બ્રેકિંગ ન્યુઝ
આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો
VTV / ASI team's camp to survey Gnanwapi: Entire area shifted to camp, hearing in Supreme Court today
Megha
Last Updated: 09:12 AM, 4 August 2023
Gyanvapi ASI Survey: ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ એટલે કે ASI ની એક ટીમ સંકુલનું વૈજ્ઞાનિક સર્વેક્ષણ કરવા માટે જ્ઞાનવાપી મસ્જિદ પરિસરમાં પ્રવેશ કરીને સર્વેની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. આજે કડક સુરક્ષા વચ્ચે સવારે 7 વાગ્યે કાશી વિશ્વનાથ મંદિરની બાજુમાં ASIની ટીમ જ્ઞાનવાપી મસ્જિદ પરિસરમાં પંહોચી હતી.
#WATCH | Security deployed outside Jama Masjid, Sadar Bazar in Haryana's Gurugram ahead of Friday prayers pic.twitter.com/V3sSwwAlma
— ANI (@ANI) August 4, 2023
સર્વેને ધ્યાનમાં રાખીને કેમ્પસની સુરક્ષા વધારી દેવામાં આવી
આ સાથે જ સર્વેને ધ્યાનમાં રાખીને કેમ્પસની સુરક્ષા વધારી દેવામાં આવી છે. 2 આઈપીએસ, 4 એડિશનલ એસપી, 6 ડેપ્યુટી એસપી અને 10 પોલીસ ઈન્સ્પેક્ટર ઉપરાંત 200 જેટલા પોલીસ કર્મચારીઓને પણ તૈનાત કરવામાં આવ્યા છે. એ વાત તો નોંધનીય છે કે અલ્હાબાદ હાઈકોર્ટે ગુરુવારે ભારતીય પુરાતત્વ સર્વેક્ષણને સર્વે કરવાની મંજૂરી આપી હતી.
#WATCH | Varanasi, UP: On ASI survey of the Gyanvapi mosque complex, Subhash Nandan Chaturvedi, Advocate representing the Hindu side on the Gyanvapi case says, "All people (including ASI officials) have reached there. The survey has started. We are also going inside." pic.twitter.com/vZgDXfldMW
— ANI (@ANI) August 4, 2023
હાઈકોર્ટના નિર્ણય સામે મુસ્લિમ પક્ષ સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો
અલ્હાબાદ હાઈકોર્ટે અંજુમન ઈન્તેઝામિયા મસ્જિદ સમિતિની અરજીને ફગાવી દીધી હતી જેમાં કાશી વિશ્વનાથ મંદિરને અડીને આવેલા મસ્જિદ સંકુલના ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ (ASI)ના સર્વેક્ષણને પડકારવામાં આવ્યું હતું. બીજી તરફ હાઈકોર્ટના નિર્ણય સામે મુસ્લિમ પક્ષ સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો છે, જેની સુનાવણી આજે થશે.
#WATCH | Varanasi, UP: ASI (Archaeological Survey of India) to conduct a survey of the Gyanvapi mosque complex today
— ANI UP/Uttarakhand (@ANINewsUP) August 4, 2023
Sudhir Tripathi, advocate representing the Hindu side says, "ASI can only tell as to how many days it will take to complete the survey. It took 7-8 months to… pic.twitter.com/8nemxFMLJD
હિંદુ અને મુસ્લિમ પક્ષના 16 લોકો જ્ઞાનવાપી પરિસરની અંદર જશે
સર્વે દરમિયાન હિંદુ અને મુસ્લિમ પક્ષના 16 લોકો જ્ઞાનવાપી પરિસરની અંદર જશે. હિન્દુ પક્ષના વકીલ સુભાષ નંદન ચતુર્વેદીએ જણાવ્યું કે "અલાહાબાદ હાઈકોર્ટે ગઈ કાલે ASIને સર્વે કરવાની મંજૂરી આપી. ASI અને જિલ્લા વહીવટીતંત્રે તમામ તૈયારીઓ કરી લીધી છે. અમે પણ ત્યાં જઈ રહ્યા છીએ. આ સર્વે ઈતિહાસ રચવાની દિશામાં એક પગલું છે." હિંદુ પક્ષ તરફથી હાજર રહેલા એડવોકેટ સુધીર ત્રિપાઠીએ જણાવ્યું હતું કે, “માત્ર ASI જ કહી શકે છે કે સર્વેક્ષણ પૂર્ણ કરવામાં કેટલા દિવસો લાગશે. અયોધ્યામાં રામ મંદિરનો સર્વે પૂર્ણ કરવામાં 7-8 મહિનાનો સમય લાગ્યો હતો."
#WATCH | Varanasi, UP: On the ASI survey of the Gyanvapi mosque complex, advocate Sohan Lal Arya says, "According to the old list, eight people were there...In the new list that was released by the DM...My name was also there including others but it did not include the names of… pic.twitter.com/l85KGlIyVg
— ANI (@ANI) August 4, 2023
ઉત્તર પ્રદેશમાં લોકસભા ચૂંટણી પહેલા મુખ્યમંત્રી યોગી આદિત્યનાથનો હુંકાર
જ્ઞાનવાપી મસ્જિદનો વિવાદ આમ તો 1991થી ચાલી રહ્યો છે. જ્યારે બાબરી મસ્જિદને લઇને પણ આખા દેશમાં તણાવ જોવા મળ્યો હતો. વારાણસીના ઇતિહાસમાં હાલ જ્યાં જ્ઞાનવાપી મસ્જિદ છે ત્યાં શિવમંદિર હોવાના અનેક પ્રમાણ છે. જો કે હિંદુત્વવાદી નેતા યોગી આદિત્યનાથ ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી બન્યા બાદ એક બાદ એક મુગલકાળમાં બદલાયેલા શહેરોના નામ ફરી બદલી રહ્યા છે. આ તમામ રાજકીય નિર્ણયોએ તેમને દેશના સૌથી મોટા રાજ્ય ઉત્તરપ્રદેશમાં ફરી સત્તા અપાવી છે. જ્ઞાનવાપી મામલો કોર્ટમાં છે ત્યારે જ્ઞાનવાપી વિવાદ અંગે નિવેદન આપીને તેમણે ઉત્તરપ્રદેશથી લોકસભા પહેલા મોટી હુંકાર ભરી હોવાનો રાજકીય મંધાતાઓ દાવો કરી રહ્યા છે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
લોકસભા ચૂંટણી 2024 / 'વિરોધ કરે છે તે જ ભાજપ સાથે મળેલા' કોંગ્રેસે સસ્પેન્ડ કર્યા બાદ નિલેશ કુંભાણીએ વીડિયો જાહેર કર્યો
Lok Sabha Election 2024
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime