બ્રેકિંગ ન્યુઝ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો
લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર
VTV / ભારત / Politics / Biggest blow to CM Kejriwal Supreme Court dismisses petition with sword of house arrest still hanging
Vishal Dave
Last Updated: 09:17 PM, 21 March 2024
સીએમ કેજરીવાલને દિલ્હી હાઈકોર્ટથી મોટો ઝટકો લાગ્યો છે. ગુરુવારે, કોર્ટે કહ્યું કે તેમને ધરપકડથી કોઇ રાહત આપવામાં નહીં આવે. વાસ્તવમાં, કેજરીવાલ EDના સમન્સ પર પૂછપરછ માટે આવી રહ્યા ન હતા, તેમણે કોર્ટને એવી અરજી કરી હતી કે ઇડી ખાતરી આપે કે તેમની ધરપકડ કરવામાં આવશે નહીં તો તેઓ ઇડી સમક્ષ હાજર થઇ તપાસમાં સહયોગ આપવા તૈયાર છે.. કોર્ટે કહ્યું કે કેજરીવાલે સમન્સના જવાબમાં ED સમક્ષ હાજર થવું પડશે, તેમની ધરપકડ પર કોઈ સ્ટે નથી.
ED સમન્સના કેસમાં દિલ્હી હાઈકોર્ટે ED પાસે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ વિરુદ્ધ પુરાવા માંગ્યા હતા. આ પછી EDના અધિકારીઓ પુરાવા સાથે જજની ચેમ્બરમાં પહોંચ્યા. ન્યાયાધીશ હવે પુરાવાની ફાઇલ જોઈ રહ્યા છે. માનવામાં આવે છે કે પુરાવા જોયા બાદ જજ આજે જ આ મામલે મોટો નિર્ણય લઈ શકે છે.
કેજરીવાલે અરજીમાં કહ્યું હતું કે ઇડી ખાતરી આપે
વાસ્તવમાં સીએમ કેજરીવાલે ED સમન્સના મામલે દિલ્હી હાઈકોર્ટનો સંપર્ક કર્યો હતો. સુનાવણી દરમિયાન, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) ની નોટિસ પછી, દિલ્હીના સીએમ કેજરીવાલે પૂછપરછ માટે આવતા પહેલા ધરપકડ નહીં કરવાની બાંયધરી માંગી હતી. સીએમ કેજરીવાલના વકીલ અભિષેક મનુ સિંઘવીએ કહ્યું કે કેજરીવાલ પૂછપરછ માટે ED સમક્ષ આવશે, પરંતુ EDએ કોર્ટમાં કહેવું જોઈએ કે તેમની સામે કોઈ દંડાત્મક કાર્યવાહી કરવામાં આવશે નહીં.
'ખબર નથી કે તેમને કોણે કહ્યું કે અમે તેમને ધરપકડ માટે બોલાવી રહ્યા છે'
કોર્ટે EDને પૂછ્યું કે તમે સમન્સ પર સમન્સ મોકલી રહ્યા છો! તમે ધરપકડ કેમ ન કરી? કોણ રોકે છે? EDના વકીલ એએસજી એસવી રાજુએ કહ્યું કે તેમને ખબર નથી કે તેમને કોણે કહ્યું કે અમે તેમને ધરપકડ કરવા માટે બોલાવી રહ્યા છીએ.અમારે પૂછપરછ કરવી છે.. .. EDએ કહ્યું કે અમને સમન્સનો અધિકાર છે. તેઓએ અમારા સમન્સ પર આવવું જોઈએ અને તપાસમાં સહકાર આપવો જોઈએ અને અમારા પ્રશ્નોના જવાબ આપવા જોઈએ.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh