બ્રેકિંગ ન્યુઝ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો
લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર
Malay
Last Updated: 02:59 PM, 27 April 2023
વિજ્ઞાન અને ટેક્નોલોજીના જમાના પણ અંધશ્રદ્ધાના બનાવો સામે આવી રહ્યા છે, અંધશ્રદ્ધામાં અંધ બનતા પહેલા ચેતી જજો, નહીંતર નહીં થવાનું થશે. ત્યારે આવી જ એક ઘટના રાજકોટ જિલ્લામાંથી સામે આવી છે. જેમાં ભુવાએ દંપતી સાથે સવા લાખથી વધુની છેતરપિંડી આચરી છે. પીડિત પરિવારે ભુવા સામે પડધરી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
લગ્ન બાદ નહોતુ થતું સંતાન
મળતી માહિતી અનુસાર, રાજકોટના લોધિકાના કાંગશીયાળી ગામે રહેતા અને ડ્રાઈવિંગ કરતા બકુલભાઈ ચાવડાના વર્ષ 2013માં ભારતીબેન સાથે લગ્ન થયા હતા. લગ્ન બાદ તેઓને સંતાન થતું ન હોતું. ઘણી દવાઓ અને અનેક ડોક્ટરોને બતાવ્યા બાદ ભારતીબેનના સારા દિવસો શરૂ થયા હતા.
ડોક્ટરને બદલે ગયા ભુવા પાસે
ગર્ભવતી થયાના ત્રણ મહિના બાદ ભારતીબેને સોનોગ્રાફી કરાવતા બાળક ખોડ ખાપણવાળુ હોવાનું ડોક્ટરે જણાવ્યું હતું. જે બાદ તેઓ બીજા ડોક્ટરને બતાવવા માટે ગયા હતા. એ ડોક્ટરે પણ તેમને બાળક ખોડ ખાપણવાળુ હોવાનું જણાવ્યું હતું. જોકે, આ દંપતી ડોક્ટર પાસે દવા કરાવવાની જગ્યાએ ન્યારા ગામના ભુવા પાસે દોરા ધાગા કરાવવા ગયા હતા.
ભુવાએ કહ્યું- હું બધુ સરખુ કરી દઈશ
ન્યારા ગામના ભુવા મહેન્દ્ર મુછડિયાએ દાણા જોઈને કહ્યું હતું કે, હું બધુ સરખુ કરી દઈશ, તમે ડોક્ટરને બદલી નાખો. આ માટે મારે એક વિધિ કરવી પડશે. જેથી આ બકુલભાઈ અને ભારતીબેન ભુવાની વાતમાં આવી ગયા હતા અને વિધિ કરાવવા માટે તૈયાર થઈ ગયા હતા.
અવિકસિત બાળકને જન્મ આપ્યો
ભુવાએ આ દંપતિ પાસેથી વિધિના બહાને સવા લાખથી વધુ રૂપિયા પડાવ્યા હતા. જોકે, ભારતીબેને રૂપિયા આપ્યા બાદ અવિકસિત બાળકને જન્મ આપ્યો હતો. જે બાદ તેઓ બાળકને લઈને ભુવા પાસે ગયા હતા. આ દરમિયાન તેણે જણાવ્યું હતું કે, એક વર્ષમાં તમારું બાળક સરખું થઈ જશે. જે બાદ અંધશ્રદ્ધાનો ભોગ બનેલા આ દંપતીએ વિજ્ઞાનજાથાનો સંપર્ક કર્યો હતો. વિજ્ઞાનજાથા દ્વારા ભુવાનો ભાંડો ફોડવામાં આવ્યો હતો. દંપતી દ્વારા ભુવા સામે પડધરી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
લોકસભા ચૂંટણી 2024 / 'વિરોધ કરે છે તે જ ભાજપ સાથે મળેલા' કોંગ્રેસે સસ્પેન્ડ કર્યા બાદ નિલેશ કુંભાણીએ વીડિયો જાહેર કર્યો
Lok Sabha Election 2024
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime