બ્રેકિંગ ન્યુઝ
મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ
લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન
લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા
લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું
લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા
લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી
Bijal Vyas
Last Updated: 01:14 PM, 30 June 2023
Amarnath Yatra 2023 : તીર્થોના તીર્થ કહેવામાં આવતા અમરનાથ ગુફા મહાદેવના મુખ્ય તીર્થ સ્થાનોમાંથી એક માનવામાં આવે છે. સનાતન ધર્મમાં અમરનાથ ગુફાનું વિશેષ મહત્વ છે. દર વર્ષે મોટી સંખ્યામાં મહાદેવના ભક્તો દૂર-દૂરથી તેમના દર્શન કરવા આવે છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર જે વ્યક્તિ બર્ફાની બાબાના દર્શન કરે છે. તેને શિવશંકરની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે. લગભગ 10 થી 12 ફૂટ ઉંચા બરફનું શિવલિંગ કુદરતી રીતે અમરનાથ ગુફામાં બનેલું છે. દક્ષિણ કાશ્મીરના હિમાલય ક્ષેત્રમાં અમરનાથ ગુફા સ્થિત છે, જે શ્રીનગરથી લગભગ 141 કિલોમીટરના અંતરે 3888 મીટર એટલે કે 12756 ફૂટની ઉંચાઈ પર સ્થિત છે. તો આવો જાણીએ અમરનાથ યાત્રા સાથે જોડાયેલા 5 રોચક તથ્યો વિશે....
અમરનાથ ગુફાથી જોડાયેલા 5 રોચક તથ્ય
1. ગુફાની લંબાઈઃ અમરનાથ ગુફાની લંબાઇ 19 મીટર અંદર અને 16 મીટર પહોળી છે. આ ગુફાની ઊંચાઈ 11 મીટર છે અને તે લગભગ 150 ફૂટના વિસ્તારમાં ફેલાયેલી છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર, આ એ જ ગુફા છે જ્યાં ભગવાન શિવે માતા પાર્વતીને અમરત્વનું જ્ઞાન આપ્યું હતું. આ ગુફામાં ભગવાન ભોલેનાથ સ્વયં નિવાસ કરે છે. અહીં માતા સતીના ગળાનો ભાગ પડી ગયો હતો. તેથી જ તેની ગણતરી 51 શક્તિપીઠોમાંની એક તરીકે થાય છે.
2. એક માત્ર બરફનું શિવલિંગ
કાશ્મીરમાં અસંખ્ય ધાર્મિક તીર્થસ્થાનો છે, જેમાં 45 શિવ ધામ, 3 બ્રહ્મા ધામ, 60 વિષ્ણુ ધામ, 22 શક્તિ ધામ અને લગભગ 700 નાગ ધામ આવેલા છે. આ બધામાં અમરનાથ ધામ સૌથી વધુ મહત્વ ધરાવે છે. કહેવાય છે કે, જે વ્યક્તિ કાશીમાં શિવલિંગના દર્શન કરીને પૂજા કરે છે તેને 10 ગણું ફળ મળે છે. પરંતુ અમરનાથ બાબાના દર્શન પ્રયાગ કરતાં 100 ગણી વધુ અને નૈમિષારણ્ય કરતાં હજાર ગણી વધુ ગુણકારી માનવામાં આવે છે. કાશ્મીરના શાસક સમદીમત વિશે ઉલ્લેખ છે કે, તે ભગવાન શિવના પરમ ભક્ત હતા. જે જંગલોમાં બરફથી બનેલા શિવલિંગની પૂજા કરતા હતા. કાશ્મીર સિવાય આખી દુનિયામાં બરફનું શિવલિંગ ક્યાંય જોવા મળતું નથી.
3.વધતી-ઘટતી રહે છે બર્ફાની બાબાની ઉંચાઇ
લોકપ્રિય માન્યતા અનુસાર, ચંદ્રના હિસાબે બર્ફાની બાબાની ઊંચાઈ ઘટતી અને વધતી જ રહે છે. જ્યારે પૂર્ણ ચંદ્ર હોય છે ત્યારે શિવલિંગ તેના પૂર્ણ આકારમાં હોય છે. બીજી તરફ અમાવસ્યાના દિવસે શિવલિંગનો આકાર થોડો ઓછો થઈ જાય છે. શિવલિંગ પર બરફના ટીપાં સતત ટપકતા રહે છે.
4. અમરનાથ ગુફાનો ઇતિહાસ
માન્યતાઓ અનુસાર, અમરનાથ ગુફાની શોધ બુટ્ટા મલિક નામના ભરવાડ દ્વારા કરવામાં આવી હતી. બટ્ટા મલિક ઘેટાં ચરાવતો દૂર દૂર પહોંચી ગયો. જ્યાં તે એક સાધુને મળ્યો, તેણે બુટ્ટા મલિકને કોલસા ભરેલી થેલી આપી. મલિકે ઘરે જઈને તે થેલી જોઈ તો તેમાં સોનું હતું. કોલસાને સોનામાં ફેરવાતા જોઈને તે ચોંકી ગયો. બુટ્ટા મલિકએ સાધુની શોધમાં પાછો ફર્યો. સાધુને શોધતી વખતે તેણે અમરનાથ ગુફા જોઈ પણ સાધુ ત્યાં નહોતા. ત્યારથી આ સ્થળ તીર્થસ્થાન તરીકે લોકપ્રિય બન્યું.
5. અમરનાથ ગુફાની પ્રચલિત કથા
ધાર્મિક ગ્રંથો અનુસાર, ભગવાન શિવે અમરનાથ ગુફામાં માતા પાર્વતીને અમર કથા સંભળાવી હતી. અન્ય કોઈ પ્રાણી અમર વાર્તા સાંભળી શકતું ન હતું, તેથી ભગવાન શિવમાં પાંચ તત્વો હવા, પાણી, પૃથ્વી, આકાશ અને અગ્નિ છોડીને આ પર્વતમાળાઓમાં પહોંચ્યા અને માતા પાર્વતીને અમર વાર્તા સંભળાવી. શુક (કબૂતર) એ પણ માતા પાર્વતી સાથે આ રહસ્ય સાંભળ્યું. પાછળથી આ શુક શુકદેવ ઋષિ તરીકે ઓળખાવા લાગ્યો.
DISCLAIMER: ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. આથી અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી અમારી નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir