બ્રેકિંગ ન્યુઝ
VTV / મનોરંજન / બોલિવૂડ / anupam kher on farmers protest said entertainers and actors are not supposed to be crusaders
Arohi
Last Updated: 01:00 PM, 26 February 2024
અનુપમ ખેર હિંદી સિનેમાના સૌથી પ્રતિભાશાળી કલાકારોમાંથી એક છે. અભિનય ઉપરાંત તે અન્ય મુદ્દાઓ પર પણ બિંદાસ પોતાનો મત મુકે છે. તે ટૂંક સમયમાં જ ફિલ્મ કાગજ-2માં જોવા મળશે. હાલમાં જ અભિનેતાએ એક ઈન્ટરવ્યૂમાં ખેડૂત આંદોલન પર પોતાનો વિચાર શેર કર્યો.
ADVERTISEMENT
ADVERTISEMENT
અભિનેતાએ કહ્યું કે તેમણે વ્યક્તિગત ક્ષમતાથી વિરોધ પ્રદર્શનોમાં ભાગ લીધો છે પરંતુ તેમનું માનવું છે કે કલાકારોને કાર્યકર્તાના રૂપમાં કામ ન કરવું જોઈએ. અભિનેતાની ફિલ્મ કાગજ 2 પ્રદર્શનો અને રેલિયોના નકારાત્મક પ્રભાવના ખાસ વિષય પર આધારિત છે. વીકે પ્રકાશના નિર્દેશનમાં બનેલી આ ફિલ્મ વિરોધ પ્રદર્શનો અને રેલિયોના કારણે સામાન્ય વ્યક્તિઓને થતી મુશ્કેલીઓ વિશે છે.
અનુપમે કહ્યું, "અભિનેતાઓ અને મનોરંજન જગત સાથે જોડાયેલા લોકોને યોદ્ધા ન માની શકાય. મેં વ્યક્તિગત રીતે દરેક વસ્તુ વિશે અવાજ ઉઠાવ્યો છે. જેણે મને પરેશાન કર્યો છે તેના પરિણામ ભોગવ્યા છે. તેના કારણે હું ઘણા લોકોની વચ્ચે અલોકપ્રિય પણ થઈ ગયો. પરંતુ તેનાથી કોઈ ફરક નથી પડતો. રાત્રે હું મારા વિચારોની સાથે શાંતિથી સુવુ છું."
અભિનેતાએ કહ્યું કે મુદ્દાઓનું સમાધાન કરવાની આદર્શ રીત વાતચીત છે. મહાત્મા ગાંધી દ્વારા કરવામાં આવેલા આંદોલનના કારણે અમે એક સ્વતંત્ર દેશ છીએ. અમે ભારત છોડો આંદોલન, અસહયોગ આંદોલનનું પરિણામ છે. પરંતુ તે સમયે બધા દેશવાસીઓ એક સાથે હતા. તે બધા માટે હતું ફક્ત થોડા લોકોની મદદ માટે નહીં.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.