બ્રેકિંગ ન્યુઝ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો
લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર
VTV / મનોરંજન / બોલિવૂડ / Arjun Kapoor will pay the fund for anisha want to play in Indian cricket team
Manisha Jogi
Last Updated: 01:43 PM, 11 April 2023
ભારતમાં લોકોને ક્રિકેટ વધુ પસંદ છે. અનેક ખેલાડીઓ ક્રિકેટ રમીને પોતાના દેશનું નામ રોશન કરી રહ્યા છે. મુંબઈના પનવેલમાં રહેનાર અનીશા પણ ભારતીય મહિલા ક્રિકેટ ટીમ તરફથી રમવા માંગે છે અને ભારત માટે વર્લ્ડ કપ જીતવા માંગે છે. આર્થિક પરેશાની હોવા છતાં અનીશા ખૂબ જ મહેનત કરી રહી છે. અનીશાની મહેનત અને સંઘર્ષની કહાની સાંભળીને અર્જુન કપૂર મદદ માટે આગળ આવ્યા છે. અનિશા 11 વર્ષની છે, તેની મહેનત અને જુસ્સો જોઈને લોકો ઈમ્પ્રેસ થઈ ગયા છે. મીડિયા રિપોર્ટ્સમાં અનીશા વિશે અનેક વાર છાપવામાં આવ્યું છે. અર્જુન કપૂરને અનીશાની ક્ષમતા અને સંઘર્ષ વિશે જાણ થતા તેમણે અનીશાના સપનાને પૂરુ કરવાનો નિર્ણય લીધો. અર્જુન કપૂરે નિર્ણય કર્યો છે કે, અનીશા 18 વર્ષની થશે ત્યાં સુધી તેની ટ્રેનિંગ તથા ઈક્વિપમેન્ટ્સનો ખર્ચો તેઓ કરશે.
દેશ માટે રમવા માંગે છે અનીશા
અનીશા પનવેલના ટ્રોમ્બે અને બાંદ્રામાં MIG ક્લબમાંથી ટ્રેનિંગ લે છે. અનીશા સચિન તેંડુલકરને આદર્શન માને છે અને દેશ માટે રમવાનું વિચારી રહી છે. તમને જણાવી દઈએ કે, અનીશા મહારાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન માટે રમી ચૂકી છે.
અર્જુન કપૂર અનીશાનું સપનું પૂરું કરશે
અનીશાને મદદ કરવા બદલ અનીશાના પિતાએ અર્જુન કપૂરનો આભાર વ્યક્ત કર્યો છે. અનીશાના પિતા જણાવે છે કે, ‘વર્લ્ડ ક્લાસ ક્રિકેટર માટે એક સારી ટ્રેનિંગની જરૂરિયાત હોય છે. અનીશા ઈન્ડિયા કેપ મેળવવા માંગે છે. એક પિતા હોવાના નાતે મારે અનીશાને સશક્ત બનાવવી જોઈએ, જેથી તે અન્ય લોકો માટે પ્રેરણા બની શકે છે. અનીશા આવનારી પેઢી માટે પ્રેરણારૂપ સાબિત થઈ શકે.’ અનીશાના પિતાએ અર્જુન કપૂરને વરદાન ગણાવ્યા છે અને કહ્યું છે કે, તેમની મદદથી મારા ખભાનો ભાર થોડો ઓછો થઈ જશે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh