બ્રેકિંગ ન્યુઝ
એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી
લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ
લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા
રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા
ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી
કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી
રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે
લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી
VTV / Attack on Sanatan: Controversial statement of Congress CM after Udayanidhi, said I refused to enter the temple because...
Megha
Last Updated: 01:20 PM, 7 September 2023
તામિલનાડુના મુખ્યમંત્રી એમકે સ્ટાલિનના પુત્ર દ્વારા સનાતન ધર્મને ડેંગ્યુ-મેલેરિયા કહેવાનું નિવેદન જોર પકડી રહ્યું છે. આ દરમિયાન કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના પુત્ર પ્રિયંક ખડગેએ પણ સનાતન ધર્મને લઈને વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. સનાતન ધર્મ અંગે તમિલનાડુના મંત્રી ઉધયનિધિ સ્ટાલિનના વલણને સમર્થન આપતાં તેમણે કહ્યું કે કોઈપણ ધર્મ જે અસમાનતાને પ્રોત્સાહન આપે છે તે એક રોગ છે.
ದ್ವೇಷ ಹಂಚುವ ಮೂಲಕ ರಾಜಕೀಯ ಲಾಭ ಪಡೆಯಲು ಹವಣಿಸುತ್ತಿದ್ದ ಕೋಮುವಾದಿ ಶಕ್ತಿಗಳ ವಿರುದ್ಧ ಸೆಡ್ಡುಹೊಡೆದು ನಾವು ಬಿತ್ತಿದ್ದ ಪ್ರೀತಿಯ ಬೀಜ ವ್ಯರ್ಥವಾಗಲಿಲ್ಲ. ನಾಡಿನ ಸೌಹಾರ್ದ ಮನಸುಗಳನ್ನು ಒಂದಾಗಿಸಿದ ಭಾರತ್ ಜೋಡೊ ಯಾತ್ರೆಯ ಫಲ ಕಳೆದ ವಿಧಾನಸಭಾ ಚುನಾವಣೆಯ ಫಲಿತಾಂಶದಲ್ಲಿ ವ್ಯಕ್ತವಾಗಿದೆ. @RahulGandhi ಅವರು ಭಾರತ ಜೋಡೋ… pic.twitter.com/IzxDKZoz6y
— Siddaramaiah (@siddaramaiah) September 7, 2023
સિદ્ધારમૈયાએ વધુ એક વિવાદને જન્મ આપ્યો છે
DMK ના નેતા અને તમિલનાડુના મંત્રી ઉધયનિધિ સ્ટાલિનનું સનાતન ધર્મ પર વિવાદાસ્પદ નિવેદન ચાલુ છે. તાજા સમાચાર આંધ્ર પ્રદેશના વિજયવાડાના છે. અહીં હિન્દુવાદી સંગઠન જન જાગરણ સમિતિએ ઉધયનિધિને થપ્પડ મારનાર વ્યક્તિને 10 લાખ રૂપિયાનું રોકડ ઈનામ આપવાની જાહેરાત કરી છે. શહેરમાં અનેક જગ્યાએ તેના પોસ્ટર લગાવવામાં આવ્યા છે. એવામાં સિદ્ધારમૈયાએ વધુ એક વિવાદને જન્મ આપ્યો છે
કેરળના એક મંદિરનો કિસ્સો કહેતા કહ્યું આ એક અમાનવીય પ્રથા છે
એવા સમયે જ્યારે તમિલનાડુના મંત્રી ઉધયનિધિ સ્ટાલિનની 'સનાતન ધર્મને નાબૂદ કરો'ની ટિપ્પણી પર ભારત ગઠબંધન આલોચનાનો સામનો કરી રહ્યું છે, ત્યારે કર્ણાટકના મુખ્ય પ્રધાન સિદ્ધારમૈયાએ કેરળના મંદિરની એક ઘટના વર્ણવીને વધુ એક વિવાદ ઉભો કર્યો છે. કોંગ્રેસના નેતા અને સમાજ સુધારક નારાયણ ગુરુની 169મી જન્મજયંતિ નિમિત્તે બેંગલુરુમાં આયોજિત એક કાર્યક્રમમાં બોલતા મુખ્યમંત્રીએ કહ્યું કે, 'એકવાર હું કેરળના એક મંદિરમાં ગયો હતો. તેણે મને મારો શર્ટ ઉતારીને અંદર આવવા કહ્યું. મેં મંદિરમાં પ્રવેશવાની ના પાડી અને તેમને કહ્યું કે હું બહારથી દર્શન કરી લઇશ. તે કેટલાક લોકોને આવું કરવા માટે કહેતા હતા, બધાને નહીં. આ એક અમાનવીય પ્રથા છે. ભગવાન સમક્ષ દરેક સમાન છે.'
ભાજપ 'નીચ' અને માનવતા વિરોધી પક્ષ છે
આ સાથે જ ભારતીય જનતા પાર્ટીની આગેવાની હેઠળની કેન્દ્ર સરકાર ગરીબ વિરોધી અને અમાનવીય હોવાનો આરોપ લગાવતા, કર્ણાટકના મુખ્ય પ્રધાન સિદ્ધારમૈયાએ ગુરુવારે રાજ્યના લોકોને તેમને મત ન આપવા વિનંતી કરી હતી. સિદ્ધારમૈયાએ કહ્યું કે, ભાજપે અન્ન ભાગ્ય યોજના માટે ચોખા આપવાની વાતથી પીછેહઠ કરી. તેમણે કહ્યું કે, હું જ્યારે ગત ટર્મમાં સીએમ હતો ત્યારે સાત કિલો ચોખા મફતમાં આપતો હતો પરંતુ અગાઉની ભાજપ સરકારે તેને ઘટાડીને ચાર કિલો અને પાંચ કિલો કરી દીધા હતા. વિધાનસભાની ચૂંટણીમાં મેં વચન આપ્યું હતું કે અમે પાંચ કિલો વધારાનું અનાજ આપીશું. તેમણે કહ્યું કે ફૂડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયાએ ચોખા આપવાનું આશ્વાસન આપ્યું હતું પરંતુ કેન્દ્રએ ના પાડી દીધી હતી. સિદ્ધારમૈયાએ આરોપ લગાવ્યો કે, જ્યારે અમે ચોખા માંગ્યા તો તેઓ સંમત થયા અને પછી પાછા ફર્યા. તમારે નક્કી કરવાનું છે કે તેઓ કેટલા 'નીચ' છે.
સનાતનનો માત્ર વિરોધ નહીં પણ નાબૂદ કરી દેવો જોઈએ
મુખ્યમંત્રી એમકે સ્ટાલિનના પુત્ર ઉધયનિધિ સ્ટાલિને નિવેદન આપ્યું હતું કે, સનાતનનો માત્ર વિરોધ ન કરવો જોઈએ. તેના બદલે તેને નાબૂદ કરી દેવો જોઈએ. એક ન્યૂઝ એજન્સી અનુસાર ઉધયનિધિએ શનિવારે સનાતન નિર્મૂલન સંમેલનમાં આપેલા પોતાના નિવેદનમાં કહ્યું, સનાતન ધર્મ સામાજિક ન્યાય અને સમાનતાની વિરુદ્ધ છે. કેટલીક બાબતોનો વિરોધ કરી શકાતો નથી, તેને નાબૂદ કરી દેવો જોઈએ. આપણે ડેન્ગ્યુ, મચ્છર, મેલેરિયા કે કોરોનાનો વિરોધ કરી શકતા નથી. આપણે તેને નાબૂદ કરી નાખવાનું છે. એ જ રીતે આપણે સનાતનનો પણ નાશ કરવાનો છે.
જે સમાનતાને પ્રોત્સાહન આપતો નથી મારા મતે એ ધર્મ નથી
ખડગેએ કહ્યું, 'કોઈપણ ધર્મ જે સમાનતાને પ્રોત્સાહન આપતો નથી અને તે સુનિશ્ચિત કરતું નથી કે તમને માનવ તરીકેનું ગૌરવ છે. મારા મતે એ ધર્મ નથી. મારા મતે કોઈપણ ધર્મ જે તમારી સાથે માણસની જેમ ન વર્તે તે ધર્મ નથી. તેથી તે એક બીમારી જેવું જ છે. પ્રિયંક ખડગે બેંગલુરુ ટેક સમિટને લઈને પ્રેસ કોન્ફરન્સ કરી રહ્યા હતા. તમિલનાડુના રમતગમત પ્રધાન ઉધયનિધિએ સનાતન ધર્મની તુલના બીમારી સાથે કરી હતી. તેમણે કહ્યું હતું કે સનાતન ધર્મ ડેન્ગ્યુ અને મેલેરિયા જેવો છે અને આપણે તેને ખતમ કરવાનો છે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા