બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ધર્મ / Akshaya Tritiya upay donating these things will bring happiness and prosperity in life

ધર્મ / અક્ષય તૃતીયાના દિવસે આ પાંચ વસ્તુઓનું કરો દાન, ઘરમાં આવશે સુખ અને સમૃદ્ધિ

Manisha Jogi

Last Updated: 07:53 AM, 21 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અક્ષય તૃતીયાના દિવસે માઁ લક્ષ્મી અને ભગવાન વિષ્ણુની આરાધના કરવામાં આવે છે. દિવસે કેટલાક ઉપાય કરવાથી શુભ ફળ પ્રાપ્ત થાય છે. જુઓ આ વિશેષ ઉપાય.

  • અક્ષય તૃતીયાના દિવસે સોનું ખરીદવાનું અલગ મહત્ત્વ.
  • તમામ વ્યક્તિ સોનુ ખરીદી શકતી નથી.
  • આ કારણોસર આ દિવસે કરો આ વિશેષ ઉપાય.

હિંદુ ધર્મમાં અક્ષય તૃતીયાને શુભ માનવામાં આવે છે. આ દિવસે માઁ લક્ષ્મી અને ભગવાન વિષ્ણુની આરાધના કરવામાં આવે છે. આ પ્રકારે કરવાથા સાધકની તમામ ઈચ્છા પૂર્ણ થાય છે અને ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે. અક્ષય તૃતીયાના દિવસે સોનું ખરીદવાનું અલગ મહત્ત્વ રહેલું છે. માનવામાં આવે છે કે, આ દિવસે સોનું ખરીદવાથી જીવનમાં ખૂબ જ તરક્કી થાય છે. 

તમામ વ્યક્તિ સોનુ ખરીદી શકતી નથી. આ કારણોસર આ દિવસે કેટલાક ઉપાય કરવાથી શુભ ફળ પ્રાપ્ત થાય છે. માનવામાં આવે છે કે, અક્ષય તૃતીયાના દિવસે જરૂરિયાતંદ વ્યક્તિને દાન કરવાથી લાભ થાય છે. તો આ દિવસે કઈ વસ્તુનું દાન કરવું જોઈએ તે અંગે અહીંયા વિગતવાર જાણકારી આપવામાં આવી છે. 

  • માનવામાં આવે છે કે, અક્ષય તૃતીયાના દિવસે કંકુનું દાન કરવું તે શુભ ગણવામાં આવે છે. પરિણીત વ્યક્તિએ કંકુનું દાન જરૂરથી કરવું જોઈએ. કંકુનું દાન કરવાથી દંપતી વચ્ચે નિકટતા વધે છે અને સંબંધમાં મિઠાશ આવે છે. 
  • અક્ષય તૃતીયાના દિવસે ગરીબ વ્યક્તિને અનાજનું દાન કરો. માનવામાં આવે છે કે, આ દિવસે દાન કરવાથી જીવનમાં સુખ અને સમૃદ્ધિ આવે છે. 
  • હિન્દુ ધર્મમાં પૂજા પાઠ કરતા સમયે સોપારીનો ઉપયોગ કરવામાં આવે છે. માનવામાં આવે છે કે, અક્ષય તૃતીયાના દિવસે સોપારીનું દાન કરવાથી સૌભાગ્ય પ્રાપ્ત થાય છે, આર્થિક લાભ થાય છે અને જીવનના તમામ કષ્ટ દૂર થાય છે. 
  • નારિયેળનું દાન કરવાથી મોક્ષની પ્રાપ્તિ થાય છે. અક્ષય તૃતીયાના દિવસે નારિયેળનું દાન કરવામાં આવે તો વિશેષ લાભ થાય છે. આ પ્રકારે કરવાથી ભગવાન વિષ્ણુની વિશેષ કૃપા રહે છે. 

(DISCLAIMER: આ લેખમાં ધર્મને લગતી આ માહિતી માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે, તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ એ દરેકની આસ્થાનો વિષય છે. આથી અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. કોઈપણ પ્રકારની મુશ્કેલી સર્જાશે તો તે માટે VTV ગુજરાતી જવાબદાર નહીં રહે. આ લેખ માત્ર ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.)

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ