બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / રાજકોટ / Another incident of superstition happened from Rajkot district

ચોંકાવનારો કિસ્સો / ઢોંગી ભુવાથી સાવધાન: સંતાન પ્રાપ્તિના નામે રાજકોટના દંપતી સાથે સવા લાખથી વધુની છેતરપિંડી, અવિકસિત બાળક જન્મતા ફરિયાદ

Malay

Last Updated: 02:59 PM, 27 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વિછીયા પંથકમાં કમળપુજાની ઘટના હજુ તાજી જ છે, ત્યાં રાજકોટ જિલ્લામાંથી વધુ એક અંધશ્રદ્ધાનો કિસ્સો સામે આવ્યો છે. અંધશ્રદ્ધાનો ભોગ બનેલા દંપતીએ ભુવા સામે પડધરી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

 

  • ઢોંગી ભુવા સામે છેતરપિંડીની ફરિયાદ
  • ભુવાએ સવા લાખથી વધુની છેતરપિંડી આચરી
  • સંતાન પ્રાપ્તિની લાલચ આપીને છેતરપિંડી

વિજ્ઞાન અને ટેક્નોલોજીના જમાના પણ અંધશ્રદ્ધાના બનાવો સામે આવી રહ્યા છે, અંધશ્રદ્ધામાં અંધ બનતા પહેલા ચેતી જજો, નહીંતર નહીં થવાનું થશે. ત્યારે આવી જ એક ઘટના રાજકોટ જિલ્લામાંથી સામે આવી છે. જેમાં ભુવાએ દંપતી સાથે સવા લાખથી વધુની છેતરપિંડી આચરી છે.  પીડિત પરિવારે ભુવા સામે પડધરી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. 

લગ્ન બાદ નહોતુ થતું સંતાન
મળતી માહિતી અનુસાર, રાજકોટના લોધિકાના કાંગશીયાળી ગામે રહેતા અને ડ્રાઈવિંગ કરતા બકુલભાઈ ચાવડાના વર્ષ 2013માં ભારતીબેન સાથે લગ્ન થયા હતા. લગ્ન બાદ તેઓને સંતાન થતું ન હોતું. ઘણી દવાઓ અને અનેક ડોક્ટરોને બતાવ્યા બાદ ભારતીબેનના સારા દિવસો શરૂ થયા હતા.  

ડોક્ટરને બદલે ગયા ભુવા પાસે 
ગર્ભવતી થયાના ત્રણ મહિના બાદ ભારતીબેને સોનોગ્રાફી કરાવતા બાળક ખોડ ખાપણવાળુ હોવાનું ડોક્ટરે જણાવ્યું હતું. જે બાદ તેઓ બીજા ડોક્ટરને બતાવવા માટે ગયા હતા. એ ડોક્ટરે પણ તેમને બાળક ખોડ ખાપણવાળુ હોવાનું જણાવ્યું હતું. જોકે, આ દંપતી ડોક્ટર પાસે દવા કરાવવાની જગ્યાએ ન્યારા ગામના ભુવા પાસે દોરા ધાગા કરાવવા ગયા હતા. 

ભુવાએ કહ્યું- હું બધુ સરખુ કરી દઈશ
ન્યારા ગામના ભુવા મહેન્દ્ર મુછડિયાએ દાણા જોઈને કહ્યું હતું કે, હું બધુ સરખુ કરી દઈશ, તમે ડોક્ટરને બદલી નાખો. આ માટે મારે એક વિધિ કરવી પડશે. જેથી આ બકુલભાઈ અને ભારતીબેન ભુવાની વાતમાં આવી ગયા હતા અને વિધિ કરાવવા માટે તૈયાર થઈ ગયા હતા. 

Panchmahal: Occultist unearthed 2 Yr Old Girl Corpse for Malpractice in  Ghoghamba
પ્રતિકાત્મક તસવીર

અવિકસિત બાળકને જન્મ આપ્યો 
ભુવાએ આ દંપતિ પાસેથી વિધિના બહાને સવા લાખથી વધુ રૂપિયા પડાવ્યા હતા. જોકે, ભારતીબેને રૂપિયા આપ્યા બાદ અવિકસિત બાળકને જન્મ આપ્યો હતો. જે બાદ તેઓ બાળકને લઈને ભુવા પાસે ગયા હતા. આ દરમિયાન તેણે જણાવ્યું હતું કે, એક વર્ષમાં તમારું બાળક સરખું થઈ જશે. જે બાદ અંધશ્રદ્ધાનો ભોગ બનેલા આ દંપતીએ વિજ્ઞાનજાથાનો સંપર્ક કર્યો હતો. વિજ્ઞાનજાથા દ્વારા ભુવાનો ભાંડો ફોડવામાં આવ્યો હતો. દંપતી દ્વારા ભુવા સામે પડધરી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ