બ્રેકિંગ ન્યુઝ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો
લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર
Arohi
Last Updated: 09:15 AM, 22 September 2023
છેલ્લા થોડા દિવસોથી કેનેડા અને ભારતની વચ્ચે વિવાદ વધતો જઈ રહ્યો છે. બન્ને દેશોની વચ્ચે વધતા ટેન્શનની અસર વ્યાપાર પર જોવા મળી રહી છે. બન્ને દેશોની વચ્ચે વધતા સ્ટ્રેસની વચ્ચે બિઝનેસમેન આનંદ મહિંદ્રાએ પણ એક મોટો નિર્ણય કર્યો છે.
આનંદ મહિંદ્રાની કંપની મહિંદ્રા એન્ડ મહિંદ્રાએ કેનેડા બેસ્ડ કંપની રેસન એયરોસ્પેસ કોર્પોરેશન સાથે પોતાની ભાગીદારીને ખતમ કરવાનો નિર્ણય કર્યો છે. કેનેડાની આ કંપનીમાં મહિંદ્રા એન્ડ મહિંદ્રાની 11.18 ટકાની ભાગીદારી છે.
કંપનીએ આ કારણે લીધો નિર્ણય
હકીકતે મહિંદ્રા એન્ડ મહિંદ્રાની સબ્સિડિયરી કંપની રેસન એયરોસ્પેસ કોર્પોરેશને કેનેડામાં પોતાનું સંચાલન બંધ કરવાની જાહેરાત કરી છે. મહિંદ્રાનો આ નિર્ણય તે સમયે આવ્યો છે જ્યારે કેનેડા અને ભારતની વચ્ચે તણાવ ચરમ પર છે.
બન્ને દેશોની વચ્ચે કૂટનૈતિક લડાઈ ચાલી રહી છે. એવામાં લોકો મહિંદ્રાના નિર્ણયને તેની સાથે જોડીને જોઈ રહ્યા છે. જોકે કંપનીએ આ નિર્ણય વોંલ્ટ્રી બેસિસ પર લીધો છે. કંપની બંધ થવાના કારણે કેનેડાની અર્થવ્યવસ્થાને ઝટકો લાગશે.
કંપનીએ ભાગીદારી પર લગાવ્યું ફૂલસ્ટોપ
મહિંદ્રા એન્ડ મહિંદ્રાએ કેનેડાની કંપની રેસન એયરોસ્પેસ સાથે પોતાના સંબંધ તોડી નાખ્યા છે અને પોતાની 11.18%ની ભાગીદારીને પુરી કરી નાખી છે. હકીકતે રેસન એયરોસ્પેસે કેનેડામાં અરજી આપીને પોતાનો વ્યાપાર બંધ કરવાની જાહેરાત કરી છે. હવે મહિંદ્રાએ કંપનીથી પોતાના સંબંધ પુરા કરવાનો નિર્ણય લીધો છે.
મહિંદ્રાએ તેની જાણકારી સેબીને આપી. તેમણે જણાવ્યું કે તેમને રેસનથી કંપની બંધ થવાની સૂચના મળી છે. રેસનના બંધ થવા પર મહિંદ્રાને 2.8 મિલિયન કેનેડિયન ડોલર એટલે કે લગભગ 28.7 કરોડ રૂપિયા મળશે. તમને જણાવી દઈએ કે રેસન એયરોસ્પેસના બંધ થવાથી મહિંદ્રાના વ્યાપાર પર વધારે અસર નહીં પડે. પરંતુ આ ખબર ત્યારે સામે આવી છે જ્યારે ભારત અને કેનેડાની વચ્ચે તણાવ છે. એવામાં લોકો આ નિર્ણયને તેની સાથે જોડીને જોઈ રહ્યા છે.
કંપનીએ ઓપરેશન કર્યું બંધ
મહિંદ્રા એન્ડ મહિંદ્રાની તરફથી શેર બજારને તેની જાણકારી આપવામાં આવી છે. કંપનીએ કહ્યું છે કે 20 સપ્ટેમ્બરથી રેસન એયરોસ્પેસ કોર્પોરેશન, કેનેડામાં પોતાના વ્યાપારને બંધ કરી રહી છે. તેની મંજૂરી માટે બધા જરૂરી દસ્તાવેજ મળી ગયા છે.
કંપનીને તેની સૂચના આપવામાં આવી છે. જેમાં મહિંદ્રા એન્ડ મહિંદ્રાએ કહ્યું છે કે તેની કેનેડા બેસ્ડ કંપની રેસન એયરોસ્પેસ કોર્પોરેશનમાં પોતાનું ઓપરેશન બંધ કર્યું છે. કંપનીએ સ્વૈચ્છિક રીતે ઓપરેશન બંધ કરવાનો નિર્ણય કર્યો છે.
તમને જણાવી દઈએ કે રેસન એગ્રીકલ્ચર સાથે જોડાયેલા ટેક સોલ્યૂશન બનનાર કંપની છે. મહિંદ્રા એન્ડ મહિંદ્રા પણ ખેતી સાથે જોડાયેલા પ્રોડક્ટ્સ બનાવે છે. જોકે મહિંદ્રા એન્ડ મહિંદ્રાના આ નિર્ણયની અસર તેમના શેરો પર જોવા મળી છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
લોકસભા ચૂંટણી 2024 / 'વિરોધ કરે છે તે જ ભાજપ સાથે મળેલા' કોંગ્રેસે સસ્પેન્ડ કર્યા બાદ નિલેશ કુંભાણીએ વીડિયો જાહેર કર્યો
Lok Sabha Election 2024
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime