બ્રેકિંગ ન્યુઝ
મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ
લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન
લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા
લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું
લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા
લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / BJP MP Mansukh Vasava again made a big statement regarding liquor
Malay
Last Updated: 01:40 PM, 21 October 2023
Allegation of BJP MP: અત્યાર સુધી વિપક્ષના નેતાઓ દ્વારા રાજ્યમાં ખુલ્લેઆમ દારૂના વેપલાને લઈને આક્ષેપો કરવામાં આવતા હતા, પરંતુ હવે ખુદ શાસકપક્ષના સાંસદ દ્વારા ગંભીર આક્ષેપો કરવામાં આવતા ખળભળાટ મચી ગયો છે. ભાજપના સાંસદ મનસુખ વસાવાએ દારૂને લઈને ફરી એકવાર નિવેદન આપ્યું છે. તેઓએ જાહેરમાં કહ્યું છે કે દારૂથી આદિવાસી સમાજની બરબાદી થવાની છે, સમાજ સુધરવો જોઈએ અને વ્યસન મુક્ત થવો જોઈએ.
હું ખુલ્લેઆમ કહું છું કે દિનેશ બુટલગર છેઃ MP મનસુખ વસાવા
ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ ફરી એકવાર દિનેશ વાસવાનું નામ લઈને કહ્યું કે, સાત વર્ષ પહેલા મેં ચિત્રોલ ગામમાંથી 3 કરોડનો દારૂ પકડ્યો હતો. હું ખુલ્લેઆમ કહું છું દિનેશ બુટલેગર છે, પોલીસના કેટલાક મળેલા છે. જો ભાઈ એક વાત સમજી લેજો આ દૂષણને ડામવા માટે આવું બોલવું પડે. મનસુખ વસાવા જે બોલે છે, તે ભાષા બધાએ બોલવી પડશે. તો જ સમાજ આગળ આવશે.
સમાજ વ્યસન મુક્ત થવો જોઈએઃ MP
તેઓએ કહ્યું કે, કેટલાક ગામમાં દારૂના અડ્ડા બંધ કરાવવા માટે બહેનો રણચંડી બને છે, જો આ ભાઈઓ સાથે નહીં આવેને તો હું તમારી સાથે આવીશ. મેં આનો અભ્યાસ કરેલો છે અને અભ્યાસ કર્યા પછી જ હું બોલું છું. મારે આદિવાસી સમાજને ખૂબ જ ઊંચાઈ પર લઈ જવો છે. સમાજ સુધરવો જોઈએ અને વ્યસન મુક્ત થવો જોઈએ. ટિકીટ મળે કે ન મળે હું આદિવાસી સમાજ માટે બોલતો રહીશ.
આ પહેલા પણ આપ્યું હતું નિવેદન
આ પહેલા પણ ભરૂચના ભારતીય જનતા પાર્ટીના સાંસદ મનસુખ વસાવાએ દારૂને લઈને નિવેદન આપ્યું હતું. 'મેરી મિટ્ટી મેરા દેશ' કાર્યક્રમ અંતર્ગત યોજાયેલા એક કાર્યક્રમમાં સાંસદ મનસુખ વસાવાએ જાહેરમાં આક્ષેપ કરતા કહ્યું હતું કે, કેટલાક નેતાઓ તો સ્ટાર બેન્ડમાં લોકોને દારૂ પીવડાવીને આખી રાત નચાવે છે, સમાજ સેવા કરવાની તમારી આ નીતિ છે. યુવાનોમાં પડેલી શક્તિને શિક્ષણ તરફ ડાયવર્ટ કરવી જોઈએ, રોજગાર તરફ તેને ડાયવર્ટ કરવી જોઈએ. તો જ યુવાનોનું અને દેશનું ભલું થશે. દેશના પ્રધાનમંત્રી આ માટે રાત-દિવસ મહેનત કરી રહ્યા છે.
સોલીયા ગામમાં ફાટી નીકળ્યા છે બુટલેગરો
તેઓએ કહ્યું હતું કે, મને તો થોડી-થોડી ખબર પડી કે સોલીયા ગામમાં મોટા-મોટા બુટલેગરો ફાટી નીકળ્યા છે. આ રોકવું પડે, નહીં તો આ લોકો યુવા પેઢીને બરબાદ કરી નાખશે. મારો ઈતિહાસ જોઈ લેજો, હું તો ગમે એટલો મોટો ચરમબંધી હોય એને પણ ખુલ્લેઆમ બોલી દઉં છું. આ બુટલેગરો યુવાનોને બરબાદ કરી રહ્યા છે. એકબાજુ દેશના પ્રધાનમંત્રી એમ કહી રહ્યા છે કે મારે સમૃદ્ધ ભારત બનાવવું છે, યુવા ભારત બનાવવું છે, યુવાનોના હાથમાં દેશને સોંપવાની વાત કરે છે. આવી રીતે બનશે સમૃદ્ધ ભારત.
બધાએ આ મામલે બોલવું પડશેઃ મનસુખ વસાવા
સાસંદે કહ્યું હતું કે, આ દારૂ વેચવાવાળા અનેકવાર પકડાઈ જાય છે છતાં સુધરવાનું નામ લેતા નથી. ખાલી મનસુખ વસાવા બોલશે એટલું નહીં ચાલે, બધાએ બોલવું પડશે. સોલીયા જ નહીં ઘણી જગ્યાએ આવા દુષણો ચાલે છે. તેમણે કહ્યું કે, નાંદોદના ચિત્રોલ-મયાસીના એક સમયના મોટા બુટલેગર દિનેશ વસાવાએ પાછું દારું વેચવાનું ચાલું રહ્યું છે. નર્મદા LCB પોતે માથે રહીને ધંધો ચલાવે છે એવી મને ખબર પડી. એલસીબીના અધિકારીઓની રહેમનજર હેઠળ દારૂના અડ્ડા ચાલે છે. સોલીયા ગામમાં દર મહિને 35 લાખ રૂપિયાનો એલસીબી હપ્તો લે છે. આવા લોકોથી ડરવાની જરૂર નથી.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir