ એક મહિના પહેલા જ રાજીનામું આપી દીધું હોવાની વાત ચર્ચાઈ રહી છે. પંકજ ચૌધરીએ રાજીનામું આપ્યું કે તેમનું રાજીનામું લેવાયું તે અંગે પણ અનેક ચર્ચાઓ ચાલી રહી છે. ભારતીય જનતા પાર્ટીના સૂત્રોમાં મતમતાંતર જોવા મળી રહ્યા છે. કોઈ કહી રહ્યું છે કે તેમનું રાજીનામું લેવામાં આવ્યું છે, તો કોઈ કહી રહ્યું છે કે તેમણે એક મહિના પહેલા જ રાજીનામું આપી દીધું હતું.
બે મહામંત્રી બાદ હવે મંત્રીનું રાજીનામું
સૌથી મહત્વની વાત છે કે ગુજરાતના ભારતીય જનતા પાર્ટીની પ્રદેશની બોડીની અંદર બે મહામંત્રીઓ ભાર્ગવ ભટ્ટ અને પ્રદીપસિંહ વાઘેલાના રાજીનામા બાદ હવે મંત્રી પંકજ ચૌધરીએ પણ રાજીનામું આપી દીધું છે. સૌથી મોટા હોદ્દા પર રહેલી આ ત્રીજી વ્યક્તિનું રાજીનામું પડ્યું છે.
યુવા મોરચાના પ્રભારીની જવાબદારીમાંથી થયા મુક્ત
આપને જણાવી દઈએ કે, પંકજ ચૌધરી ગુજરાત ભાજપના મંત્રી હતા, તેમને ભાજપ યુવા મોરચાના પ્રભારી તરીકેની જવાબદારી પણ સોપવામાં આવી હતી. હવે તેઓ ભાજપ યુવા મોરચાના પ્રભારી તરીકેની જવાબદારીમાંથી પણ મુક્ત થઈ ચૂક્યા છે. હવે તેઓ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર રહ્યા છે.
પ્રદીપસિંહ વાઘેલાએ પણ આપ્યું હતું રાજીનામું
નોંધનીય છે કે, ગત ઓગસ્ટ મહિનામાં ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ મહામંત્રી પ્રદીપસિંહ વાઘેલાએ રાજીનામું (Pradeep Singh Vaghela Resignation) આપી દીધું હતું. પ્રદેશ મહામંત્રી પદેથી પ્રદીપસિંહના અચાનક રાજીનામા બાદ ગુજરાતના રાજકારણમાં ખળભળાટ મચી ગયો હતો. રજની પટેલે મીડિયા સાથેની વાતચીત કરતા જણાવ્યું હતું કે, પ્રદીપસિંહ વાઘેલાએ વ્યક્તિગત કારણોસર ભાજપના પ્રદેશ મહામંત્રીનું પદ છોડ્યું છે. તેમનું રાજીનામું સ્વીકારી લેવામાં આવ્યું છે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
લોકસભા ચૂંટણી 2024 / 'વિરોધ કરે છે તે જ ભાજપ સાથે મળેલા' કોંગ્રેસે સસ્પેન્ડ કર્યા બાદ નિલેશ કુંભાણીએ વીડિયો જાહેર કર્યો
Lok Sabha Election 2024
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime