બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / ભારત / Politics / BJP may take a big decision before the 2024 elections, some veteran leaders will be in trouble

રાજનીતિ / એક પરિવાર, એક ટિકિટ...: 2024ની ચૂંટણી પહેલા મોટો નિર્ણય લઈ શકે છે ભાજપ, અમુક દિગ્ગજ નેતાઓ મુકાશે મુશ્કેલીમાં

Priyakant

Last Updated: 02:43 PM, 26 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Lok Sabha Elections Latest News: BJPએ 3 રાજ્યોમાં નવા ચહેરાઓને મુખ્યમંત્રી બનાવ્યા ત્યારે જનરેશન ચેન્જની ઘણી વાતો થઈ,  રાજ્યો બાદ હવે આ નીતિની અસર લોકસભા ચૂંટણીમાં પણ જોવા મળી શકે છે

  • લોકસભા ચૂંટણી પહેલા ભાજપ હરકતમાં 
  • એક પરિવાર, એક ટિકિટની નીતિ અમલમાં મુકાઇ શકે 
  • BJPએ 3 રાજ્યોમાં નવા ચહેરાઓને બનાવ્યા છે મુખ્યમંત્રી

Lok Sabha Elections : લોકસભા ચૂંટણીને લઈ ભાજપે તૈયારી શરૂ કરી દીધી છે. વાત જાણે એમ છે કે, તાજેતરમાં પાંચ રાજ્યોમાં યોજાયેલ વિધાનસભા ચૂંટણીમાં 3 રાજ્યોમાં ભાજપે પ્રચંડ જીત મેળવી હતી. આ તરફ BJPએ 3 રાજ્યોમાં નવા ચહેરાઓને મુખ્યમંત્રી બનાવ્યા ત્યારે જનરેશન ચેન્જની ઘણી વાતો થઈ હતી. વાસ્તવમાં ભાજપ આ દિશામાં ઝડપથી આગળ વધી રહ્યું છે. તે એક નવું નેતૃત્વ તૈયાર કરવા માંગે છે. રાજ્યો બાદ હવે આ નીતિની અસર લોકસભા ચૂંટણીમાં પણ જોવા મળી શકે છે. 

રાજનીતિના સૂત્રોનું માનીએ તો એવું કહેવામાં આવી રહ્યું છે કે, આગમી લોકસભા ચૂંટણીમાં ભાજપ 2 વખત ચૂંટણી લડી ચૂકેલા નેતાઓને ટિકિટ આપવાનો ઈન્કાર કરી શકે છે.જો વિકલ્પોનો અભાવ અથવા વિજેતા પરિબળ તેને દબાણ કરે તો આ નીતિમાં કેટલાક અપવાદો હોઈ શકે છે. કેટલાક અહેવાલોમાં એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે, ભાજપ નેતૃત્વ 2024ની ચૂંટણીમાં કાયમી નીતિ તરીકે 'એક પરિવાર, એક ટિકિટ'ની ફોર્મ્યુલા અપનાવી શકે છે.

File Photo

તાજેતરની ચૂંટણીમાં શું કર્યું હતું ભાજપે ? 
ભારતીય જનતા પાર્ટીએ તાજેતરની ચૂંટણીમાં પણ આવો જ પ્રયોગ કર્યો હતો. કેટલાક મોટા નેતાઓના પરિવારના સભ્યો અથવા નજીકના સંબંધીઓ મધ્યપ્રદેશ વિધાનસભા ચૂંટણી માટે ટિકિટ માંગી રહ્યા હતા. કહેવાય છે કે આ જ કારણસર દિગ્ગજ નેતાને રાજ્યમાં ચૂંટણી લડવા માટે મોકલવામાં આવ્યા હતા. જ્યારે કેન્દ્રના વરિષ્ઠ નેતાઓ વિધાનસભાની ચૂંટણી લડવા ગયા હતા, ત્યારે પાર્ટીએ જનતાને સંદેશ આપવાનો પણ પ્રયાસ કર્યો હતો કે, તે વંશ શાસનને ખીલવા દેશે નહીં. તે પોતે વંશવાદની રાજનીતિને પ્રોત્સાહન આપવા માટે અન્ય પક્ષો પર પ્રહારો કરતી રહી છે. 

મહત્વનું છે કે, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ઈચ્છે છે કે, જાતિ આધારિત રાજકારણ ખતમ કરવા માટે દરેક વર્ગમાંથી નેતૃત્વ આગળ આવે. સંઘ ઈચ્છતો નથી કે દિલ્હી કે રાજ્યોની રાજધાનીઓ, નેતૃત્વ કે નેતાઓમાં સંકટ સર્જાય. દરેક વિભાગના નેતાઓની કતાર તૈયાર હોવી જોઈએ. આ ત્યારે જ શક્ય બની શકે છે જ્યારે પાર્ટી નેતૃત્વ પેઢીગત પરિવર્તન પ્રત્યે કડક વલણ અપનાવે.

File Photo

નોંધનિય છે કે, 2014થી ભાજપમાં ઉંમરને લઈને 'લક્ષ્મણ રેખા' દોરવામાં આવી હતી. છેલ્લા 10 વર્ષના ઈતિહાસ પર નજર કરીએ તો જૂના ચહેરાની જગ્યાએ નવા ઉમેદવારોને આગળ મૂકવામાં આવ્યા છે, પછી ભલે તે ગમે તેટલા મોટા નેતા હોય. રાજસ્થાનમાં ભાજપે પહેલીવાર ધારાસભ્ય ભજનલાલ શર્માને મુખ્યમંત્રી બનાવીને મોટો સંદેશ આપ્યો છે. PM મોદીએ પાર્ટીના નેતાઓને પહેલા જ કહી દીધું છે કે, રાજકારણનો અર્થ માત્ર ચૂંટણી ટિકિટ લેવી અને ધારાસભ્ય અને સાંસદ બનવું એ ભ્રમણાને તોડવી જરૂરી છે.

જાતિ ગણતરી મુદ્દે શું છે પ્લાન ? 
આ તરફ વિપક્ષ ઘણા મહિનાઓથી જાતિ ગણતરીને મુદ્દો બનાવી રહ્યો છે. ભાજપને લાગે છે કે, જો પાર્ટીમાં તમામ વર્ગોનું પ્રતિનિધિત્વ કરવામાં આવે તો આવા મુદ્દાઓને તટસ્થ કરી શકાય છે. વધુને વધુ વર્ગોને માત્ર કેન્દ્ર અને રાજ્યમાં જ નહીં પરંતુ સંગઠનમાં પણ પ્રતિનિધિત્વ મળવું જોઈએ. ભાજપને લાગે છે કે, સમાજના તમામ વર્ગોના નેતાઓની હાજરીને કારણે જ વિપક્ષ જાતિ ગણતરીમાં પ્રભુત્વ મેળવી શક્યું નથી. 

એક મીડિયા રિપોર્ટ અનુસાર એવી તૈયારીઓ પણ કરવામાં આવી રહી છે કે આગામી લોકસભા ચૂંટણી પછી એક અલગ પ્રકારની રાજનીતિ શરૂ થશે. ભાજપ સામાજિક કાર્યોની જવાબદારી પણ લેતો જોવા મળી શકે છે. જ્ઞાતિની અસમાનતા દૂર કરવા માટે એક મોટું અભિયાન શરૂ કરી શકાય છે. તેમજ સરકારના મંત્રીઓ અને નિવૃત્ત સૈનિકોને સંસ્થા અને સામાજિક કાર્યો માટે મોકલી શકાય છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ