બ્રેકિંગ ન્યુઝ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો
લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર
VTV / Biggest relief to Adani Group: SC committee report says prima facie no manipulation
Priyakant
Last Updated: 02:48 PM, 19 May 2023
અદાણી ગ્રુપ અને હિંડનબર્ગ વિવાદ વચ્ચે હવે એક મોટા સમાચાર સામે આવ્યા છે. વાત જાણે એમ છે કે, આ મામલે નિષ્ણાત સમિતિએ સુપ્રીમ કોર્ટમાં પોતાનો રિપોર્ટ રજૂ કર્યો છે. એક્સપર્ટ કમિટીએ પોતાના રિપોર્ટમાં કહ્યું છે કે, અદાણી ગ્રુપ અને હિંડનબર્ગ વિવાદના મામલામાં તમામ તપાસ સમયસર પૂર્ણ કરવાની જરૂર છે, એક્સપર્ટ પેનલ અત્યારે એવું નિષ્કર્ષ આપી શકતી નથી કે, ભાવમાં હેરાફેરીના આરોપમાં રેગ્યુલેટર સેબીની નિષ્ફળતા રહી છે. સુપ્રીમ કોર્ટની વિશેષ સમિતિએ કહ્યું કે,ભારતના બજાર નિયામક સેબીએ જૂથની એન્ટિટીઓની માલિકી અંગેની તેની તપાસમાં તારણો રજૂ કર્યા છે.
શું કહેવું છે એક્સપર્ટ કમિટીનું ?
એક્સપર્ટ કમિટીનું કહેવું છે કે, 24 જાન્યુઆરી 2023 પછી અદાણીના શેરમાં રિટેલ રોકાણકારોનું રોકાણ વધ્યું અને તેના આધારે એવું તારણ કાઢવામાં આવ્યું કે, ભારતીય શેરબજાર સંપૂર્ણપણે અસ્થિર નથી. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, અદાણીના શેરમાં ઘટાડો ખરેખર જોરદાર હતો, જે હિંડનબર્ગ રિપોર્ટના પ્રકાશનને કારણે થયો છે.
Adani Group-Hindenburg report matter | Parties have affirmed on oath that FPI (Foreign portfolio investment) investments are not funded by the Adani Group. SEBI has not proved that its suspicion can be translated into a firm case.
— ANI (@ANI) May 19, 2023
એક્સપર્ટ કમિટીએ રિપોર્ટમાં શું કહ્યું ?
એક્સપર્ટ કમિટીએ પોતાના રિપોર્ટમાં કહ્યું છે કે, એક્સપર્ટ પેનલ અત્યારે એવું તારણ કાઢી શકે નહીં કે સેબી કિંમતમાં હેરાફેરીના આરોપમાં નિષ્ફળ ગઈ છે. યુએસ શોર્ટ સેલર દ્વારા આઘાતજનક અહેવાલમાં ગૌતમ અદાણીના પોર્ટ-ટુ-એનર્જી સામ્રાજ્ય પર અન્ય છેતરપિંડીના આરોપો ઉપરાંત સ્ટોક મેનીપ્યુલેશનનો આરોપ મૂકવામાં આવ્યો હતો. નિષ્ણાત સમિતિએ કહ્યું કે, સેબીએ આવા 13 શંકાસ્પદ વ્યવહારોની ઓળખ કરી છે અને નિયમનકાર એ જાણવાનો પ્રયાસ કરી રહ્યું છે કે, આ વ્યવહારમાં કોઈ પ્રકારની છેતરપિંડી થઈ છે કે કેમ. સેબી આ અંગે માહિતી એકત્ર કરી રહી છે અને તપાસ નિર્ધારિત સમયમાં પૂર્ણ થવી જોઈએ.
Supreme Court appointed expert committee into the Adani -Hindenburg report informs SC that at this stage, taking into account the explanations provided by SEBI, supported by empirical data, prima facie, it would not be possible for the Committee to conclude that there has been a… pic.twitter.com/UGLtbpXmAE
— ANI (@ANI) May 19, 2023
સુપ્રીમ કોર્ટે સેબીને તપાસ માટે વધુ સમય આપ્યો
સુપ્રીમ કોર્ટે સેબીને અદાણી ગ્રુપ અને હિંડનબર્ગ વિવાદના કેસમાં તપાસ રિપોર્ટ રજૂ કરવા માટે 14 ઓગસ્ટ, 2023 સુધીનો સમય આપ્યો છે. જેથી અમેરિકા સ્થિત શોર્ટ સેલર ફર્મ હિંડનબર્ગ રિસર્ચ દ્વારા અદાણી ગ્રૂપ સામે કરાયેલા આરોપોની તપાસ પૂર્ણ થઈ શકે. આ પહેલા સુપ્રીમ કોર્ટે સેબીને બે મહિનાનો સમય આપ્યો હતો. પરંતુ સેબીએ સંપૂર્ણ તપાસ માટે વધુ 6 મહિનાનો સમય માંગ્યો હતો, પરંતુ સુપ્રીમ કોર્ટે સેબીને સંપૂર્ણ તપાસ માટે માત્ર 3 મહિનાનો સમય આપ્યો છે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
લોકસભા ચૂંટણી 2024 / 'વિરોધ કરે છે તે જ ભાજપ સાથે મળેલા' કોંગ્રેસે સસ્પેન્ડ કર્યા બાદ નિલેશ કુંભાણીએ વીડિયો જાહેર કર્યો
Lok Sabha Election 2024
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime