બ્રેકિંગ ન્યુઝ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો
લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર
VTV / ગુજરાત / ભાવનગર / Bhavnagar : Brother-sister duo commit suicide months after deaths of parents, two siblings
Hiralal
Last Updated: 06:19 PM, 19 August 2023
ગુજરાતના ભાવનગરના શિહોરમાં એક ગામમાં બનેલી ઘટનાથી સૌ કોઈ હતપ્રત છે. હકીકતમાં પોતાના માતાપિતા અને ભાઈ-બહેનોના મોતના વિયોગમાં ઝૂરી રહેલા ભાઈ અને બહેને ઝેર પીઈને આપઘાત કરી લેતા લોકોને આંચકો લાગ્યો હતો. આંચકો લાગવાનું કારણ હતું, 8 જુને સુરતમાં આ જ ભાઈ અને બહેનના માતાપિતા અને ભાઈ-બહેને સાથે મળીને ઝેર પીએ આપઘાત કરી લીધો, આપઘાત વખતે આ બન્ને બાળકો બહાર હતા ત્યારથી તેઓ પરિવારના મોતનો વિયોગમાંથી બહાર આવી શક્યા નહોતા અને આખરે આજે તેમણે પણ પરિવારને પગલે ડગલું માંડ્યું અને મોતને ગળે લગાવી દીધું.
શિહોરમાં ભાઈ-બહેને ઝેરી દવા પીધી
ગુજરાતના ભાવનગર જિલ્લામાં એક દર્દનાક ઘટનાએ સનસનાટી મચાવી દીધી હતી. અગાઉ એક જ પરિવારના માતા-પિતા અને તેમના બે સંતાનો (ભાઈ-બહેન) એમ ટોટલ આપઘાત કરી લીધો હતો. પરંતુ થોડા મહિના બાદ ઘરમાંથી બચી ગયેલી 25 વર્ષીય યુવતી અને તેના નાના ભાઈએ ઘરમાં જંતુનાશક દવા પીને આત્મહત્યા કરી લીધી હતી. પોલીસે શનિવારે આ માહિતી આપી હતી. સિહોર તાલુકાના સોનગઢ પોલીસ સ્ટેશનના સબ-ઇન્સ્પેક્ટર ડી.વી.ડાંગરે જણાવ્યું હતું કે, ઋષિતા મોરડિયા અને તેના ભાઈ પાર્થે શુક્રવારે બપોરે તેમના ઘરે ફિનાઇલ પી લીધું હતું અને સિહોરની હોસ્પિટલ લઈ જતાં રસ્તામાં જ તેનું મોત નીપજ્યું હતું.
સુરતમાં મોરડિયા પરિવારે કર્યો હતો આપઘાત
મોરડિયા પરિવારના ચાર સભ્યોએ જૂન મહિનામાં સુરત શહેરમાં આત્મહત્યા કરી લીધી હતી, જ્યારે ઋષિતા અને પાર્થ ઘરની બહાર હતા. 8 જુનના દિવસે સુરતમાં રત્ન કલાકાર વિનુભાઈ મોરડિયા (55), તેમના પત્ની શારદાબેન, પુત્રી સનિતા (19) અને પુત્ર કૃષે તેમના ઘરે ઝેરી દવા પીઈને આપઘાત કર્યો હતો. આપઘાત વખતે ઋષિતા અને પાર્થ ઘરની બહાર હોવાથી બચી ગયા હતા. પરંતુ ત્યાર બાદ બન્નેને પરિવારના મોતનો ભારે આઘાત લાગ્યો
અને માતાપિતાના ગમમાં રહેવા લાગ્યાં હતા.
ઋષિતાએ અગાઉ પણ પીધું હતું ફિનાઈલ
માતા-પિતાનું અવસાન થયા બાદથી ભાઇ-બહેન પોતાના સંબંધીઓ સાથે સુરતમાં રહેતા હતા, પરંતુ તેઓ ત્રણ દિવસ પહેલા સિહોર તાલુકાના તેમના વતન ગામ પડપાણ પરત ફર્યા હતા. "ભાઈ-બહેન તેમના પરિવારના ચાર સભ્યોને ગુમાવવાનો આઘાત સહન કરી શક્યા નહીં અને અનેક વાર અગાઉ આપઘાતની વાતો કરવા લાગ્યાં હતા. પરિવારના ચાર સભ્યોના મોતના બે દિવસ બાદ ઋષિતાએ ફિનાઇલ પીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી અને ડોક્ટરોએ તેને બચાવી લીધી હતી પરંતુ આજે તે ન બચી શકી. આ ઘટનાએ ભારે ચકચાર મચાવી છે.
આપઘાત પહેલા ઋષિતાએ તેના ભાઈને કહ્યું હતું આવું
ઋષિતાએ તેના ભાઈને અવારનવાર એવું કહેતું હોવાનું પણ સાંભળવામાં આવતું હતું કે તેમને હવે જીવીને શું કરવું છે. મમ્મી-પપ્પા અને ભાઈ-બહેન ચાલ્યાં ગયા તેમણે પણ હવે મરવું છે. તેણે અગાઉ પણ એક વાર આપઘાતનો પ્રયાસ કર્યો હતો. આપઘાત પહેલા દીકરીના મનમાં એવું જ થતું હશે કે હવે તેઓ સ્વર્ગે ચાલ્યાં જશે અને ત્યાં મમ્મી-પપ્પાને મળશે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
લોકસભા ચૂંટણી 2024 / 'વિરોધ કરે છે તે જ ભાજપ સાથે મળેલા' કોંગ્રેસે સસ્પેન્ડ કર્યા બાદ નિલેશ કુંભાણીએ વીડિયો જાહેર કર્યો
Lok Sabha Election 2024
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime