બ્રેકિંગ ન્યુઝ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો
લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર
Priyakant
Last Updated: 04:03 PM, 2 April 2023
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ તેમના બે દિવસીય બિહાર પ્રવાસે છે. રાજ્યમાં ચાલી રહેલી હિંસા વચ્ચે અમિત શાહે રવિવારે નવાદામાં જનસભા કરી હતી. આ દરમિયાન અમિત શાહે સાસારામના લોકોની માફી માંગી હતી કારણ કે તેમની રેલી ત્યાં થઈ શકી ન હતી. શાહે કહ્યું કે, હું જ્યારે આગામી સમયમાં બિહાર આવીશ ત્યારે ચોક્કસ સાસારામ આવીશ. અમિત શાહે કહ્યું કે, સાસારામમાં હિંસાને કારણે ત્યાં જઈ શક્યા નથી. પોતાની રેલીમાં અમિત શાહે બિહાર સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા.
Bihar | I pray to god that peace is restored at the earliest in the state. There's no point in speaking with the state govt here, when I called the Governor then Lalan Singh (JDU president) got offended: Union Home minister Amit Shah pic.twitter.com/N3U3tIMBwG
— ANI (@ANI) April 2, 2023
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે, હું સાસારામની માફી માંગવા માંગુ છું, પરંતુ સાસારામના લોકોને કહેવા માંગુ છું કે, ટૂંક સમયમાં જ અમે મહાન સમ્રાટ અશોકની યાદમાં સાસારામમાં એક સંમેલન યોજીશું. હું ભગવાનને પ્રાર્થના કરું છું કે, સાસારામમાં જલ્દી શાંતિ સ્થપાય. કારણ કે સરકારને કહેવાનો કોઈ અર્થ નથી. મેં રાજ્યપાલ સાથે આ વિશે વાત કરી. હું તેમને કહેવા માંગુ છું કે, હું આ દેશનો ગૃહમંત્રી છું, બિહાર પણ આ દેશનો એક ભાગ છે. જો તમે શાંતિ વ્યવસ્થા સંભાળી ન શક્યા તો અમારે ચિંતા કરવાની જરૂર છે.
#WATCH | "...The government which has jungle raj's Lalu Prasad Yadav's party, can that govt bring peace in Bihar? Nitish Kumar (Bihar CM) sat in the lap of Lalu Prasad Yadav due to hunger for power, we will uproot the 'Mahagathbandhan' govt: Amit Shah pic.twitter.com/GljXQixCo2
— ANI (@ANI) April 2, 2023
લાલુ પ્રસાદ યાદવને ગણાવ્યા જંગલ રાજના પ્રણેતા
અમિત શાહે લાલુ પ્રસાદ યાદવને જંગલ રાજના પ્રણેતા ગણાવ્યા હતા. તેમણે કહ્યું કે, નીતીશ બાબુ સત્તાની ભૂખે તમને લાલુના ખોળામાં બેસવા માટે મજબૂર કર્યા, પરંતુ અમારી કોઈ મજબૂરી નથી. અમે જનતાની વચ્ચે જઈને લોકોની સમસ્યાઓ હલ કરીશું. તેમણે કહ્યું કે, મેં આવી સ્વાર્થી સરકાર જોઈ નથી. જેઓ સત્તાના લોભમાં માત્ર પોતાના વિશે જ વિચારે છે.
#WATCH | "...If someone has any doubt that BJP will take JDU back into NDA after election results, then I want to make it clear that BJP's doors are shut for them (JDU) forever": Union HM Amit Shah in Bihar rally pic.twitter.com/KJll9jH6lm
— ANI (@ANI) April 2, 2023
ન તો તેજસ્વી CM બનશે, ન નીતીશ પીએમ
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આગળ કહ્યું કે, આજે હું લાલુજીને પણ કહેવા આવ્યો છું, તમે નીતીશ બાબુને જાણો છો, પીએમ તો એ બનવાથી રહ્યા ત્યાં કોઈ જગ્યા ખાલી નથી. દેશની જનતા પીએમ મોદીને ત્રીજી વખત પણ ચૂંટશે. ન તો તેજસ્વી CM બનશે, ન નીતીશ પીએમ. અમિત શાહે કહ્યું કે, બિહાર સરકાર ખરાબ ઈરાદાઓ અને ખરાબ નીતિઓની સરકાર છે. ભ્રષ્ટાચારની B, અરાજકતાની A અને દમનની D... આ ત્રણેયને જોડીને આ સરકાર બની છે અને તેને જડમૂળથી ફેંકી દેવી પડશે.
તમે ઘણી પાર્ટીઓને છેતર્યા
સીએમ નીતિશ કુમાર પર નિશાન સાધતા શાહે કહ્યું કે, 'નીતીશ બાબુ, તમે તમારા જીવનમાં ઘણી પાર્ટીઓ બદલી છે, ઘણા લોકોને છેતર્યા છે, પરંતુ જે યુપીએમાં તમે લાલુ સાથે ગયા હતા તેમણે બિહારને શું આપ્યું?'
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh